SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ગણિકાઓના કૂકડાઓની સાઠમારી વર્ણવેલી છે (૩૭૮), તે બીજે સ્થળે એક ગણિકા અને એક રાણીના કૂકડાઓનું યુદ્ધ વર્ણવ્યું છે (૪૩૬ ).૫ નાટક” (રાય) શબ્દ કેવળ નૃત્ય માટે પણ વપરાયેલો છે: “જમ્યા પછી શાન્ત થઈને હું બેઠે તથા તંબળ લીધું, એટલે મને નાટક બતાવવામાં આવ્યું ” (૪૬૦). એક સ્થળે બર્બરી, ચિલાતિકા (કિરાત જાતિની ) આદિ દાસીઓને ઉલ્લેખ છે અને તેઓ સંગીતનૃત્યનું કાર્યો કરતી એમ જણાવ્યું છે (૪૨૫). “ કુજ, વામન, ચિલાત આદિ નાટકિયાઓ ને નિર્દેશ પણ બીજે સ્થળે છે. (૪૭૮). વસંતતિલકા ગણિકાના પ્રથમ નૃત્યપ્રદર્શનના પ્રસંગમાં વિગતભરપૂર કહી શકાય એવું વર્ણન છે (૩૫). નાલિકાગલક નામના નૃત્યના પ્રકારને એક સ્થળે ઉલેખ છે (૧૨૫ ). વર્ણન ઉપરથી એમ જણાય છે કે અમુક પ્રકારની નળીમાં પાણી ભરેલું હોય તેમાંથી પાણી અમુક રીતે ગળતું જાય અને બીજી બાજુ નૃત્ય ચાલે, અને પાણી અમુક પ્રમાણમાં મળી રહે (“ઉદકપરિક્ષય ” થાય) તે સાથે નૃત્ય પણ પૂરું થાય. નળીમાં વધેલા પાણીથી ઉપાધ્યાય નાટ્યાચાર્ય નર્તિકાને સ્નાન કરાવતા (૧૨૫). આ ઉપરાંત બત્રીસ નાયભેદને મોઘમ ઉલ્લેખ છે (૧૨૫), કે જે આપણને અન્યત્ર પણ મળે છે. એક સ્થળે “પ્રેક્ષક” પખણાને ઉલ્લેખ છે (૪૦). “સૂચિનાટ્ય” નામના અદભૂત નૃત્યને ઉલ્લેખ બીજે એક સ્થળે છે. એમાં નૃત્યસ્થાન ઉપર સો મૂકવામાં આવતી અને નર્તિક પિતાની ચતુરાઈથી સોય સ્થાનભ્રષ્ટ ન થાય અને પિતાને ઈજા પણ ન થાય એ રીતે નૃત્ય કરતી.૩૬ ખરપટ એ પણ ભૂલદેવનું જ નામ જણાય છે ( નમઃ વપરાત વચ્ચે ચેન ચોરા પ્રીતમ્ -મહેન્દ્રવિક્રમવર્મીકૃત “મિત્તવિલાસપ્રહસન ', પૃ. ૧૫. મહેન્દ્રવિક્રમવર્મા ઈસવીસનને સાતમા સૈકાના પૂર્વાર્ધમાં થયે છે). ચેરશાસ્ત્રના કર્તા આ મૂલદેવની વિદગ્ધતા, ધૂર્તતા અને ચાતુરીની તથા ઉજયિનીની દેવદત્તા ગણિકા સાથેના તેના પ્રણયપ્રસંગની સંખ્યાબંધ કથાઓ સંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યમાં મળે છે. શુદ્ધક કવિના “પપ્રાભૃતક ભાણ” માં તે તે નાયક તરીકે આવે છે. મૂલદેવ એ એક ઐતિહાસિક વ્યક્તિ હોવાને પૂરે સંભવ છે. ૩૫. વાસ્યાચન “કામસૂત્ર ના નાગરકવૃત્ત ”માં આપેલાં ગોષ્ટિ અને તેના વિવિધ વિનેદને લગતાં સૂત્રો આ સાથે સરખા-વૈરયામવને સમાયામતમોઢવસિતે વા સમાનવિયાવુદ્ધિશત્રવિત્તવણાં સદ્ વેરયામિરનુર્ધरालापैरासनबन्धो गोष्ठी ॥ ३४ ॥ तत्र चैषां काव्यसमस्या कलासमस्या च ॥ ३५ ॥ तस्यामुज्ज्वला लोककान्ताः पूज्या: प्रीतिसमानाश्चाहारिताः ॥ ३६ ॥ परस्परभवनेषु चापानकानि ॥ ३७॥ तत्र मधुमेरेयासवान् विविधलवणफलहरितशाकतिक्तकटुकाम्लोपदंशान् वेश्याः पाययेयुरनुपिबेयुश्च ॥ ३८॥ एतेनोद्यानगमनं व्याख्यातम् ॥ ३९ ॥ पूर्वाह्न एव स्वलंकृतास्तुर गाधिरूढा वेश्याभिः सह परिचारकानुगता गच्छेयुः, देवसिकी च यात्रां तत्रैवानुभूय कुक्कुटलावकमेषयुद्धद्यूतैः प्रेक्षाभिरनुकूलैश्च चेष्टितैः कालं गमयित्वाऽपराह्ने गृहीततदुद्यानोपभोगचिह्नास्तथैव प्रत्याव्रजेयुः ॥ ४० ॥ एतेन रचितोद्धाहकोदकानां ग्रीष्मे जलक्रीडागमनं व्याख्यातम् ॥ ४१॥કામસૂત્ર, અધિકરણ ૧, અધ્યયન ૪, ૩૬. જૈન સાહિત્યમાં સુપ્રસિદ્ધ એવી કથાઓ પૈકી એકમાં સૂચિનાને ઉલ્લેખ આવે છે: સ્થૂલિભદ્રે દીક્ષા લીધા પછી નંદ રાજાએ કોશા વેશ્યા કઈ રથિકને અર્પણ કરી હતી, પણ તેમાં આસકત નહીં થતાં કેશા નિરંતર સ્થૂલિભદ્રના ગુણોનું વર્ણન કરતી હતી. એક વાર તેનું મનોરંજન કરવા રથિકે ઉદ્યાનમાં બેસી બાથી આંબાની લંબ વધી, તે બાણની પંખ બીજા બાણથી વીંધી, તેની ત્રીજાથી–એ પ્રમાણે પિતાના હાથ સુધી લક્ષ્યવેધની શ્રેણિ કરી. પછી એક બાણથી તે લુંબને મૂળમાંથી છેદી નાખીને ત્યાં બેઠાં જ પિતાને હાથે લઈને કોશાને સમર્પણ કરી. પછી કોશાએ પિતાની ચતુરાઈ બતાવવા માટે સરસવના દાણાને ઢગલે કરાવ્યું અને તેના ઉપર સેય રાખી, અને તેને પુષ્પથી ઢાંકી તે ઉપર નૃત્ય કર્યું છતાં પોતે સમયથી ઈજા પામી નહીં અને સરસવને ઢગલો અસ્તવ્યસ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy