SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ પડ્યા લંભક [ ૨૬૩ ] એટલે યેગાચાર્ય–ઉપાધ્યાય મને કહેવા લાગ્યા, “ભરતરાજાના માણવક નિધિએ શસ્ત્ર અને કવચની રચના પ્રવર્તાવી એમ તમે કહે છે તે ઠીક છે, પણ શસ્ત્રોના સંધાનમાં, શસ્ત્રોને વછોડવામાં તથા રણમાં આત્મા પ્રમાણ છે” એમ તમે કહ્યું તે બરાબર નથી. પંચ મહાભૂતોના સમવાયથી ભિન્ન કેઈ આત્મા ઉપલબ્ધ થતો નથી. સર્વ જગત ભૂતમય છે. ભૂતે એકત્ર થતાં તે તે કાર્યોમાં પ્રયોજાય છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ-એ નામથી ભૂતે ઓળખાય છે. શરીરમાં જે સ્થિર ભાવ છે તે પાર્થિવ–પૃથ્વીનો છે, જે પ્રવાહી છે તે જળને છે, જે ઉષ્મા છે તે અગ્નિની છે, જે ચેષ્ટા છે તે વાયુની છે, અને જે છિદ્ર છે તે આકાશનું છે. ઈન્દ્રિયે પણ એ ભૂતેમાંથી જ ઉત્પન્ન થાય છે–સ્રોત્રેન્દ્રિય આકાશમાંથી ઉત્પન્ન થયેલી હોઈ શબ્દને ગ્રહણ કરવામાં સમર્થ છે, ચામડી વાયુમાંથી બનેલી હેઈ સ્પર્શનું સંવેદન કરે છે, ચક્ષુ તેજમાંથી બનેલું હોઈ રૂપનું ગ્રહણ કરે છે, નાસિકા પૃથ્વીમાંથી બનેલી હોઈ ગંધનું ગ્રહણ કરે છે, અને જીભ જળમાંથી બનેલી હોઈ રસનો આસ્વાદ કરે છે. શરીરનો નાશ થતાં ભૂતો પોતપોતાના સ્વરૂપને પામે છે. ત્યાં તમે જેનું સ્વામિત્વ વર્ણવ છો તે આત્મા કયાં આવે? ભૂતો એકત્ર થતાં ચેતના પેદા થાય છે, જેમ મદ્યનાં અંગે (કારણ) એકત્ર થતાં ફેણ, પરપોટા અને શબ્દ પેદા થાય છે. મદ પેદા કરવાની શક્તિ એ મધથી ભિન્ન નથી, પણ તેમાંથી જ પેદા થયેલી છે, તેમ જ ભૂતને વિષયની પ્રતિષત્તિ-વસ્તુઓનું જ્ઞાન–થાય છે તે બાબતમાં પણ સમજવું. આત્માનું અસ્તિત્વ જ નથી.” મેં ઉત્તર આપે, “તમે કહો છો તે પ્રમાણે “ભૂતો એકત્ર થતાં ચેતના ઉત્પન્ન થતી હોય, અને એથી ભિન્ન એ કઈ આત્મા જ ન હાય” તે શરીરી આત્મા જેમ મઘનાં અંગોને સંગ તથા મદને નાશ (અથવા મદ અને તેનો નાશ) જાણે છે તેવી રીતે મધે પિતાને ગુણ પણ જાણવો જોઈએ. જેમ મઘનાં અંગોમાં કોઈક કાળે ફેણ, બુદુબુદ આદિ ક્રિયાઓ થાય છે તેમ શરીરી(આત્મા)ની બાબતમાં ચેતના સમજવી. જ્યાં સુધી આત્મા શરીરનો ત્યાગ કરતા નથી ત્યાં સુધી જ વિજ્ઞાન આદિ ગુણે રહે છે. જે ચેતના એ ભૂતન ગુણ હોય તો જ્યાં સુધી શરીરનો નાશ ન થાય ત્યાંસુધી સુખદુઃખનું સંવેદન થવું જોઈએ (પણ એમ થતું નથી). “પોતપોતાના વિષયોને ગ્રહણ કરનાર ઈન્દ્રિયો એજ આત્મ છે” એમ જે તમે કહેતા હો તે શ્રોત્રેન્દ્રિયના ઉપયોગ વડે વ્યકત શબ્દ સાંભળીને જીભ, એઇ, તાળવું અને દાંતના સંગથી પ્રયત્નપૂર્વક કે ઉત્તર જ ન આપે. શબ્દ સાંભળીને જે ચક્ષુને વિષય છે એવા રૂપમાં કોઈ શબ્દવેધી (નજરે જોયા વગર) બાણ ન મારે, જન્માન્તરમાં અનુભવેલા પદાર્થોનું પણ કોઈ સ્મરણ ન કરે. જાતિસ્મરણવાળા મનુષ્યની બાબતમાં એમ સાંભળવામાં આવે છે કે જાણે ઊંઘમાંથી જાગ્યા હોય તેમ તેઓ પૂર્વજન્મમાં અનુભવેલી વસ્તુઓ બતાવે છે. જે ભૂતને સંગ એજ શરીરને હેતુ હોય, અને પિતાનાં કર્મને વશવતી એવા આત્માનું કશું જ સામર્થ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy