SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ : - - - | [ ૧૨૨ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : પછી સાંબને સાથે લઈને પ્રદ્યુમ્ન ભોજકટ નગરમાં ગયો. ચાંડાલેને વેશ ધારણ કરીને એ બન્ને જણા જળાશયની પાસે બેઠા અને ગાયન ગાતા તેમણે બધા લોકોને વિસ્મય પમાડી દીધા. એ જ માગે મત્ત હાથી પાણી પીવા માટે આવ્યા. હાથીના માવતે કહ્યું, અરે ચાંડાલ ! જલદી આઘા ખસે, નહીં તે હાથી તમને મારી નાખશે.” એટલે આ બે જણ બોલ્યા, “ આ કાયર હાથીને તું અહીં ન લાવીશ, નહીં તે અમારા કૂતરાઓ તેને ખાઈ જશે, ” આથી માવત ખીજાય અને હાથીને તેણે છૂટો મૂક્યો. પ્રજ્ઞપ્તિ વિદ્યાના પ્રભાવથી તેને ચારે કોરથી કૂતરાઓ વળગ્યા અને કપોલ, મુખ અને સૂંઢ ઉપર જેને કૂતરાઓ બચકાં ભરતા હતા એ તે હાથી માવતની સાથે ત્યાંથી નાશી ગયો. એથી બીજા હાથીઓ પણ ભયભીત થયા. પરસ્પરની ઉપર પડતા તથા સૂર્યાસ્તની વેળાએ ઘરો અને સાદડીના બનાવેલાં ઝુંપડાઓ ભાંગી નાખતા, વર્ષાઋતુના મેઘની જેમ ગર્જના કરતા, જેમને જોઈને નગરવાસીઓ પડતા, આખડતા અને અવ્યવસ્થિત થતા હતા, નિરાશ અને હીલાં મુખવાળા થઈને ફાટ્યા અવાજે “સ્વામી ! ભાઈ! મામા ! મારું રક્ષણ કરે’ એમ બમ પાડીને નાસતા હતા–એવા તે હાથીએ ચારે બાજુ દોડવા લાગ્યા. રુકમીએ સંભ્રમપૂર્વક પૂછયું, “ નગરમાં આ કોલાહલ શેનો છે?” એટલે જેમણે કારણ જાણ્યું છે એવા પુરુષોએ કહ્યું, “દેવ! ચાંડાલેના કૂતરાઓએ હાથીને બચકાં ભર્યા. આથી તે હાથી ડરીને નાસતાં બીજા હાથીઓને પણ ભયભીત થયા. આ પ્રમાણે ભડકેલા અને દેડતા હાથીઓને કારણે નગરમાં ક્ષોભ પેદા થયો છે.” ઘણી વારે એ કોલાહલ શાન્ત થઈ ગયા. પછી એક વાર (પ્રજ્ઞપ્તિના પ્રભાવથી) ઉંદરોએ હાથીઓને બાંધવાનાં દોરડાં કાપી ખાધાં, એટલે હાથીઓ નિરંકુશપણે ફરવા લાગ્યા. ચાંડાલ-કુમારોએ પોતાની પાસેનાં દરડા ( રાજાના માણસોને ) બતાવ્યાં, અત્યંત મૂલ્યવાન એવા તે દોરડાં વેચીને તેઓ નગરમાં જાણીતા થયા. પછી સાંબે એક વાર ડોશીનું રૂપ ધારણ કર્યું, અને તે રુકમી પાસે ગયે. સાંબના શરીરનો આશ્રય કરીને રહેલી રહેલી પ્રજ્ઞપ્તિ કહેવા લાગી, “દેવ ! શ્રવણ કરો. અમે સાંભળ્યું છે કે તમે વૈદભી કુમારી ચાંડાલેને આપવાના છે. ક્ષત્રિય જૂઠું બોલતા નથી, માટે જે તમે અવશ્ય ચાંડાલોને જ કન્યા આપવાના હો તે આ મારા પુત્ર જેવો વર તમને બીજે કઈ મળશે નહીં, માટે આ બાબતમાં જે યોગ્ય લાગે તે કહે ” એટલે રોષથી રાતી આંખવાળે રુકમી બોલ્યો, “જા, નીકળ અહીંથી. મને વિચાર કરવા દે.” પછી તે ગઈ એટલે પ્રતિહારને બોલાવીને કહ્યું, “તેં ચંડાળાને કેમ પ્રવેશ કરવા દીધા?” પ્રતિહારે ઉત્તર આપ્યો, “દેવ! પ્રવેશ કરતાં તે મેં એમને જોયા જ નહતા; માત્ર અંદર આવ્યા પછી જ તેઓ મારી નજરે પડ્યા.” પછી રાજાએ પોતાના સભાસદોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy