SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૦૨ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : ખરછટ અને પીળા કેશવાળી, સહેજ માંજરી આંખાવાળી, અધાવિષમ દાંતવાળી ( જેના નીચલા દાંત ઉપરના દાંતની ઉપર રહેતા હાય તેવી ), તથા કર્કશ આકૃતિવાળી હતી. તે યુવાવસ્થામાં આવી, પણ કેાઇ તેને વતુ નહેાતું; કેાઇ પુરુષને આપવામાં આવે તે પણુ તે તેને ઇચ્છતા નહાતા. પછી ભાગાંતરાયના પ્રતિબંધથી અને દુર્ભાગ નામકર્મના ઉદ્દયથી સને અનિષ્ટ એવી તે અજનસેના, જેના નિતંબ અને સ્તન પડી ગયા છે એવી વૃદ્ધકુમારી થઇ. એવી સ્થિતિમાં કેટલાક કાળ ગાળીને તે સ્થિતિના નિવેદથી તેણે પરિત્રાજિકાની દીક્ષા લીધી. ત્રિૠંડ અને કુંડિકાને ધારણ કરનારી અને જેણે સાંખ્ય તથા યાગમાં પ્રવેશ કર્યાં છે એવી તે ગામ, નગર અને જનપદોમાં વિહાર કરતી કેટલેક કાળે મથુરામાં આવી. ત્યાં સાગરદત્ત સાવાહની ભાર્યા મિત્રશ્રી નામે હતી. તેને નાગસેન નામે વિકપુત્ર ઇચ્છતા હતા, પણ સમાગમના કોઇ ઉપાય તેને મળતા નહાતા. તેણે અંજનસેનાને ફરતી જોઈ. શેાભીતાં વસ્ત્રોના દાનવડે તે અંજનસેનાની સેવા કરવા લાગ્યા. એટલે સન્તુષ્ટ થયેલી તે ખાલી, “મારે સ્વાધીન જે કાર્ય હાય તે વિશ્વાસપૂર્વક કહે, તારું' તે કાર્ય સિદ્ધ જ થયુ છે એમ માન. ” પછી તે નાગસેને ‘એમ થાએ' એમ કહીને પેાતાના અભિપ્રાય પાળ્યે, અને અંજનસેના જે જે ઇચ્છે તે તે તેને આપવા લાગ્યા. આંજનસેનાએ જ્યારે ખૂબ આગ્રહ કર્યો અને જ્યારે સાર્થવાહ સાગરદત્ત પ્રવાસે ગયા ત્યારે નાગસેને અંજનસેનાને કહ્યું, “ તમારા ચરણની કૃપાથી સાગરદત્તની ભાર્યા મિત્રશ્રીને હું પ્રાપ્ત કરીશ. ” તે ખેાલી, “ તારે માટે હું પ્રયત્ન કરીશ. ” પછી અંજનસેના મિત્રશ્રીને ઘેર ગઇ. મિત્રશ્રીએ તેને નમન કર્યું. પછી જનસેના પાણીથી સાફ કરેલા આસન ઉપર બેઠી, તી કથાઓ કહેવા લાગી અને દેશિવદેશના માણુસાનુ વર્ણન કરવા લાગી. તેણે મિત્રશ્રીને પૂછ્યું, “ પુત્રિ ! તું દુખ`લ અને મેલા શરીરવાળી તથા અલંકાર અને ભૂષણ વિનાની બનીને કેમ બેઠી છે ? ” તે મેલી, “ સાવાર્હ પ્રવાસમાં છે; તેમનાથી વિયેાગી દશામાં મારે શરીરસંસ્કારનું શું કામ છે ? ” જનસેનાએ કહ્યું, “ શરીરના સ્નાનાદિવડે સંસ્કાર કરવા જોઈએ. શરીરમાં જે દેવતાઓના વાસ છે તેમની તેથી પૂજા થાય છે. ” પછી તે સ્નાનશીલા (પરિવ્રાજિકા) સુગંધી પદાર્થ અને સુગધી પુષ્પા લાવવા માંડી અને મિત્રશ્રીને કહેવા લાગી કે, “ આ મેં મેળવ્યાં છે અને તારે માટે આણ્યાં છે. ” પણ મિત્રશ્રી તે ઇચ્છતી નહેાતી. એટલે અજનસેના કહેવા લાગી, “ આ તા દેવતાના નૈવેદ્ય તરીકે વાપરેલાં છે, માટે આ ઇન્દ્રિયગ્રાહ્ય દ્રબ્યા ઉપભાગ કરવા લાયક છે. ભૂતકાળની વાતાની શાચ કરવા ન જોઇએ, આપણે તેા ભવિષ્યની વાતના વિચાર કરવા જોઇએ. પુરુષ ગુણધર્મો છે (અર્થાત્ ગુણેાથી ભિન્ન એવું આત્માનુ અસ્તિત્વ નથી);૧ ઢશ્ય પદાર્થો માત્ર નિમિત્તભૂત છે. ” આમ કહીને અ ંજનસેનાએ પેાતે મિત્રશ્રીને સુંગધી પદાર્થીનું લેપન કર્યું" અને કુસુમેાની માળા પહેરાવી. જ્યારે બન્ને વચ્ચે વિશ્વાસ પેદા થયા ત્યારે અંજન' આ જ અર્થ સંબદ્ધ છે, કારણ કે ચેાડીક પંક્તિએ પછી પણ અ'જનસેના આત્માના અસ્તિત્વના ઇન્કાર કરે છે, ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy