SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૯૦ ]. વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડઃ અન્યદા તે ઋષિદત્તાને ત્રાતુકાળમાં ગર્ભ રહ્યો. તે શિલાયુધ કુમાર પણ કેટલાક દિવસ પછી ગયે. ઋષિદનાનો ગર્ભ વધવા લાગે. વિષફળને આહાર કરવાથી મંજુલિકા મરણ પામી. ઋષિદત્તાએ પણ ગ્ય સમયે પુત્રને જન્મ આપે. પ્રસૂતિ થતાં વેંત જ સૂવારોગથી તે મરણ પામી. આથી તેને પિતા મૂચ્છ પામે. ડીવાર પછી ભાનમાં આવતાં બન્ને હથેળીઓ વડે કુમારને લઈ, ખોળામાં મૂકી કરુણ આકન્દ કરતે તે વિચાર કરવા લાગ્યા, “ આને હું કેવી રીતે જિવાડીશ? એમ કહી આંસુ સારતે એકાકી એવો તે કરુણ વિલાપ કરવા લાગ્યો. પછી તે ઋષિદત્તા વ્યંતરી થઈ. તેણે મૃગીનું રૂપ કર્યું. તેની સાથે એક નાની મૃગલી હતી. બે કાળા કૂતરાઓની સાથે સમૂહમાં ભમતી તે મઠના આંગણામાં આવી. એક મૃગીએ છોકરાને લીધે, બીજી મઠમાં ગઈ પછી પિતાની જીભ વડે બાળકને ચાટતી તે તેના વદન આગળ સ્તન રાખીને ઊભી રહી. આ જોઈને રાજા શાનિત પામ્યો. આ પ્રમાણે એ મૃગી વારંવાર આવીને તે બાળકને દૂધ પાતી હતી. પછી તે બાળક મોટો થયે. એક વાર સમિધને માટે ગયેલા તેને સર્પ કરડ્યો અને જેને વિષ ચડયું છે એ તે મરવા લાગે. મૃગીએ આવીને તેને જીભથી ચાટ્યો, નિર્વિષ કર્યો અને જિવાડ્યો. હે પુત્ર! જે મૃગી તે હું પૂર્વે ત્રાષિદત્તા હતી. પછી મેં દિવ્ય દેવીરૂપ ધારણ કરીને તે સર્પની તર્જના કરી અને કહ્યું, “ચાંડાલ ચંડકૌશિક ! હજી પણ ક્રોધ ત્યજતો નથી?” એ પ્રમાણે ત્યાં જેને પૂર્વવૈર સ્મરણ કરાવવામાં આવ્યું છે એવો તે સર્પ તે રમ્ય આશ્રમપદમાં અનશન કરીને પોતાની જાતને ખપાવીને થોડા સમયમાં કાળધર્મ પામ્યો. પછી મેગિરિના નંદનવનમાં બલકૂટ ઉપર બેલ નામના દેવ તરીકે તે આવ્યા. આ તરફ શ્રાવસ્તી નગરીમાં શતાયુધ રાજા કાળધર્મ પામે. શિલાયુધ રાજા થયે. તે રાજાને મરણ પામેલે જાણીને સર્વે સામંત રાજાઓ સામે થયા. તે શિલાયુધ સંન્ય અને વાહન સહિત નીકળી તે સર્વેને પરાજય કર્યો અને તેમને નમાવ્યા. પછી ફરી શ્રાવસ્તીમાં આવીને તે અદ્યાનમાં રહ્યો. પછી હું ઋષિદત્તા તાપસીનું રૂપ ધારણ કરીને અરણ્યનાં પુષ્પ-ફળ લઈને રાજાના અગ્રદ્વાર આગળ ઊભી રહી. પછી દ્વારપાળોએ રાજાને નિવેદન કર્યું કે, “તાપસી દ્વાર ઉપર ઊભી છે. ” રાજાએ કહ્યું, “તે ભલે અંદર આવે.” પછી ઘણા જનવડે સંકુલ એવા રાજાના સભામંડપમાં તે તાપસી પુત્રની સાથે પ્રવેશી. સર્વ વર્ણો અને સાધુઓના હિતમાં રત એવા રાજાને તેણે જે. પછી અરણ્યનાં પુષ્પ-ફળો વડે રાજાનું અભિનંદન કરીને તે તાપસીએ કહ્યું, “રાજન ! આ તારો પુત્ર છે, તારા જ ગાત્રમાંથી ઉદ્દભવે છે, તેનો પુત્ર તરીકે સ્વીકાર કર.” એટલે રાજાએ કહ્યું, “કેમાં એમ સંભળાય છે કે જે કોઈ આશ્રમમાં રહે છે તે સર્વે સત્યવાદીઓ હોય છે, પણ તું તે તાપસી હોવા છતાં મિથ્યા બોલે છે. અપુત્ર એવા મને પુત્ર કયાંથી?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy