SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - [ ર૧૦ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ ? સુબદ્ધ અને ગોળ કટિપ્રદેશવાળા, ઘેડાના જેવા ગુહ્ય ભાગવાળા, હાથીની સૂંઢ જેવા આકારયુક્ત ઉરુયુગલવાળા, માંસપેશીઓમાં ઢંકાયેલા ઢીંચણવાળા, કુરુવિંદ આવર્તના જેવી (અનુક્રમે જાડી થતી) ઉત્તમ જંધાઓવાળા, કનકના કાચબા સમાન ચરણયુગલવાળા, મધુર, ગંભીર અને મનોહર વાણવાળા, વૃષભના જેવી લલિત ગતિવાળા અને તેજથી વીંટાયેલા સુન્દર રૂપવાળા થયા. પછી દેવરાજ ઈન્દ્ર પોતાની પત્ની સહિત આવીને ભગવાનનો વિવાહ-ઉત્સવ કર્યો. ત્યારથી મિથુન ધર્મયુગલિક ધમ નાશ પામ્યો. આ રીતે છ લાખ પૂર્વ એટલે સમય વીતી ગયે. દેવોએ લાવેલી ઉપગની વસ્તુઓથી આનંદિત થયેલા શ્રીષભદેવને સુમંગલા દેવીથી ભરત અને બ્રાહ્મી એ યુગલ જમ્મુ, તથા સુનંદા દેવીથી બાહુબલી અને સુન્દરી એ યુગલ જગ્યું. સુમંગલના નિવાસરૂપ સુમંગલાએ બીજાં ઓગણપચાસ પુત્ર-યુગલને (એટલે કે અઠ્ઠાણું પુત્રને) જન્મ આપ્યો. સુખના સાગરમાં રહેલા શ્રીષભદેવનાં વીસ લાખ પૂર્વ વીતી ગયાં. શ્રીત્રકષભદેવને રાજયાભિષેક પછી સમયના દેષને કારણે કે કુલકરે એ નક્કી કરેલી દંડનીતિઓની મર્યાદા ઓળંગવા લાગ્યા. આથી બધા ભગવાનની પાસે આવ્યા. તેમને ભગવાને કહ્યું, “આમાં જે કઈ રાજા હોય તો તેની દંડનીતિ ઉગ્ર થઈ શકે અને એવી નીતિ વડે પ્રજાનું પાલન પણ કરી શકાય.” તેઓએ પૂછ્યું, “રાજા કેવો હોય ? અને તેની સેવા કેવી રીતે કરવી ? ” એટલે ભગવાને વિગતથી તેને લગતી વિધિ કહી. તેઓએ કહ્યું, “ તમે રાજા થાઓ, તમે યોગ્ય છે.” એટલે ભગવાને તેમને નાભિ કુલકર પાસે મોકલ્યા. તેમણે કહ્યું, “બાષભને રાજા બનાવો.” તે લેકે “ભલે, એમ થાઓ” કહીને ગયા. ભગવાને તેમને કહ્યું, “પસર પાસે જાઓ, પશ્વિનીપત્રોથી જળ લાવીને મારો અભિષેક કરે, અને જયશબ્દ ઉચ્ચારો.” ભગવાનની આ આજ્ઞા સંપાદન કરવાને તેઓ ગયા, એટલામાં લોકપાલ સહિત આવેલ ઈન્દ્ર ભગવાનને રાજ્યાભિષેક કર્યો, અને સર્વ અલંકારોથી તેમને આભૂષિત કર્યા. (જ્યારે લેકે પાછા આવ્યા ત્યારે) સન્તષથી વિકસિત થયેલા મુખવાળા તેમણે દેવોથી વીંટળાયેલા ભગવાનને જોયા. વિચાર કરીને, ભગવાનના ચરણમાં જળનો અભિષેક કરીને જય જય શબ્દ કરતા તેઓ હાથ જોડીને ઊભા રહ્યા. “અહો ! આ પુરુષ વિનીત છે” એમ વિચારીને ઈન્દ્ર કુબેરને આજ્ઞા કરી કે, “આ વિનીત પુરુષોની વિનીતા નામે રાજ્યધાની નિર્માણ કરો. રાજાને ગ્ય જે સામગ્રી હોય તે ભગવાન માટે તૈયાર કરો.” આ પ્રમાણે આજ્ઞા કરીને તથા પ્રણામ કરીને ઇન્દ્ર ગયે. કુબેરે બાર યોજન લાંબી અને નવ જન પહેળી નગરીનું નિર્માણ કર્યું. પછી રાજાએ પહેલાં ચાર ગણે વિભક્ત કર્યા–ઉગ્ર, ગ, રાજન્ય અને નાગ. જે આત્મરક્ષક(આરક્ષક) તે ઉગ્રો, ૧, વિનીતા એ અયોધ્યાનું બીજું નામ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy