SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયંગુસુંદરી સંભક [ ૩૮૯ ] બિલવ આદિ ફળે મનહર, પ્રમાણયુક્ત અને સ્વાદિષ્ટ છે. એ કયાંથી આવ્યાં છે? અને કોણ તે લાવ્યું છે?” પછી તે રાજાએ તાપસ–ષિઓને બેલાવીને તે બિલવ આદિ ફળની ઉત્પત્તિ પૂછી. તેમાંથી જે ઉદકબિન્દુ નામે તાપસ હતે તેણે રાજાને હરિવંશની ઉત્પત્તિ કહી અને જણાવ્યું કે, “તેમનાં (હરિવર્ષમાંથી લાવવામાં આવેલાં) વૃક્ષોની પ્રસૂતિ તે આ ફળ છે.” પછી કામપ્રતાકા કન્યાની સાથે કુમારનું લગ્ન થયું. પછી દેવીએ રાજાને કહ્યું, “સ્વામી ! જ્યાં આ બિલ્વ આદિ ફળ હોય ત્યાં જઈએ.” પછી વસુમિત્ર અને સુષેણ અમાત્યાએ વારવા છતાં દેવીના ખોટા આગ્રહને કારણે રાજા ચંપાનગરી ગયે, અને ત્યાંજ ઉદ્યાનમાં રહ્યો. ત્યાંજ ચંડકૌશિક નામે કુલપતિ હતે. દેવીએ અને રાજાના સૈન્ય પુષ્પ અને ફળને માટે તે આખું ઉદ્યાન લૂંટયું અને તેને વિનાશ કર્યો. આથી ક્રોધ પામેલા ચંડકૌશિકે રાજાને શાપ આપે કે, “દુરાચારી! તે મારું ઉદ્યાન લૂંટયું અને તેનો નાશ કર્યો છે, માટે મૈથુનકાળે તારા માથાના સો ટુકડા થઈ જશે અને તું મરણ પામીશ.” આ સાંભળીને ભય પામેલે રાજા ત્યાંથી નીકળીને નંદનવનમાં ગયે, અને રાજ્યનો ત્યાગ કરીને તેણે તાપસ તરીકેની દીક્ષા લીધી, અને દેવી તથા મંજુલા ધાત્રીની સાથે તપશ્ચર્યા કરવા લાગ્યા. પછી કોઈ એક વાર રાજાના વલ્કલ વસ્ત્રમાં શુક્રષદૂગલ આવ્યાં. દેવીએ તે વલ્કલ પહેર્યું. તે પુદ્ગલ તેની નિમાં પ્રવેશ્યાં. તે દેવીએ સમય જતાં પુત્રીને જન્મ આપ્યો. તેનું ઋષિદત્તા નામ પાડવામાં આવ્યું. દેવી, મંજુલા ધાત્રી અને રાજા વનનાં બિલવફળ વડે તેનું પાલન કરતા હતા. રાજા પ્રત્યેની અત્યંત આસક્તિપૂર્વક તે સ્ત્રી કાળધર્મ પામી. ઊછરેલ ઋષિદના યુવાવસ્થામાં આવી અને અતીવ રૂપથી સુરૂપ થઈ. કોઈ એક વાર શાન્તવેગ અને પ્રશાન્તવેગ નામના બે આકાશચારી અણગારો તે આશ્રમમાં આવ્યા. તેઓ તે આશ્રમમાં રાજાને અને બાલિકાને ધર્મ કહેવા લાગ્યા. તેમની પાસે ધર્મ સાંભળીને ઋષિદત્તા શ્રાવિકા થઈ. જેના હાથમાં ઢાલ-તરવાર છે એવો પુરુષ તે આશ્રમમાં એકવાર આવ્યો. એની પાછળ સૈન્ય આવ્યું. તે રાજાને પગે પડ્યો. રાજાએ પૂછયું, “તું કોણ છે? અને ક્યાંથી આવે છે ?એટલે તે બોલ્યો, “હું શતાયુધ રાજાને પુત્ર શિલાયુધ નામે છું, અને ચારુમતી દેવીને (અમેઘરિપુની પત્નીને) ભત્રીજો અને તમારે ભાણેજ છું.” તે સાંભળીને સતુષ્ટ થયેલા રાજાએ તેને સાષિદત્તા આપી. પછી તે ષિદત્તાની સાથે તેનું લગ્ન થયું. ૧. કથાસંબંધ અનુસાર, શતાયુધની બહેનનું લગ્ન અમેધરિપુ સાથે અને અમેધરિપુની બહેનનું લગ્ન શતાયુધ સાથે થયું હોવું જોઈએ. શિલાયુધ એ રીતે અમેધરિપુનો ભાણેજ અને તેની પત્ની ચામતીન ભાઈને છોકરા-ભત્રીજે થાય. મૂળમાં મરો શબ્દ છે, તેને ભત્રીજો અર્થ અનુમાનથી કર્યો છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy