SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકુમારોની ક્રીડાઓમાં મેના-પોપટ જેવાં પક્ષીઓ પાસે ચિત્રવિચિત્ર વાણી બોલાવવાની હોડ પણ થતી. એવાં પક્ષીઓનું એકાદ રેમ અગાઉથી ઉખાડી નાખવામાં આવતું અને એ ક્ષત ઉપર ખાર સિંચવામાં આવતા. પક્ષી બલવાની આનાકાની કરે એટલે તુરત એ ક્ષતને સ્પર્શ કરવામાં આવતા જેથી વેદનાને કારણે તે બેલવા પ્રેરાય (૧૩૧-૩૨). જેના પ્રારંભે લેખનકળા છે, ગણિતકળા જેમાં પ્રધાન છે અને શકુનરુત (પક્ષીઓની વાણી જાણું વાની કળા) જેના અંતમાં છે એવી બેતર કળાઓને મોઘમ ઉલ્લેખ મળે છે (૩૩). આવા ઉલ્લેખ બીજા ગ્રન્થમાં પણું મળે છે. શિલ્પ–સ્થાપત્ય સંબંધી ખાસ નોંધપાત્ર ઉલેખો આ ગ્રન્થમાંથી મળતા નથી. એક સ્થળે દેવમન્દિરના લાકડાની કોતરણીવાળા મંડપને નિદેશ છે ( ૩૫૧ ). પ્રાચીન ભારતમાં દેવરથાનમાં પત્થર મેટા પ્રમાણમાં વપરાવો શરૂ થયો ત્યાર પહેલાં લાકડાનાં મન્દિર બંધાતાં એ જાણીતું છે. સોમનાથનું મન્દિર તથા ગિરનાર ઉપરનાં જૈન મન્દિરો પણ લાકડાનાં હતાં. પત્થરના મુકાબલે લાકડું વહેલે વિનાશ પામી જતું હોવાથી એવાં મન્દિરોનાં કઈ અવશેષ બચવા પામ્યાં નથી. વસુદેવ-હિંડી ના પ્રારંભમાં “પ્રથમાનુયોગ અને આધાર ટાંકેલે છે અને “વસુદેવ-હિંડી ની કથાનો સારાંશ એ ગ્રન્થમાંથી ઉદ્ધત થયા હોવાનું સૂચન કરવામાં આવ્યું છે (૩). સંદદાસગણિના “પંચક૫ભાષ્ય' પ્રમાણે, તેના કર્તા આર્ય કાલક હતા. બારમા અંગ દષ્ટિવાદઅંતર્ગત “મૂલ પ્રથમાનુગ” જેનો સવિસ્તર ઉલ્લેખ “નંદીસૂત્ર'માં શ્રતજ્ઞાનનું સ્વરૂપ વર્ણવતાં કરે છે તે સુસંબદ્ધ ગ્રન્થરૂપે નષ્ટ થતાં તેને પુનરુદ્ધાર આર્ય કાલકે કર્યો હોય એમ અનુમાન થાય છે. પરંતુ આર્ય કાલકને એ પ્રથમાનુયોગ ” ગ્રન્થ પણ આજે ધણું સૈકાઓ થયાં નાશ પામી ગયેલ છે. અર્થશાસ્ત્રને લગતે એક રસિક અને મહત્વને ઉલ્લેખ મળે છે (૫૫. મૂળ પ્રાકૃત ઉલેખ નીચે પ્રમાણે છે: અથવાઘે ૨ મળિયું-“ વિશેષ માચાg સત્યેન ચ દંતવ્યો મMળો વિવમાનો સત્ત” ઉત્તા મૂળ, પૃ. ૪૫ ). તે ઉપરથી અનુમાન થાય છે કે એક કાળે પ્રાકૃત ભાષામાં કોઈ અર્થશાસ્ત્ર' હોવું જોઈએ, જે આજે અનુપલબ્ધ છે.૩૭ એવા જ મહત્ત્વના બીજા ત્રણ ઉલ્લેખો પરાગમ–પાકશાસ્ત્ર (પ્રાકૃત રામ)ને લગતા છે (૨૭૪, ૩૩૯, ૪૬૦). એમાં એક સ્થળે તે સ્પષ્ટ રીતે કહ્યું છેઃ “પછી અમે વિદેશમાં પાકશાસ્ત્ર (પરાગમ) શીખીને “પાકશાસ્ત્ર ચિકિત્સાશાસ્ત્રને અધીન છે' એમ વિચારીને ચિકિત્સાશાસ્ત્ર શીખ્યા” (૨૭૪). થો નહીં. આથી રથિક વિસ્મય પામે. કોશાએ કહ્યું, “મારું કે તમારું બેમાંથી એકેનું કાર્ય દુષ્કર નથી, પણ સ્થૂલિભદ્રે જે વ્રત ધારણ કર્યું છે તે દુષ્કર છે” (આવશ્યક ચૂર્ણિ, પૂર્વભાગ, પૃ. ૫૫૪-૫૫; પરિશિષ્ટ પર્વ, સર્ગ ૮). ૩૭, “એ નિર્યુક્તિ” ટીકામાંના એક પ્રાકૃત અવતરણથી આ અનુમાનનું સમર્થન થાય છે: કા વાળા વિ મનચું–‘ગર્ કાર્ચ ન વોસિરર્ તતો ગોસો ” (પત્ર ૧૫ર). અત્યારે જે સંસ્કૃત “ અર્થશાસ્ત્ર” ઉપલબ્ધ છે તેમાં આ બેમાંથી એકે અવતરણ મળતું નથી, એથી પણ પ્રાકૃતમાં બીજું “અર્થશાસ્ત્ર ' હશે એવા અનુમાનને ટેકે મળે છે. જો કે સંસ્કૃત “ અર્થશાસ્ત્ર”માં “વસુદેવ-હિંડી'વાળા અવતરણના જેવો અર્થ વ્યક્ત કરતા એક લૈંક મળે છે ખરે मन्त्रभैषज्यसंयुक्ता योगमायाकृताश्च ये । ૩પદસ્થામિત્રજૈઃ સ્તન મિજાજીત -અધિકરણ ૧૪, અધ્યાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy