SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ બાલચન્દ્રાલ ભક [ ૩૨૯ ] તે કાળા કરીને હું ધરણુ થયા. સંજયતે પણુ અપૂર્વ સંવેગથી નવ પૂર્વના અભ્યાસ કર્યો અને જિનકલ્પની પરિકણા–અભ્યાસ નિમિત્તે ભાવના વડે ભાવિત આત્માવાળા તે એકાકી વિહાર કરવા લાગ્યા. પછી ઉત્તમ વી થી જેણે પેાતાની કાયા વાસરાવી છે એવા તથા ત્રણ પ્રકારના ઉપસર્ગ સહન કરનાર અને પ્રતિમામાં રહેલા સંજયંતને વિષ્ણુર્દૂ અહીં લાવ્યેા. એ સંજયંત મારા મેટા ભાઇ છે.” આ પ્રમાણે ધરશે કહ્યું. પછી વિશુદ્ધ થયેલી લેશ્યાવાળા, અપ્રતિપાતી એવા સૂક્ષ્મક્રિયા નામે શુકલધ્યાનમાં રહેલા ભગવાન સંજયંતને માહનીય કા તથા જ્ઞાનાવરણીય, દર્શોનાવરણીય અને અંતરાય કર્માંના ક્ષય થતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તેમની પૂજા કરવાને દેવા અને વિદ્યાધરા આવ્યા. 55 ફરી પાછા ( વિદ્યાધરા ) દેવને ( નાગરાજને ) પૂછવા લાગ્યા, “ સ્વામી ! કહા, વિદ્યર્દૂ આ સાધુને અહીં શા માટે લાવ્યેા હતેા ? ” એટલે નાગરાજે કહ્યું, “ અમે જઇએ છીએ, સર્વજ્ઞ ભગવાન તમને એ બધુ... વિશેષપૂર્વક કહેશે. ' પછી તેઓ કેવલીની પાસે ગયા, અને વિનયપૂર્વક પ્રદક્ષિણા કરીને બેઠા. જેમણે સર્વ ભાવા જાણ્યા છે એવા મુનિ દેવા, અસુરા અને વિદ્યાધરોને ધર્મ માર્ગ અને ધર્મ માર્ગનું ફળ કહેવા લાગ્યા. જેમકે-“ અનાદિ સંસારરૂપી અટવીમાં ભ્રમણુ કરતા, વિવિધ પ્રકારના ઉપદ્રવથી હેરાન થયેલા, સાચી વસ્તુ નહીં જાણતા અને સુખની ઇચ્છા રાખતા જીવને જ્ઞાનાતિશય રૂપી સૂર્યના તેજ વડે સર્વ ભાવેશને પ્રકાશિત કરનારા અરિહંત ભગવંતાએ સમ્યક્ત્વ, જ્ઞાન અને ચારિત્ર્ય વડે વિશિષ્ટ એવા ધર્મ માર્ગ ના ઉપદેશ કરેલા છે. કર્મની લઘુતા વડે જેને ઉત્સાહ ઉત્પન્ન થયેલેા છે એવા, ( ધર્મ માર્ગને ) પ્રાપ્ત થયેલા, જેણે ગુણ-દોષ જાણ્યા છે એવા, ખરાબ માના ત્યાગ કરનારા, સ’સારરૂપી અટવીના પાર પામી ગયેલા અને જેણે કર્માં ખપાવ્યાં છે એવા જીવ ચારિત્ર્યરૂપી ભાતાની પ્રાપ્તિદ્વારા નિર્વાણરૂપી નગરમાં પહેાંચે છે, તે ધર્મ માર્ગનુ ફળ છે. ” એટલામાં વિદ્યાધરા પ્રણામ કરીને કેવલીને પૂછવા લાગ્યા, ભગવન્ ! વિદ્યુ ંબ્લૂ આપને અહીં શા કારણથી લાખ્યા હતા ? ’” એટલે કેવલી કહેવા લાગ્યા, << રાગ અને દ્વેષને વશ થયેલાં પ્રાણીઓને પ્રયેાજનવશાત કેપ અને પ્રસન્નતા થાય છે. વીતરાગ ભાવને લીધે મને તે એમાંથી એક પણ વસ્તુ નથી. એથી મારા અને તેના વેરાનુબંધ કહું છું ” વિદ્યાધરાએ કહ્યું “ (એ વૈરાનુબંધ) કેવી રીતે (થયા) ? ” એટલે જિન કહેવા લાગ્યા વિદ્યુષ્ય અને સ ંજયતના પૂર્વ ભવને વૈસ બધ— ,, “ આ જ ભારતવર્ષમાં સિંહપુર નગરમાં સિંહુસેન નામે રાજા હતા. સ્ત્રીજનામાં ૪૨ Jain Education International 66 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy