SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ લક્ષિતશ્રી લલક [ ૪૭૧ ] તથા સહેજ ખુદ્દા વદનવાળા પરિવ્રાજકને મે જોયા. પછી ઘણીવારે તેણે મારા ઉપર નજર માંડી. ‘ આ દીક્ષિત અને વૃદ્ધ છે' એમ માનીને મેં પણ તેને વંદન કર્યા. તેણે મધુર વાણીથી મને કહ્યું, “ ભલે આવ્યા ! અહીં વિશ્રામ કરો. ” 66 પ્રકૃતિ-પુરુષના વિચાર ** બેસીને મેં તેને પૂછ્યું, “ભગવન્ ! તમે શેનુ ચિન્તન કરતા હતા ?” તે એલ્યે, “ ભદ્રમુખ ! હું' પ્રકૃતિ-પુરુષનુ ચિન્તન કરતા હતા. ” મેં કહ્યું, “તમારું પ્રકૃતિ-પુરુષનું ચિન્તન કેવુ છે ? ” એટલે તે કહેવા લાગ્યા, “ પુરુષ ચેતન, નિત્ય, અક્રિય, ભ્રાહ્તા અને નિર્ગુણુ છે. તેને પણ શરીરને આશ્રીને બંધ થાય છે અને જ્ઞાનથી મેાક્ષ થાય છે. પ્રકૃતિ સત્વાદિષ્ણુયુક્ત, અચેતન, સક્રિય અને પુરુષને ઉપકાર કરનારી છે. ’’ મેં કહ્યું, “ ભઈત! આ પ્રકારનું ચિન્તન કેાણ કરે છે ? ” તે મેલ્યા, “ પ્રકૃતિના વિકારરૂપે બનેલુ મન. ” મેં કહ્યું, “ તમને જો વાંધા ન હાય તા, આ સંબ ંધમાં વિચાર કરવા યેાગ્ય છે. સાંભળે!–અચેતન એવા મનને પુરુષ અથવા પ્રકૃતિને આશ્રીને ચિન્તન સંભવી શકે નહીં. પુરુષમાં રહેલી ચેતના વિસ્મરણશીલ નથી, તેથી તે મનને ભાવિત કરવા-જ્ઞાનમય કરવા અસમર્થ છે, જો ચેતના મનને ભાવિત કરનારી અને તેા મન પુરુષ થાય; પણ એમ થતું નથી. અનાદિ કાળથી બનેલા અને અપરિણામી-નિત્ય એવા પુરુષને જો (આ પ્રકારનું) ચિન્તન ઉત્પન્ન થાય, તેા પૂર્વ ભાવના પરિત્યાગથી અને ઉત્તરભાવ-પછીના ભાવના સ્વીકારથી ભાષાન્તરને પ્રાપ્ત થયેલા તે (પુરુષ-આત્મા ) અનિત્યતાને પામે. જો એમ થાય તેા તેથી ( તમારા ) સિદ્ધાન્તને વિરોધ થાય છે. મનના ચિન્તનને આશ્રીને જે રીતે વિચાર કર્યો તેજ વસ્તુ અહીં પ્રકૃતિના સંબ ́ધમાં સમજવી; (કારણ કે તમારા મત મુજબ, મન પ્રકૃતિના જ વિકાર છે). અચેતન એવા ઘટાદિનું પુરુષ કે પ્રકૃતિ સંબંધમાં અથવા બન્નેના સંબંધમાં ચિન્તન ઘટી શકે નહીં એ વસ્તુ જોવામાં આવેલી છે-સિદ્ધ છે. ” એટલે પરિત્રાજક કહેવા લાગ્યા, “ પ્રકૃતિ-પુરુષના સર્ચંગ થતાં આ સર્વ ચૈાગ્ય થશે; પ્રકૃતિ અને પુરુષ એ બન્ને એકલાં હાય તેા તેમના નિયત પરિણામ--નિયત સ્વભાવ આ વસ્તુ માટે અસમર્થ રહેશે. પુરુષ ( સચેતન છે), પ્રકૃતિ અચેતન છે; સારથિ અને અશ્વના સામર્થ્ય વડે રથની ગતિની જેમ, એ બન્નેના સ ંચાગથી ચિન્તન ઉત્પન્ન થશે. ” મેં કહ્યું, “ જે પરિણામી બ્યા હાય છે તેમાં જ આ વિશેષ સભવે છે, જેમકે-મેળવણુ અને દૂધના સંચાગથી દહીંના પિરણામ થાય છે. રથની ક્રિયા-ગતિના હેતુરૂપ જે સારથિ અને અશ્વ તમે કહ્યા તેઓ ચેતના વડે પ્રેરાયેલા પ્રયત્નને પ્રાપ્ત થાય છે ( તેથી રથ ચાલે છે—એમાં આત્મા વિષે શું થાય છે ? ). ” પરિવ્રાજકે કહ્યુ, “ અંધ અને પશુના સંચાગ વડે ઇચ્છિત સ્થાન પ્રત્યેના ગમનની જેમ, ધ્યાન કરતા પુરુષને ચિન્તન ઉત્પન્ન ૧. કારણ પરિત્રાજકના મત મુજબ મન એ પ્રકૃતિના વિકાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy