SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ નીલયશા સંભક [ ર૨૯ ] નામે અણગારે પિતાના ગણસહિત ત્યાં જ રહેતા હતા. તપ:લક્ષ્મી વડે પરિપૂર્ણ, શરઋતુના સરોવરનાં જળ જેવા પ્રસન્ન હૃદયવાળા અને શરદના પૂર્ણચન્દ્ર જેવા સૌમ્ય વદનવાળા તેમને અમે જોયા. પરિવાર સહિત તેમને અમે પરમ ભક્તિ અને બહુમાનથી વંદન કર્યું. પરિવાર સહિત તેમને અમે પ્રાસુક આહાર-પાણી તથા ખાદ્ય અને સ્વાદ્ય પદાર્થો વડે પ્રતિલાલ્યા. પછી તેમના ગુણનું રટણ કરતાં અમે બન્ને જણ “અહો ! સાગરસેન અને મુનિસેન ખરેખર મહાનુભાવ છે; આપણે પણ રાજ્યધુરાનું કાર્ય છોડી દઈને તથા નિ:સંગ થઈને કયારે વિચારીશું ?” એમ વિચારતાં, વૈરાગ્યમાર્ગ ઉપર ઊતરીને પોતાના નગરમાં પહોંચ્યાં. અમારી ગેરહાજરીમાં અમારા પુત્ર નેકરને દાન અને માનથી ફેડી દીધા હતા અને વાસગૃહમાં વિષધૂમને પ્રયોગ કર્યો હતો. પરિજનેને રજા આપીને મેડી રાત્રે અમે વાસગૃહમાં ગયાં. સાધુઓના ગુણમાં રત એવાં અમે ઝેરી ધૂમાડાથી શરીરની ધાતુઓ દ્વષિત થતાં કાલધર્મ પામીને અહીં ઉત્તર કુરમાં આવ્યાં. છે આ! જે નિર્નામિકા, જે સ્વયંપ્રભા અને જે શ્રીમતી તે હું જ છું એમ જાણે. જે મહાબલ રાજા, જે લલિતાંગક અને જે વજા જંઘ રાજા તે તમે છો. તમે આ રીતે જેનું નામ પિકાર્યું, તે હું સ્વયંપ્રભા છું.” પછી સ્વામીએ કહ્યું, “આયે! દેવેદ્યોતના દર્શનથી પૂર્વજન્મનું સ્મરણ થતાં “ તું દેવભવમાં છે એવું મને ચિન્તન થયું, એથી તને સ્વયંપ્રભા કહીને મેં બોલાવી. તેં જે કહ્યું છે તે સર્વ સત્ય છે.” પછી જેમનું માનસ પરિતુષ્ટ થયું છે તથા પૂર્વ ભવના સ્મરણથી જેમને નેહ દઢ બન્યા છે એવાં તે બન્ને જણાં સુખપૂર્વક વિષયસુખ જોગવતાં ત્રણ પલ્યોપમ સુધી જીવીને કાલધર્મ પામી સૌધર્મ કલ્પમાં દેવ થયાં. ત્યાં પણ તેમની વચ્ચે પરમ પ્રીતિ હતી. ત્રણ પાપમનું આયુષ્ય ભેગવી ત્યાંથી આવીને સ્વામી પિતામહ(શ્રીષભદેવ)ને આત્મા વત્સાવતી વિજયમાં પ્રભંકરા નગરીમાં સુવિધિ વૈદ્યને પુત્ર કેશવ નામે થયે અને હું શ્રેષિપુત્ર અભયઘોષ થયા. ત્યાં પણ અમારી નેહાધિતા હતી. તે નગરમાં રાજપુત્ર, પુરોહિતપુત્ર, મંત્રીપુત્ર અને સાર્થવાહપુત્ર હતા, તેમની સાથે અમારે મૈત્રી થઈ. એક વાર એકત્ર થયેલા અમે પ્રતિમા ધારણ કરીને રહેલા અને કૃમિ-કોઢવાળા સાધુને જોયા. આથી અમે પાંચે જણાએ કેશવને પરિહાસપૂર્વક કહ્યું, “તમારે આવા તપસ્વીઓની ચિકિત્સા ન કરવી, જે ધનવાન લેક હોય તેની જ સારવાર કરવી.” એટલે તે બે, “મિત્રો! અમારે તો ધાર્મિક જનેને નીરોગી કરવા જોઈએ, એમાંયે વિશેષ કરીને સાધુઓની સેવા કરવી જોઈએ. ૧. યુગલિક સ્ત્રીની આત્મકથા અહીં પૂરી થાય છે. કથાના અનુસંધાન માટે જુઓ પૃ. ૨૧૫. - ૨. અર્થાત યુગલિક પુ. સ્વામી કહેવાનું કારણ કે એ પ્રીષભદેવને આત્મા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy