SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ધુમતી લાક [ ૩૫૩ ] 66 પાડા શાથી આ પ્રમાણે રહેલા છે પ્રણામ કરે છે? ” એટલે શેઠે કહ્યું, “ આ ભદ્રંક મહિષ તમારી પાસે અભય માગે છે. ” રાજાએ વિસ્મયપૂર્વક તેને જોયા અને કહ્યુ, “તિય ચ ચેાનિમાં આ આશ્ચર્ય છે, ભદ્રક ! તને અભય આપવામાં આવે છે. જા, જનપદેા સહિત મારી નગરીમાં તું સુખ પડે તેમ વિચર. ” પછી રાજાએ અમાત્યને આજ્ઞા આપી, “ નગરીમાં ઢઢા પિટાવા કે—જેને અભય આપવામાં આવ્યુ છે એવા ભદ્રક મહિષના જે અપરાધ કરશે તે મારા જ્યેષ્ઠ પુત્ર હશે તેા પણ મારે માટે વધ્યુ છે. ” અમાત્યે પણ રાજાની આજ્ઞા પ્રમાણે ઢંઢેરા પિટાન્યા. પ્રણામ કરીને મહિષ રાજભવનના આંગણામાંથી નીકળ્યેા. ‘ખરેખર આ ભદ્રક-ભલા છે' એ પ્રમાણે લેાકેામાં પણ તે પ્રસિદ્ધ થયા. તેનાં શિગડાં ઉપર વળગીને ક્રીડાપૂર્વક ભુસ્કા મારતાં ખાળકા વડે હેરાન કરાતા હૈાવા છતાં, જાણે પેાસ્તમયલેખ્યક ના બનાવેલા હાય તેમ, તે તેને પીડા કરતા નહાતા. શેઠના ઘરમાં તે તે પ્રિય પુત્ર જેવા હતા અને ગુરુના ઘેર જેમ શિષ્ય રહે તેમ રહેતા હતા. સુખપૂર્વક ફરીને રાત્રિના સમયે તે પાછા આવતા હતા. એક વાર મૃગધ્વજ કુમાર પેાતાના પરિવાર સહિત ઉદ્યાનની શાભા અનુભવીને નગ રમાં પાછા આવતા હતા. નિશ્ચિતપણે ફરતા ભદ્રક મહિષને તેણે જોયા. પછી તેના દર્શીનમાત્રથી જેને રાષ ઉત્પન્ન થયા છે. એવા મૃગધ્વજે તલવાર મ્યાનમાંથી બહાર કાઢીને તેના પગ ઉપર એક ઘા કર્યાં. ક્રોધયુક્ત એવા તે ફરીવાર પ્રહાર કરવાને ઇચ્છતા હતા, પણ તેના માણસાએ પગે પડીને તેને અટકાવ્યે કે, “ દેવ ! આ પાડાને મહારાજાએ અભય આપેલુ છે, માટે તમે એના વધ કરવાને ચેગ્ય નથી. જવા દે. ” પછી આનાકાનીપૂર્ણાંક અટકીને તે નગરીમાં આવ્યે અને પેાતાના ભવનમાં રહ્યો. પાડા ત્રણ પગે ચાલીને દુ:ખપૂર્વક અનાથસ્ત ંભ આગળ પહેાંચ્યા. જેમને અનુકંપા થઇ છે એવા લેાકેાએ તેને જોયા. તેઓએ હાહાકાર કર્યો કે, “ અહા ! અકાર્ય થયું છે કે-બિચારા નિરપરાધી ભદ્રકની આ દશા કરવામાં આવી છે.” જેમણે કારણુ જાણ્યુ છે એવા અધિકારીઓએ નિર્દે શપૂર્વક રાજાને નિવેદન કર્યું કે, “ સ્વામી ! જેને અભય આપવામાં આવેલું છે એવા ભદ્રંક મહિષના એક પગ કુમારના મનુષ્યાએ કાપી નાખ્યા છે. ત્રણ પગ વડે ચાલીને તે અનાથસ્તંભ આગળ આવીને ઊભેા રહ્યો છે. આ ખાખતમાં સ્વામીની આજ્ઞા પ્રમાણુ છે. ” એટલે ક્રુદ્ધ થયેલા રાજા કહેવા લાગ્યા, “આ અપરાધમાં કુમાર મારે માટે વધ્યુ છે. જે મારા શાસનના ભંગ કરે તેનાં માણસાનું મારે કામ નથી. ( તાડના ) મસ્તક–ટાચ ( ઉપરની સૂચિ—મૂળના નાશ થાય તેા તાડના પણ નાશ થાય છે. ” અમાત્યે વિનંતી કરી, ૧, જે અનાથ વ્યક્તિને કઈ ફરિયાદ કરવી હાય તે અનાથસ્તભ નામથી ઓળખાતા સ્થાને જઈને ઊભી રહે એવી પ્રથા હાવી જોઈએ. ૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy