SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૧૪ ] વસુદેવ-હિ'ડી : : પ્રથમ ખંડ : : માથે વીજળી પડશે ત્યારે તારા માથે શું પડશે ? ” એટલે તેણે જવાબ આપ્યા, “ દેવ! કાપ કરશે! નહીં, એ સમયે મારા ઉપર આભરણેાની વર્ષા થશે. ” તેણે આમ કહ્યું, એટલે ભયભીત હૃદયવાળા શ્રીવિજય રાજાએ કહ્યુ, “ આ ! તમને વિદ્યાપ્રાપ્તિ કયાંથી થઈ ? ” અશકિત એવા તે બ્રાહ્મણ ખેલ્યું, “ સાંભળેા, જ્યારે ખલદેવસ્વામીએ (અચલે) દીક્ષા લીધી ત્યારે હું શાંડિલ્યાયન પણ મારા પિતાની સાથે પ્રત્રજિત થયા હતા. મે અષ્ટાંગ મહાનિમિત્તના અભ્યાસ કર્યો. પછી વિહાર કરતા હું પદ્મિનીખેટમાં આવ્યા. ત્યાં મારી ફ્રાઇ હિરણ્યલામા અને તેની પુત્રી ચંદ્રયશા છે. ચંદ્રયશા ખાલ્યાવસ્થામાં હતી ત્યારે જ તેનું વાગ્યાન મને કરવામાં આવ્યુ હતુ. આથી તેને જોઇને મ ંદપુણ્યવાળા એવા હું ક ભારની ગુરુકતાથી ીક્ષામાંથી ચૂકી ગયા. વિષયસુખના અભિલાષી એવેાહુ મહાન ધનપ્રાપ્તિના આ સમય જોઈને અહીં આવ્યા છે. "" ' ' પછી તેનું વચન પૂરું' થયુ, એટલે મંત્રીએ શ્રીવિજયના ભયનુ નિવારણ કરવા માટે વિચાર કરવા લાગ્યા. એક એલ્યે, “સમુદ્રમાં વીજળી કઇ કરી શકતી નથી, માટે સ્વામીને જલદી ત્યાં લઇ જાએ.” બીજાએ કહ્યુ, “દુ:ખમાકાળમાં પણ વૈતાઢ્ય પર્વત ઉપર વીજળી કે વા પડતાં નથી; ત્યાં ગુપ્ત પ્રદેશમાં આટલા દિવસેા ગાળી નાખવા જોઇએ. ’ ત્રીજા ખેાલ્યા, “ ભાવીને ઉદ્યઘવાનું શકય નથી. સાંભળે-એક બ્રાહ્મણ હતા. ઘણી માનતા કરવાથી તેને પુત્ર થયા હતા. તે ગામમાં એક રાક્ષસને કુટુંબના અનુક્રમે ખાવાને માટે માણુસ આપવામાં આવતા હતા. તેમાં બ્રાહ્મણને વારે। આવ્યે. આથી બ્રાહ્મણી ભૂતગૃહની પાસે રાતી હતી. આથી ભૂતાને અનુક ંપા થઇ. ભૂતાએ કહ્યું, ‘તું રડીશ નહીં, તારા પુત્રનું રાક્ષસથી રક્ષણ કરીશું. ' પછી છેાકરાને રાક્ષસ આગળ લઇ જવામાં આવ્યા, પણ ભૂતાએ તેને ત્યાંથી ઉપાડીને ગુફામાં રાખ્યા. પછી ભૂતા જઇને કહેવા લાગ્યાં, ‘તારા પુત્રને અમુક સ્થળે રાખેલા છે, ' પણ ત્યાં એ છેાકરાને અજગર ગળી ગયા. પણ એમ સાંભળવામાં આવે છે કે-તપ વડે ઘાર ઉત્પાતાને રાકવાનું પણ શકય છે,' માટે આપણે સર્વે સ્વામીની શાન્તિ માટે તપ કરીએ,’ચાથાએ કહ્યું, “ પાતનપુરના અધિપતિ ઉપર વીજળી પડશે એમ બ્રાહ્મણે કહ્યું છે, શ્રીવિજય રાજા ઉપર પડશે એમ કહ્યું નથી, માટે સાત રાત્રિ માટે બીજાને રાજા તરીકે સ્થાપિત કરીએ તા સારું. ” પછી નૈમત્તિકે કહ્યુ, “ શાખાશ, મહામંત્રી! એમજ કરવું જોઈએ; રાજાના જીવનનું રક્ષણ કરવા નિમિત્તે હું પણ આવ્યેા છું. નિયમમાં રહેલા રાજા ઉપસને નિષ્ફળ કરશે. ” નૈમિત્તિકનુ વચન સ્વીકારીને અંત:પુર સહિત રાજા જિનાયતનમાં આવ્યા. પ્રજા સહિત મંત્રીએ તેની જગાએ વૈશ્રમણની પ્રતિમાના અભિષેક કર્યો, અને રાજા તરીકે ૧. મૂળમાં વિદ્યા પાઠ છે, તેને વિન્ન કર્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy