SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૪ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : ** ૧૧-૧w નારક પણ ઉદ્વર્તિત થઈને આ જ જંબદ્વીપમાં ઐરાવત વર્ષમાં અયોધ્યા નગરમાં શ્રી ધર્મ રાજાની સુસીમા દેવીમાં શ્રીદામ નામે કુમાર થયે. અનુક્રમે યૌવનમાં આવેલ તે વિહાર યાત્રામાં નીકળે. આદિત્યાભ-વિમાનવાસી દેવે પૂર્વ સ્નેહના અનુરાગથી તેને પ્રતિબંધ પમાડ્યો, એટલે અનંતજિત અરિહંતની પાસે તેણે દીક્ષા લીધી, અને શ્રમય પાળીને કાળધર્મ પામી તે બ્રહ્મલોક કલ્પમાં ચંદ્રાભ વિમાનમાં દશ સાગરોપમ કરતાં કંઈક ન્યૂન આયુષ્યવાળા દેવ થયે. અતિકણ નારક પણ ત્યાંથી–સાતમી પૃથ્વીમાંથી ઉદ્વર્તન પામી, ઘણી તિર્યંચનિઓમાં ભ્રમણ કરી, કર્માશે કંઈક ઓછા થતાં, આ જ ભારતમાં યાવતિ નદીના કિનારે ત્રાષિગણે વડે સેવિત આશ્રમપદમાં એકશૃંગ તાપસની રકંદમણિકા નામે ભાર્યા જે જાતે નટી હતી તેની કુક્ષિામાં મૃગશૃંગ નામે પુત્ર થયે. બાલ્યાવસ્થા પૂરી થતાં તાપસકુમારોના સમૂહને જેણે ઉત્સાહ પેદા કર્યો છે એવા, પોતાની મેળે નીચે પડેલાં પીળાં પત્ર, પુષ્પ અને ફળનો આહાર કરતો તથા તાપસપર્યાય પાળીને તપશ્ચર્યા વડે ક્ષીણ થયેલા શરીરવાળો તે, વિકુલા વિમાનની મધ્યમાં બેઠેલા અને દેવની જેમ આકાશમાં વિચરતા વિદ્યાધરને જોઇને વિમિત થયે, અને “જે મારા સંયમ અને બ્રહ્મચર્યનું ફળ હોય તો આવતા ભવમાં હું આ પ્રમાણે વિચ” એ પ્રમાણે નિયાણું કરીને કાલધર્મ પામેલે તે વૈતાત્યમાં ગગનવલ્લભ નગરમાં વિદ્યાધરરાજા વજાદંષ્ટ્રની વિજિજડ્યા દેવીનો વિષ્ટ્ર નામે પુત્ર થયે. અનુક્રમે વૃદ્ધિ પામેલે તે વિદ્યાબળથી વિદ્યાધરોના અધિપતિપણાને પામે. વાયુધ દેવ પણ સર્વાર્થસિદ્ધમાંથી ચવીને પશ્ચિમ વિદેહમાં વીતશેકા નગરીમાં સંજય રાજાની સત્યશ્રી દેવીનો સંજયંત નામે પુત્ર થયો. શ્રીદામ દેવ પણ ચંદ્રાભ વિમાનમાંથી ચાવીને તેને જ નાનો ભાઈ જયંત નામે થયે. જેમને કેવલજ્ઞાન થયું છે એવા સ્વયંભૂ અરિહંતની સમીપે જેના સંશયો છેદાઈ ગયા છે એવા સંજયે (સંજયંતે) દીક્ષા લીધી, અને તે ગણધર થયે. જેમણે પિતાના પૂર્વજને સાંભળ્યા છે એવા સંજયંત અને જયંતે અન્યદા દીક્ષા લીધી, પણ ચારિત્ર્યમોહનીયના ઉદયથી પ્રમત્તવિહારી એ જયંત કાળ કરીને આ ધરણ થયે. જેણે સૂત્ર તથા અર્થનો અભ્યાસ કરે છે એ હું સંજયંત જિનકલ્પ સ્વીકારીને પ્રતિમામાં રહેલ હત; વેરને અનુબંધ જેણે મૂક્યું નથી એવા વિદ્યષ્ટ્ર મને અહીં આણેલ છે. વેરનું કારણ આ છે. વળી ધ્યાનપૂર્વક સાંભળે–પર્વત અને પૃથ્વીમાં પડેલી રેખા સમાન કેપવાળા જીવો નરક-તિર્યંચ ગતિઓમાં વિવિધ દુઃખને અનુભવતા ઘણા કાળ સુધી કલેશ પામે છે. રેતીમાં પડેલી રેખા સમાન કેપવાળા મનુષ્યગતિના ભાગી થાય છે. પાણીમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy