SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - [ ૪૧૮ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : તેજ આરાધના કરવા લાગે); સહસ્રરમિ તેનું રક્ષણ કરતા હતા. આ પ્રમાણે અમિતતેજની વિદ્યાના સાધન માટેની તૈયારી હતી. આ બાજુ, શ્રીવિજયને આવેલે જાણીને અશનિષે પોતાના યુદ્ધસજજ પુત્રો શતષ, સહસૉષ, મહાઘેષ, ભીમશેષ આદિને મોટી સેના સાથે મોકલ્યા. તેમની તથા પરિવાર સહિત શ્રીવિજયની વચ્ચે એક માસથી કંઇક ઓછા સમય સુધી સ્વાભાવિક તેમજ વિદ્યાવિકપિત તથા શસ્ત્રોથી સંકુલ એવું યુદ્ધ થયું. અશનિષના પુત્ર નાસી ગયા. પછી તેમને નાઠેલા જોઈને અત્યંત રોષ પામેલે અશનિષ વિદ્યાધરોની સાથે નીકળે. તે શ્રીવિજયની સામે આવ્યો. રેષાવિષ્ટ તથા જેને પ્રહાર નિષ્ફળ જતે નથી એવા શ્રીવિજયે તેના ઉપર ખડ્ઝથી ઘા કર્યો અને બે ટુકડા કર્યા, એટલે બે અશનિષ થયા. ફરી પાછો શીઘ્રતાથી ઘા કર્યો, એટલે તે બન્નેના ચાર અશનિષ થયા. એ પ્રમાણે જેમ જેમ પ્રહાર કરવામાં આવતો તેમ તેમ અશનિઘોષની સંખ્યા વધતી. અનેક અશનિષ જઈને વિસ્મિત થયેલ શ્રી વિજય પ્રહાર કરતાં થાકી ગયે. માયાવી અશનિષે ભયંકર પરાક્રમથી શ્રીવિજયની સેનાને પરાજિત કરી. હવે, તે સમયે અમિતતેજને મહાજાલિની વિદ્યા સિદ્ધ થઈ. એટલે તે જલદી ચમરચંચા આવ્યું. અમિતતેજને આવતે જોઈને શ્રીવિજયના પક્ષની કુમારસેનાને (અમિતતેજના પુત્રની સેનાને) ધીરજ આવી. હવે, તે અશનિષ સિદ્ધ વિદ્યાવાળા અને મહાપ્રભાવવાળા અમિતતેજને જોઈને, હદયમાં ડર પામીને, સર્વ જનનો ત્યાગ કરીને નાસી ગયે. તેના પક્ષના વિદ્યાધરો પણ સર્વ દિશાઓમાં નાસી ગયા. “ જ્યારે તેઓ પલાયન ન કરે ત્યારે તેમના ઉપર આક્રમણ કરજે” એમ કહીને અમિતતેજે મહાજાલ વિદ્યાને રજા આપી. “એને તું છોડીશ નહી” એમ કહીને અશનિષ ઉપર વિદ્યામુખી વિદ્યા મૂકી. મહાજાલ વિદ્યાથી મોહિત થયેલા અને જેમની ગતિમાં ભંગ થયે છે એવા વિદ્યાધર શરણાગત વત્સલ અમિતતેજને શરણે આવ્યા. વિદ્યામુખી વિદ્યા વડે પી છે કરાતે અને શરણસ્થાન નહીં પામતે અશનિષ દક્ષિણાર્ધભારતમાં ઊતર્યો. ત્યાં સીમણગ પર્વત ઉપર નાભિરાજાના પુત્ર, પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવનું આયતન છે, તથા ભગવાનના સમોસરણ-સ્થાનમાં ગજ ધ્વજ સ્થાપવામાં આવે છેત્યાં તે પહં. ચૌદ પૂર્વરૂપ સમુદ્રના પારગામી થયેલા અને ઉત્તમ સંયમ ગ વડે પિતાની જાતને ભાવતા તથા તે સમયે, તે પ્રદેશમાં એકરાત્રિકી મહાપ્રતિમા સ્વીકારીને રહેલા અચલ બલદેવને મોહનીય, જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય કર્મો ક્ષીણ થતાં વિમલ, અનંત અને અપ્રતિપાતી એવું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. નજદીકમાં રહેલા દેવ ઉત્સવ કરવાને આવ્યા. દેવસંપાતને જોઈને અભિનંદન, જગવંદન, જવલન જટી, અર્ક કીર્તિ, પુષકેતુ, વિમલમતિ આદિ એ ચારણશમણે આવ્યા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy