SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૩૦ ] વસુદેવ-હિંડી :: પ્રથમ ખંડ : મુખ્ય અને અકૃષ્ણ (પવિત્ર) માનસવાળી તેની રામકૃષ્ણ નામે ભાર્યા હતી. તેને હિતેચ્છ શ્રીભતિ નામે પુરોહિત હતો. તેની પત્ની પિંગલા નામે હતી. તેઓની સાથે રાજા રાજ્યનું શાસન કરતો હતો. એક વાર વહાણમાગે સમુદ્રને પ્રવાસ કરવાની ઈચ્છાવાળો પશ્વિનીખેટનો વતની ભદ્રમિત્ર સાર્થવાહ સિંહપુર આવ્યું. તેણે વિચાર કર્યો; “સમુદ્રને પ્રવાસ વિધિથી ભરેલો છે, માટે બધું જ દ્રવ્ય લઈને જવું મારે માટે સારું નથી; વિશ્વાસપાત્ર કુળમાં એ દ્રવ્ય થાપણ તરીકે હું મૂકીશ.” તેણે શ્રીભૂતિ પુરોહિતને (વિવાસપાત્ર) જા. તે બહુમાનપૂર્વક શ્રીભૂતિ પાસે ગયે, વિનંતી કરતાં આનાકાનીપૂર્વક પુરોહિતે (થાપણ રાખવાનું) સ્વીકાર્યું. સીલ કરીને થાપણ મૂકવામાં આવી. પછી વિશ્વસ્ત એ સાર્થવાહ ગયા અને વેલાપત્તન(બંદર) ઉપર પહોંચે. વહાણ તૈયાર થયું અને પૂજા કરવામાં આવી. સમુદ્રના અનુકૂળ પવન વડે એક બંદરથી બીજા બંદરે જતું તે વહાણ, અપુણ્ય જનના મનોરથની જેમ નાશ પામ્યું અને પવનથી થયેલા પાણીના પરપોટાની જેમ (સમુદ્રમાં) વિલીન થયું. એક લાકડાના પાટિયાને આધારે ભદ્રમિત્ર સાર્થવાહ જેમ તેમ કરીને કિનારે પહોંચે. અનુક્રમે તે સિંહપુર ગયે અને પુરોહિતના ભવનમાં પ્રવેશે, પણ કલુષિત બુદ્ધિવાળા શ્રીભૂતિએ તેને ઓળખે નહીં-ઓળખાણ સ્વીકારી નહીં. અનેક પ્રકારે ખુશામદ કરવા છતાં તેણે એ વસ્તુ સ્વીકારી નહીં. પુરોહિતે તિરસ્કાર કરતાં તે રાજકુલમાં ગયે. ત્યાં પણ પ્રવેશ નહીં મળતાં દરરોજ રાજકુલના દ્વાર આગળ “પુરોહિત મારી થાપણ ઓળવે છે” એ પ્રમાણે પોકાર કરવા લાગ્યો. રાજાએ શ્રીભૂતિને પૂછયું કે, “આ શું છે?” તે બોલ્યો “સ્વામી ! ચિત્તભ્રમ થયો હોવાથી આ તે પ્રલાપ કરે છે. આપ જાણે છે કે હું તો વિપુલ ધનનું દાન કરું છું.” પછી રાજદ્વારમાં પ્રવેશ નહીં પામતો અને વિલાપ કરતે તે ભદ્રમિત્ર ભમતો હતો, અને રાજદ્વારે પોકાર પાડતા હતા કે “મારું રક્ષણ કરો.' આ સાંભળીને રાજા સિંહસેને મંત્રીને બોલાવ્યો અને કહ્યું “એના આ કાર્યની બાબતમાં તપાસ કરો.” મંત્રી રાજાની આજ્ઞાથી તેને પિતાને ઘેર લઈ ગયો અને બધું પૂછયું, તેનું કથન લખી લીધું અને તેને જમાડ્યો. કેટલાક દિવસ પછી ફરી પૂછયું, તે તેણે એજ વસ્તુ કહી. સુબુદ્ધિએ (મંત્રીએ) રાજાને નિવેદન કર્યું કે “એજ કારણ છે ” રાજા બોલ્યા, “પણ કયા ઉપાય વડે કહી શકાય ?” મંત્રીએ વિનંતી કરી, “સ્વામી ! તમે શ્રીભૂતિ સાથે છૂત રમવાની ગોઠવણ કરીને પછી મુદ્રાની અદલાબદલી કરો. પછી કઈ ન્હાને અંદરના ઉપસ્થાનગૃહ-દીવાનખાનામાં જઈને નિપુણુમતિ પ્રતિહારીને મુદ્રા હાથમાં આપીને પુરોહિતને ઘેર મોકલે. મુદ્રા સાથે કહેવડાવેલા સંદેશાથી પુરોહિતની પત્ની અવશ્ય થાપણુ આપી દેશે.” મંત્રીએ કહ્યું હતું તે પ્રમાણે રાજાએ કર્યું. પુરોહિતની ૧ મૂળમાં અસંપુનગમળોદ્દો છે. પણ મેં મgorગામોરો પાઠ લીધો છે, તથા સંપત્તિ સંપત્તોને સ્થાને વિપëિ સંvો પાઠ લીધે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy