SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ બંધુમતી સંભક [ ૩૪૭ ] વિવિધ કથાઓ શરૂ થઈ. મેં કહ્યું, “મને ધર્મોપદેશ કરો.” પછી તેઓએ સેવાલી ઋષિએ ઉપદેશેલે ધર્મ મને કહ્યો. ( વળી તેઓએ કહ્યું, “હે સેમ્ય ! આ ઉપરાંત બીજું સાંભળપ્રિયંગસુન્દરીને પરિચય ઉત્તમ વાતુ-નિવેશવાળી શ્રાવસ્તી નગરી છે. ત્યાં રાજાનાં લક્ષણેથી યુક્ત એણપુત્ર નામે રાજા છે. પ્રિયંગુનાં નવાં પુપની રાશિ સમાન (કાન્તિવાળી), લોકોનાં નયને માટે ઉત્સવ સમાન, ઉપભેગને યોગ્ય કુસુમિત ચંપકલતા જેવી, યુવતિજનોના સારભૂત રૂ૫ વડે નિર્મિત થયેલી લક્ષમી જેવી પ્રિયંગુસુન્દરી નામે પુત્રી છે. સંતુષ્ટ થયેલા પિતાએ તેને માટે સ્વયંવરને આદેશ કર્યો હતો. એક વાર આમંત્રેલા રાજાઓ તેમને આપવામાં આવેલા ઊતારાઓમાં રહ્યા. સારા દિવસે તેઓ (સ્વયંવરના) મંચ ઉપર બેઠા. સર્વે અલંકારોથી વિભૂષિત થયેલી રાજકન્યા પણ સ્વયંવરમંડપમાં પ્રવેશી. શરદઋતુના પ્રારંભકાળમાં ઊગેલી ચંદ્રલેખા જેવી તેને ક્ષત્રિયએ જોઈ. હદયના એકમાત્ર ભાજનરૂપ તેણની ઉપર ( ની) દષ્ટિ પડી. તેના રૂપતિશયથી વિચિમત થયેલા ક્ષત્રિય અનિમિષ નયનવાળા થયા. તેણે પણ રાજઓનું અવલોકન કર્યું, પણ કેઈ તેને એ નહીં. પાછી વળીને તે કન્યા, સમુદ્રના જળનાં મોજાં અથડાવાથી વળેલી નદીની જેમ, નગરમાં પ્રવેશી. “શું એક પણ ક્ષત્રિય તે કન્યાને રુપે નહીં ?' એમ બોલતા રાજાઓ ખળભળી ઊઠ્યા. તેઓએ એણપત્ર રાજાને કહ્યું, “તે રાજાઓનો અનાદર કેમ કર્યો ? આટલા બધા કુમારો બતાવવામાં આવ્યા, પણ તેમાંથી કોઈને (કન્યાએ) પસંદ કર્યો નહીં. ” એણી પુત્રે કહ્યું, “ જેને સ્વયંવર આપવામાં આવ્યું છે એવી કન્યા ઉપર મારો અધિકાર નથી. આમાં તમારે અનાદર કયાં થયો છે ? ” એટલે ક્રોધે ચડેલા રાજાઓ બોલ્યા, “ તું દુર બોલે છે; પરાક્રમને જય થાય છે; અમે બળ વાપરીએ તો અવશ્ય તે અમને વરશે.” એણીપુત્રે કહ્યું, “ પરાક્રમને જય થાય છે કે નથી થતો તે તો યુદ્ધમાં સ્પષ્ટ થશે. જે વિના કારણે ક્રોધ કરતા હો તે જેમ તમને રુચે તેમ કરે. ” એમ કહીને તે નગરમાં ગયા અને દરવાજા બંધ કર્યા એટલે રાજાએ કવચ પહેરીને તૈયાર થયા. એણપુત્ર પણ સૈન્ય સહિત બહાર આવ્યું. એક (એણીપુત્ર) અને ઘણા રાજાનું યુદ્ધ શરૂ થયું. તે અમને અદ્દભુત જેવું લાગતું હતું. કન્યાના રૂપથી હરાયેલા હૃદયવાળા, કીધયુક્ત અને જયની ઈચ્છાવાળા ક્ષત્રિયે યુદ્ધ કરતા હતા, પણ મહાસવવાળા એણપુત્ર વડે પરાજ્ય પમાડાયેલા તેઓ, સિંહથી ત્રાસ પામેલા હાથીઓની જેમ, ૧. આ વાકેને અર્થ અનુમાનથી કરેલ છે. ૨. આ પછી શુરૂદ્વીચ વ સલ્લા એ વાક્યખંડને અર્થ સમજાતું નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy