SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૪ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : રમત શરૂ કરી. કનક, મણિ, હીરા અને ધનના મોટા ઢગલાઓ મૂકવામાં આવ્યા. તે મેં તમારા પ્રતાપથી જીતી લીધા. વણાદને પિતાના માણસને કહ્યું, “બ્રાહ્મણની માલિકીનું આ ધન ઊંચકી લે.” પછી હું ત્યાંથી નીકળે. વીણાદતે કહ્યું, “આર્ય! કયાં ચાલ્યા ?” મેં કહ્યું, “મારા વડીલ આર્ય છે, તેમને યોગ્ય ઉતારાની હવે તપાસ કરું.” તેણે કહ્યું, “મારા ભવન અને વૈભવ ઉપર તમારો અધિકાર છે; મારા ઘરમાં તમે રહો.” પછી ઉમદા નેકવાળા વણાદત્તને ઘેર તેની સાથે હું ગયો. ઘતમાં જીતેલા ધનને તેના વચનથી મેં મુદ્રિત કર્યું (સીલ કર્યું). પછી અમે તમારી પાસે આવ્યા. ” મેં અંશુમાનને કહ્યું, “વણદત્ત ભલે ઉદાર હોય, પણ તેને પીડવાનું મને ચતું નથી. બીજે સ્થળે આવાસ ગ્રહણ કરો, ત્યાં નિ:સંકોચ વસીશું.આ પ્રમાણે વાતચીત કરીને સુખપૂર્વક ત્યાં વસ્યા પછી પ્રભાત થતાં અમે વીણાદત્તને કહ્યું, “બીજે સ્થળે ઉતારાની વ્યવસ્થા કરે.” ખિન્ન ચિત્તવાળા તેણે આનાકાનીપૂર્વક એ વસ્તુ સ્વીકારી. રાજમાર્ગની પાસે ઉતારો કર્યો, અને ત્યાં પરિચારકોને પણ રાખવામાં આવ્યા. ત્યાં અમે રહ્યા. અમર્ષવાળા અને મત્સરયુક્ત ઇભ્યપુત્રે ત્યાં ઘત રમવા માટે આવ્યા. મેં વિના પ્રયને તેમને જીતી લીધા. “વિપ્રના વેશમાં છુપાયેલે આ કઈ દેવ, ગંધર્વ કે નાગકુમાર છે” એમ બોલતા તેઓ ગયાં. પછી વિદત્ત નંદ-સુનંદ રસોઈયાઓને લાવ્યા. તેમણે ભેજન તૈયાર કર્યું. પછી વર્ણ, રસ અને સુગંધથી સંપન્ન, હિત, મિત અને પચ્ચ એવું તે ભેજન જમીને મેં અંશુમાનને કહ્યું, “પાકશાસ્ત્રમાં વિશારદ આ નંદ-સુનંદને વસ્ત્રના મૂલ્યને એગ્ય એક લાખ આપ.” તે આપવા છતાં તેઓ લેતા નહોતા. અંશુમાનને કહ્યું, “આ તુચ્છ ગણીને તેઓ જે લેવા ઈચ્છતા ન હોય તો આગ્રહપૂર્વક આપો.” એટલે અત્યંત તુષ્ટ મનવાળા તે નંદ-સુનંદ પગે પડીને મને વિનંતી કરવા લાગ્યા, “હે દેવ ! આપનું પ્રીતિદાન અમે ગ્રહણ કરતા નથી તેનું કારણ સાંભળનંદ-સુનંદને વૃતાન્ત અમારા પિતા અહીં સુષેણ રાજાના રસાયા હતા. જેમણે વૃત્તિ–આજીવિકા મેળવી છે એવા તેમણે દીક્ષા લીધી. અત્યંત આદર પામેલા એવા તે અમ બાળકો માટે તો મરણ પામેલા જ હતા. પછી અમે વિદેશમાં પાકશાસ્ત્ર શીખીને “પાકશાસ્ત્ર ચિકિત્સાશાસ્ત્રને અધીન છે” એમ વિચારીને ચિકિત્સાશાસ્ત્ર શિખ્યા. અમે પાછા આવ્યા એટલે પંડ રાજાએ અમારા પિતાના સ્થાને અમને સ્થાપીને તે ફળ અમને આપ્યું. અમે રાજાને વિનંતિ કરી, “અમારા જ્ઞાનને છાજે એવી વૃત્તિ આપો. અમારી પરીક્ષા લઈને અમારા જ્ઞાનને યોગ્ય વૃત્તિ બાંધી આપે તો અમે તમારી સેવા કરીએ. શેષ સમયમાં તમારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy