SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯૮ ] વસુદેવ-હિ...ડી : : પ્રથમ ખંડ : "" જે જે વૃક્ષેા રુકિમણીએ બતાવ્યાં તે બધાં તેમણે કાપી નાખ્યાં. રુકિમણીની આંગળીની વીંટીના હીરાના પોતાની આંગળી અને અંગૂઠા વચ્ચે દબાવીને તેમણે ચા કરી નાખ્યા. એટલામાં રુકમીનું સૈન્ય આવી પહોંચ્યુ. કૃષ્ણે બળદેવને કહ્યુ, “ ભાઈ ! તમે વહૂને લઈને જાએ, હું આ લોકોના પ્રતિકાર કરું છું. ” બલરામે કહ્યુ, “ કૃષ્ણ ! તું સહિત નિશ્ચિન્તપણે જા; આ કાગડાઓના સૈન્યને હું વીંધી નાખું છું. ” એટલે ભય પામેલી રુક્મિણીએ કૃષ્ણને વિનંતી કરી કે, “ દેવ ! ‘ આ કિમણી તેા ભાઈને મરાવીને ગઈ ” એવી મારી નિન્દા ન થાય તેવી કૃપા કરે. બાકી તમે તે ઇન્દ્રને પણ જીતવાને શક્તિમાન છે. ” રુકિમણીએ આમ વિનંતી કરતાં દામેાદરે રામને કહ્યુ, “ ભાઇ ! તમારી વહૂ પેાતાના ભાઇને માટે અભયદાન માગે છે, માટે તેના ઉપર કૃપા કરાર ” રામે ‘ ભલે ’ એમ કહીને તે વચન સ્વીકાર્યું. પછી રુકમી રાજાનું લશ્કર બલદેવને પરાજય કરવાને પ્રયત્ન કરવા લાગ્યું. એટલે દેવે આપેલા શંખ ખલદેવે લગાડ્યો. નિષ્ઠુર રીતે ગના કરતા અને ક્ષેાભ પામેલા સમુદ્રના જેવા એ શંખના શબ્દથી લશ્કરને ત્રીજો ભાગ આનદ વગરના થઇ આયુધ સૂકી દઇને ઊભેા રહ્યો, પરન્તુ ક્રોધાવિષ્ટ થયેલા રુકમીએ અલદેવના પીછેા પકડ્યો, અને દૂર સુધી. જઇને તેણે રહિણીપુત્ર બલદેવના રથ ઉપર ખાણુની વૃષ્ટિ કરી. ખલદેવે ચતુરાઇથી ભાણવડે બાણુ કાપી નાખ્યાં, પણ તેમનેા સારથિ અને ઘેાડા ઘાયલ થયા. રથના નાશ થઇ જવા છતાં પણ રામે માન મૂક્યું નહીં ત્યારે રુમીએ તેમના ધનુષ્યને નાશ કર્યા તથા જમણેા અંગૂઠા વીંધી નાખ્યા. એટલે રુકમીને તેના મિત્રાએ જેમ તેમ કરીને વાર્યું કે, “ સ્વામી ! આ રામ તમારા કરતાં વધુ બળવાન છે, છતાં પણ તમારા વધ કરતા નથી, માટે યુદ્ધ બંધ કરો. ” આ પ્રમાણે વારવામાં આવતાં રુકમી પાછે વન્યા, પણ પેાતાની પ્રતિજ્ઞા પૂરી કરવાને માટે તેણે ભેાજકટ નગર વસાવ્યું. “ આ બાજી, જેમનું કાર્ય સિદ્ધ થયુ' છે એવા તથા અત્યંત પ્રસન્ન થયેલા રામ અને કૃષ્ણ સુખપૂર્વક આગળ ચાલવા લાગ્યા. રુકિમણીને તેમણે કહ્યુ, “ અક્ષત શરીરવાળા તારા ભાઈ પેાતાના દેશમાં પાછે ગયા છે. ” રુકિમણીને પુર, પર્વત અને પ્રદેશેા બતાવતા બતાવતા તેઓ એક, સનિવેશ( નગરની બહારના પ્રદેશ )માં પહોંચ્યા. ત્યાં કૃષ્ણે મેાટાભાઈને કહ્યું, “ આ ઉપવન રમણીય છે, માટે અહીં આપણે વીસામે લઇએ. ” ખલદેવે ‘ભલે ’ એમ કહીને હા પાડી, અને પેાતાના સિદ્ધાર્થ સારથિને આજ્ઞા આપી કે, “ વત્સ ! નગરવાસીઓને ( અહીં આવવા ) કહે, અને જલદીથી લગ્નની સામગ્રો લઈ આવ. ” સારથિ ગયા. નાગરિકા આવવાને તૈયાર થતા હતા ત્યાં તા યક્ષેાએ વધૂ-વરના લગ્નને યેાગ્ય સામગ્રીથી સત્કાર કર્યાં. નારિકા આવી પહોંચ્યા અને વિસ્મય પામ્યા. ત્યાં દેવતાઓના નગર જેવી શેાભા થઇ રહી. નાગરિકા અને યક્ષેાવડે પરિવરાયેલા એવા તેમની રાત્રિ વીતી ગઇ. પછી અનુક્રમે ચાલતા તેએ દ્વારકા પહોંચ્યા. કૃષ્ણે રુકિમણીને પેાતાના ભવનની વાયવ્ય દિશાએ પ્રાસાદ આપ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy