SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - [ ૩૦૬ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : હતી તેવી પાછી લાવવાને તું જે સમર્થ ન હોય, તે હે ભાઈ! પરિશ્રમ બસ કર. મેં ભક્તિ કરી, અને તેને નિર્જરા પ્રાપ્ત થઈ. આ વ્યાધિસમૂહની ચિકિત્સા મેં જિનેપદિષ્ટ એવાં તપ-સંયમરૂપી ઔષધવડે આરંભી છે, જેથી એ વ્યાધિઓ ફરી ઉત્પન્ન જ ન થાય.” પછી સંતુષ્ટ થયેલા ઈન્ડે પિતાનું રૂપ દર્શાવ્યું, તથા ભગવાનને અભિનંદન તથા વંદન કરીને તે પિતાને સ્થાને ગયે. તે ભગવાન સનકુમારે સાતસો વર્ષ સુધી રેગપરીષહને સહન કર્યો. પછી સમાધિથી કાલધર્મ પામીને તે સનસ્કુમાર-ક૫માં ઈન્દ્ર થયા. સનકુમારમાં અવિચ્છિન્ન પ્રેમરાગવાળી પેલી સુષેણ પણ ઘણુ સમય સુધી શ્રમણ્ય પાળને કાળધર્મ પામી. સધર્મ ક૯૫માં દિવ્ય સુખ અનુભવ્યા પછી અવીને, હે મેઘનાદ! તે તારી પુત્રી તરીકે જન્મી છે, જે ચક્રવર્તીનું સ્ત્રીરત્ન થશે.” સુભૂમ ચક્રવર્તીને વૃત્તાન્ત ફરી પાછું મેઘનાદે કેવલીને પૂછયું, “ભગવદ્ ! તે ( મારી પુત્રીને થનાર પતિચક્રવતી ) ક્યાં છે?” ત્યારે કેવલીએ કહ્યું, “હસ્તિનાપુરમાં કાર્તવીર્ય નામે રાજા હતો. તેની મહાદેવી તારાને સુભૂમ નામે પુત્ર કોશિક ઋષિના આશ્રમમાં મોટે થાય છે. દેવી તારા તેમજ મહરિ અને શાંડિલ્ય(નામના મંત્રીઓ)વડે પાલન કરાતે તે સુખપૂર્વક વસે છે. મેઘનાદે પૂછયું, “કયા કારણથી તેને આશ્રમપદમાં લાવવામાં આવ્યો છે? અને કોણ લાવ્યું છે?” ત્યારે કેવલી વેરના કારણની ઉત્પત્તિ કહેવા લાગ્યા, “સાંભળ રાજા! જમદગ્નિ અને પરશુરામને વૃત્તાન્ત દક્ષિણાઈભરતમાં વારાણસી નામે નગરી છે. ત્યાં અગ્નિશિખર નામે રાજા હતા, અને તેની સંઘમતી નામે દેવી હતી. તેને કુમાર જો . તે સમયે બે નૈમિત્તિકોને પૂછવામાં આવ્યું, “કુમારનું જન્મનક્ષત્ર કહો.” એટલે તેમાંનો એક કહેવા લાગ્યા, “અત્યારે ભરણી નક્ષત્રની સમાપ્તિ થાય છે.” બીજાએ કહ્યું, “કૃત્તિકાનું આવાગમન થાય છે.” આ બનેનો વિચાર કરીને તેમજ બન્નેને સ્વીકાર કરીને કુમારનું જમદગ્નિ એવું નામ પાડવામાં આવ્યું, કેમકે ભરણને દેવ યમ છે અને કૃત્તિકાને દેવ અગ્નિ છે. આ પ્રમાણે તે કુમાર ઉછરવા લાગ્યા. અનુક્રમે યૌવનમાં આવતાં તેણે ચંદનવનમાં તાપસ તરીકે દીક્ષા લીધી, તથા સૂકાઈને પીળાં થઈ નીચે પડેલાં પુષ્પ-ફળને આહાર કરતો અને પંચાગ્નિ તાપનાથી પિતાની જાતને ભાવતો તે હજારો વર્ષ સુધી વિહર્યો. તે કાળમાં વારાણસીમાં ધવંતરિ અને વૈશ્વાનર એ બે સાર્થવાહ હતા. તેમાં ધવંતરિ શ્રમણોપાસક હતા. વૈશ્વાનર તાપસભક્ત હતો અને તેને મિત્ર હતો. ધવંતરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy