SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૩૬ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : દૂધવાળાઓએ જે પગદંડી કરી છે, તેને અનુસરીને જા.” પછી તે પગદંડીએ આગળ ચાલતો હું દૂર સુધી જઈને વાવ, પુષ્કરિણી અને વનખંડથી સુશોભિત ગામની પાસે પહે. તે સ્થાનમાં આવતાં મેં વેદાભ્યાસ કરતા બ્રાહ્મણને જોયા. હું એક પુષ્કરિણુમાં ગયે અને ત્યાં સ્નાન કર્યું. પછી આભરણે કપડાને છેડે બાંધીને હું ગિરિકૂટ ગામમાં ગયે. એક રમણીય આયતન જોઈને તેમાં હું પ્રવેશ્યા. ત્યાં બ્રાહ્મણપુત્રો વેદ ઉચ્ચારતાં ભૂલ પડે એટલે બહાર નીકળી જતા હતા. આ પ્રકાર જેઈને મેં એક બ્રાહ્મણને પૂછ્યું, “ આ બ્રાહ્મણે આ મન્દિરમાં શા માટે વેદાભ્યાસ કરે છે અને ભૂલ પડે એટલે ફરી ફરી કેમ બહાર નીકળી જાય છે? એનું કારણ કહે.” તેણે ઉત્તર આપે, “હે સૌમ્ય! સાંભળો. અહીંના ગ્રામગિક ( ગામધણી ) દેવદેવની સોમશ્રી નામે પુત્રી સેમલેખા જેવી સુન્દર અને મને હર શરીરવાળી, માત્ર કમળથી રહિત હોય તેવી કમલવાસી લક્ષ્મી જેવી તથા ઉત્તમ હસ્ત, ચરણ, નયન અને વદનવાળી છે. તે ઉત્તમ પુરુષની ભાર્યા થશે, એવો આદેશ નૈમિત્તિકે આ હતો. બુધ અને વિબુધની સમક્ષ જે વેદવિષયક પ્રશ્નને જવાબ આપશે, તેને એ કન્યા આપવાની છે. તેથી તેના રૂપ અને જ્ઞાનથી વિચિમત થયેલા બ્રાહ્ય વેદનો અભ્યાસ કરે છે. આ કારણ છે.” પછી મેં પૂછયું, “અહીં મુખ્ય ઉપાધ્યાય કોણ છે?” તેણે કહ્યું, “અહીં મુખ્ય ઉપાધ્યાય બ્રહ્મદર છે. તેનું તેરણયુક્ત ઘર દેખાય છે. ત્યાં જા અને અભ્યાસ કર.” પછી મેં વિચાર્યું, “ શાસ્ત્ર મહાગુણથી યુક્ત છે, માટે પુરુષે સર્વ પ્રયત્નથી તેને અભ્યાસ કરે જોઈએ. ” આમ નિશ્ચય કરીને હું બ્રહ્મદત્તને ઘેર ગયે. આધેડ વયના અને વિનીત વેશવાળા તે ઉપાધ્યાયને મેં જોયા. “હું ગૌતમ ગોત્રને સ્કેન્દિલ છું” એમ બોલતાં મેં તેમને પ્રણામ કર્યા. તેમણે મધુર વચનથી મને કહ્યું, “ભદ્રમુખ! તું ભલે આવ્યું ! આસન ઉપર બેસ.” પછી ગૃહદેવતા જેવી રૂપવતી તથા જેણે માત્ર મંગલ આભૂષણે પહેર્યા હતાં એવી બ્રાહ્મણ બહાર નીકળી. તેને પણ મેં પ્રણામ કર્યા. મને અવલોકીને તેણે કહ્યું, “પુત્ર! અનેક સહસ વર્ષ સુધી તું જીવતે રહે!” પછી મારા પાદશૌચ માટે તેણે દાસીને આજ્ઞા કરી. પાદશૌચ કર્યા પછી મેં બ્રાહ્મણને કડાં આપ્યાં અને કહ્યું, “આ મને દક્ષિણમાં મળ્યાં હતાં, તમે તેને ઉપભેગ કરે.” એ જોઈને તે પ્રસન્ન થઈ. તેણે એ કડાં બ્રહ્મદત્તને બતાવ્યાં, બ્રહ્મદ મને કહ્યું, “કયું શાસ્ત્ર ભણવાની તું ઈચ્છા રાખે છે? જે શાસ્ત્ર હું જાણતા હોઉં તે મારી પાસે ભણવાનો તને અધિકાર છે.” મેં કહ્યું, “આપની અનુમતિથી વેદાથે ભણવા ઈચ્છું છું.” તેણે કહ્યું, “ભલે, પણ વેદ બે પ્રકારના છે. આર્ય અને અનાર્ય. તેમાંથી તું ક્યા શીખવા ઈચ્છે છે?” હું બે, “એ બન્નેને ભેદ મારે સાંભળવો છે.પછી તે બ્રહ્મદત્ત આર્યદની ઉત્પત્તિ કહેવા લાગે ૧. બુધ-વિબુધ એ ગિરિટ ગામમાં કેવલજ્ઞાન પામેલા સાધુઓ હતા. તેમની પ્રતિમાઓ આયતનમાં હતી. બુધ-વિબુધને સંબંધ આ સંભના અંતભાગમાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy