SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૦૬ ] વસુદેવ-હિંડી :: પ્રથમ ખંડ : છિન્નકટક પહાડ ઉપરથી ધવલ પાંખવાળાં પક્ષીઓની જેમ નીચે ઊતરતા બે ચારણશ્રમણને મેં જોયા. તેઓ ક્ષણવારમાં ધરણિતલ ઉપર આવ્યા. વિદ્યાધરની ગતિ કરતાં પણ એમની શીતર ગતિ હોય એમ મને લાગ્યું. પછી મેં તેમને ઓળખ્યા કે, “આ ચારણશ્રમણ ભગવંત છે. ” મેં પ્રદક્ષિણા કરીને તેમને વંદન કર્યા. જાણે સમાધિનું નિધાન હોય એવા, સ્વાદિષ્ટ ફળવાળાં વૃક્ષે વડે સંકીર્ણ અને સામ્ય એવા મૃગો તથા પક્ષીઓ વડે લેવાયેલા એક આશ્રમપદમાં તેમની સાથે હું પહે. વિવિધ પ્રકારના તપ વડે કૃશ થયેલા શરીરવાળા અગત્ય, કૌશિક વગેરે ઋષિઓ જાણે શરીરધારી યમ અને નિયમ હોય તેવા એ સાધુઓને જોઈ પરમ પ્રીતિવાળા થઈને, બહુમાનપૂર્વક પ્રણામ કરીને “તપોધનેને સ્વાગત છે !” એમ બોલીને ઊભા રહ્યા. ઈર્યાવહી પડિક્કમીને જેમણે કાર્યોત્સર્ગ કરે છે એવા તે મુનિઓ પ્રાસુક ભૂમિભાગમાં બેઠા. મેં તથા ત્રષિઓએ તેમને પૂછયું, “ભગવંત! આપ ક્યાંથી આવો છે ?” તેઓએ કહ્યું, “ સાંભળ: વૈતાઢ્યની તળેટી સાથે સંબદ્ધ, આઠ યોજનની ઊંચાઈને ધારણ કરનાર અને વિવિધ ધાતુઓને અંગરાગ જેણે કર્યો છે એવા અષ્ટાપદ પર્વત ઉપર અમે ગયા હતા. ત્યાં પરમ ગુરુ શ્રીષભદેવ તીર્થકરની પરિનિર્વાણ ભૂમિમાં પ્રથમ ચક્રવતી રાજા ભારતની આજ્ઞાથી દેવાધિષ્ઠિત વર્ધકીરને સંપૂર્ણ આદરથી સુખપૂર્વક જેનું નિર્માણ કરેલું છે એવું સર્વરત્નમય, તે પર્વતના મુકુટ જેવું તથા દેવ, દાનવ અને વિદ્યાધરેએ પ્રયત્નપૂર્વક જેનું પૂજન કરેલું છે એવું જિનાયતન છે. તેની પ્રદક્ષિણા કરતા અમે પૂર્વ તરફના દ્વારથી અંદર પ્રવેશ્યા. પછી આ અવસર્પિણીના ચોવીસ તીર્થંકરની પ્રમાણ તથા વર્ણથી યુક્ત એવી મૂર્તિઓનાં અમે દર્શન કર્યા. એ મૂતિઓ દેવોને પણ વિસ્મય પમાડનારી છે, તે મનુષ્યનું તે શું કહેવું ? પરમ સંવિગ્ન એવા અમે એ પ્રતિમાઓને વંદન કરીને તથા રસ્તુતિ કરીને ઊભા રહ્યા. ઘણા દિવસ સુધી ત્યાં રહેલા અમને એ આયતનની પ્રભાના ઉદ્યોતને કારણે દિવસ કે રાત્રિની પણ ખબર પડતી નહતી. ત્યાંથી પાછા વળતાં અમે સમેતપર્વત ઉપર આવ્યા. ત્યાં પ્રસિદ્ધ યશવાળા ઓગણીસ તીર્થકરોની પરિનિર્વાણભૂમિને વંદન કરીને પછી ચક્રાયુધ મહર્ષિની આ નિશીથિકા-નિર્વાણભૂમિ જે કેટિશિલા નામે પ્રસિદ્ધ છે અને જેને શાન્તિનાથ, કુન્થનાથ, અરનાથ, મહિલનાથ, મુનિસુવ્રતસ્વામી અને નમિનાથ એ તીર્થંકરનાં તીર્થોમાં ઘણું નિર્વાણાભિમુખ અણગારેએ સેવેલી છે તેનું દર્શન કરવાને અમે આવ્યા છીએ.” પછી સતોષથી જેમને રોમાંચ થયાં છે એવા તે ઋષિઓ તથા હું આ સાંભળીને તેમને ફરી વિનંતી કરવા લાગ્યા, “જે આપને સંયમમાં વિન્ન થતું ન હોય તે શ્રી શાંતિનાથની અને મહાનુભાવ ચકાયુધની ઉત્પત્તિ કહે. આપના વચનને અનુસારે તે સાંભળવાની (અમારી ઇચ્છા છે. ).” એટલે એક સાધુએ કહ્યું, “એમાં કંઈ વિન થતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy