SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ કેતુમતી સંભક [ ૧૭ ] મારા પિતાએ તેને કહ્યું કે, “ તમારે શેક ન કરે, થોડા સમયમાં તે અશનિષ તમારે પગે પડશે.” એ સમયે તમને સમાચાર આપવા માટે મારા પિતાએ મને મોકલ્યા.” પત્રની જેમ પ્રમાણપૂર્વક કુશળ સાંભળીને રાજમાતા સ્વયંપ્રભાએ બને નૈમિત્તિકને સત્કાર કર્યો. “દૂત મોકલજે” એ પ્રમાણે વિજયભદ્રને સૂચના આપીને, મરીચિ મહત્તરક તથા દીપશિખ નૈમિત્તિકની સાથે તે આકાશમાર્ગે ઊડી અને તિવનમાં ગઈ. બૃહસ્પતિ સહિત ચન્દ્ર હોય તેવા, સંન્નિશ્રોત્ર સહિત શ્રીવિજયને તેણે જોયો. તેણે માતાને પ્રણામ કર્યા. માતાએ પણ આંસુ સારીને તેને અભિનંદન આપ્યાં, એટલે તેણે જે અનુભવ્યું હતું તે કહ્યું. એટલામાં યુવરાજ-વિજયભદ્ર સૈન્ય સહિત આવી પહોંચે અને પ્રણામ કરીને વિનવવા લાગે, “વિવાદથી બસ કર, હવે સુતારા દેવીને છોડાવવાનો ઉપાય વિચારો.” તેનું સમર્થન કરી રાજાએ તેને પાછો પોતાના નગરમાં મોકલ્યા. પિતાના સહિત પાંચમી શ્રી વિજય ગગનમાર્ગે જલદી જઈને રથનપુરચક્રવાલ નગરમાં પ્રવેશ્યા. તેઓ અમિતતેજને મળ્યા અને બધી વાત તેને નિવેદન કરી. તે વૃત્તાન્ત સાંભળીને સંબ્રાન્ત થયેલા અમિતતેજે શ્રીવિજય સાથે નક્કી કરીને તથા મંત્રીઓ સાથે મંત્રણા કરીને મરીચિ દૂતને ચમરચંચા નગરીમાં અશનિષ પાસે મોકલ્યો. તેણે સૂચના મુજબ અશનિઘોષને કહ્યું કે, “સુતારા દેવીને મોકલે. ” પણ અશનિષે તે સ્વીકાર્યું નહીં. પછી, “આ વસ્તુ તમારે માટે હિતકારી નથી ” એમ કહીને દૂત પાછો વન્ય અને અમિતતેજને વાત કરી. તે સાંભળીને શુદ્ધ થએલા તેણે યુદ્ધના આરંભની તૈયારી કરી. શ્રીવિજયને તેણે વિદ્યાઓ આપી–પ્રહરણાવરણ અને બંધનમાની. એમાંની પ્રત્યેક વિદ્યા સાત રાત્રિ સુધી જાપ કરીને તેણે સાધી. વિદ્યાસિદ્ધ એવા શ્રીવિજયને અમિતતેજે (પિતાના) પુત્રની સાથે મોકલ્યા. આ સામંતે પણ મોકલ્યા, જેમકે રશ્મિવેગ, અમિતવેગ, આદિત્યયશ, અર્ક કીર્તિ, અર્કરથ, એકરથ, ચિત્રરથ, ભાનુસેન, ભાનુપ્રભ, ભાનુવેગ, ભાનુદેવ, અર્કપ્રભ, અર્કદેવ, દિવાકરપ્રભ, દિવાકરેદેવ, પ્રભાકર વગેરે પાંચસે અને બીજા પણ બળવાન વિદ્યાધરે (મોકલવામાં આવ્યા). તે મહાપ્રભાવશાળી વિદ્યાધર વડે વીંટળાયેલે શ્રી વિજય અમરચંચા ગયે. અશનિષને વિદ્યામાં પિતાનાથી અધિક જાણીને અમિતતેજ રાજા સર્વ વિદ્યાનું છેદન કરનારી મહાકાલ વિદ્યાની સાધના માટે તૈયારી કરવા લાગ્યો. પછી તે સહસ્રરમિ–સૂર્ય સમાન પોતાના પુત્ર સહસ્રરમિ સાથે વિદ્યાસાધન માટે) હીમંત પર્વત ઉપર ગયે. ત્યાં ભગવાન સંજયંત અને નાગરાજ ધરણની પ્રતિમાઓ છે. તેમના ચરણમાં માસિક ભક્તથી, સસરાત્રિકી પ્રતિમાથી (અમિત ૧. સંભિન્નોત્ર અને દીપશિખ એ બે નૈમિત્તિક, મરીચિ મહત્તરક, રાજમાતા સ્વયંપ્રભા અને શ્રી વિજય પિત–એ પ્રમાણે પાંચ જણ. ૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy