SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૩૬ ] વસુદેવ-હિંડી : ૪ પ્રથમ ખંડ : એ પ્રમાણે (રામકૃણા કેવલીએ) કહેતાં જેને તીવ્ર વૈરાગ્ય થયા છે એવા પૂર્ણચંદ્ર શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો. પછી (કેવલીને) વંદન કરીને તે પિતાને ઘેર આવે. રામકૃષ્ણ પણ ઘણા કાળ સુધી કેવલી પર્યાય પાળીને નિર્વાણ પામી. પિતાના રાજ્યમાં અમારિપટનું તથા વિધિથી પૌષધનું અનુપાલન કરતે અને શ્રમણબ્રાહ્મણની ભક્તિ કરતે તે પૂર્ણચંદ્ર રાજા પણ જિનપૂજામાં ઉદ્યત થઈને રાજ્યનું શાસન કરતો હતો દંડનીતિમાંના કપટપ્રયોગનું પ્રતિક્રમણ નહીં કરવાથી સ્ત્રીવેદનીય કર્મને અનુભાગી થયેલ તે ભક્તનો પરિત્યાગ કરીને મહાશુક્ર કપમાં વેઠ્ય વિમાનમાં સત્તર સાગરપમથી કંઈક ઓછા આયુષ્યવાળો દેવ થયે. જંબુદ્વીપના ભરતમાં વૈતાઢયની ઉત્તર શ્રેણિમાં નિત્યલોક(નિત્ય પ્રકાશમાન) મણિ કિરવડે પ્રકાશિત નિત્યલોક નામે નગર છે. ત્યાં શત્રુઓનો પરાજય કરવામાં સિંહ જે અરિસિંહ રાજા હતો. કમલ-વિરહિત શ્રી જેવી તેની શ્રીધરા નામે દેવી હતી. પછી આયુષ્યને ક્ષય થતા એલો પૂર્ણચંદ્ર દેવ વિમલ યશને ધારણ કરનારી યશોધરા નામે પુત્રી તરીકે શ્રીધરાના ગર્ભે જન્મે. ઊછેરની વિશેષતાથી ખેડ વગરના શરીરવાળી, નીરોગી, આદેય–આદરણીય વચનવાળી, વાકચાતુર્યવતી, રૂપસ્વિની, સ્વજનને બહુમાન્ય, આજ્ઞાકારી, પરિજને વિજ્ઞાન લાવણ્ય અને વિનયવડે અલંકૃત તે યુવાવસ્થામાં આવતાં ઉત્તર શ્રેણિમાં પ્રભંકરા નગરીમાં સૂર્યાવર્ત રાજાને ભારે વૈભવપૂર્વક આપવામાં આવી, અને તેની પણ તે માનીતી થઈ. કેટલેક કાળે સિંહસેનનો જીવ–શ્રીતિલકદેવ યવને યશોધરાના ગર્ભમાં પુત્ર તરીકે આવ્યું. જેના દોહદ પૂર્ણ કરવામાં આવ્યા છે એવી યશોધરાને કાળે કરીને રશ્મિવેગ નામે કુમાર થયે. અનુક્રમે તે માટે થયો અને કલાઓનો અભ્યાસ કર્યો. પછી યુવરાજના અભિષેકને પ્રાપ્ત થયે. કોઈ એક વાર ધર્મરુચિ અને ધર્મનંદ એ ચારણકમણવડે બોધ પામેલે સુર્યાવર્ત રાજા રશ્મિવેગને રાજ્યનો અધિકાર સેંપીને સાધુ થશે, અને સંયમ પાળવા લાગ્યો. જેણે ઘાતિકર્મ ખપાવ્યાં છે તથા જેણે વેગોને રોધ કર્યો છે એવો તે કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને નિર્વાણ પામે. યશોધરાએ ગુણવતી આર્યાની પાસે દીક્ષા લીધી અને અગીઆર અંગમાં કુશળ એવી તે વિચારવા લાગી. અનિત્યતાના વિશેષને લીધે જેને વૈરાગ્ય થયે છે એવા રશ્મિવેગ રાજાએ, વસ્ત્રના છેડે વળગેલા તૃણની જેમ, રાજ્યનો ત્યાગ કરીને હરિમુનિચંદ્ર(અણગાર)ની પાસે સંયમ સવીકાર્યો. અનુક્રમે તેણે ઉદ્યોગ વડે નવ પૂર્વોનું અધ્યયન કર્યું. પરિપૂર્ણ ઘેર્યબળવાળે તે એકાકીવિહારપ્રતિમા સ્વીકારીને વિચારવા લાગ્યા. એક વાર તે કાંચનગુહામાં પ્રતિમામાં રહેલ હતા. પાંચમી પૃથ્વીમાંથી ઉદ્વર્તિત થયેલા-નીકળેલા અને અજગર થયેલા પુરેશહિતે તેને . પૂર્વના વેરના અનુબંધથી જેને તીવ્ર કેપ થયો છે એ તે અજગર તેને ગળી ગયે, પણ તેના પ્રત્યે દ્વેષ નહીં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy