SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૬૦ ]. વસુદેવ-હિંડી :: પ્રથમ ખંડ : વચનો વડે તેને બંધ કર્યો, એટલે ઉપશાન્ત થઈને, આહારનો ત્યાગ કરીને, અરિહંતનમસ્કારમાં લીન થઈને, પ્રાણત્યાગ કરીને તે અસુરરાજ ચમરના મહિષ–સૈન્યને અધિપતિ લેહિતાક્ષ દેવ થયે છે. મારી જ્ઞાનપત્તિથી હર્ષિત થઈને વંદન કરવા આવેલે તે આ રો” એમ કહીને ભગવાને તેને બતાવ્યું, એટલે પ્રણામ કરીને તે બે, “રાજન ! તે મહિષ હું અત્યારે આ રહ્યો.” ભગવંત કેવલીને નમસ્કાર કરીને લેહિતાક્ષ બેલ્યા, “એમનાથી શિક્ષા પામેલા એવા મારા માટે અમાત્યને ઉપદેશ રસાયણું સમાન થયે, તિર્યંચની દુર્ગતિથી હું છૂટ્યો, અને હવે તમારા દર્શન માટે આવ્યો છું.” કેવલીનું વચન સાંભળીને રાજાએ ફરી વાર તેમને પૂછયું, “ભગવન્! નિરપરાધી એવા તેના ઉપર આપે તલવારનો ઘા કર્યો, તે શું એનો અને આપને જન્માન્તરનો વૈરાનુબંધ હતો?” એટલે જેમને એ વધુ સુદણ છે એવા કેવલી કહેવા લાગ્યા, “સાંભળમૃગધ્વજ અને ભદ્રકન પૂર્વભવ-ત્રિપૃષ્ઠ અને અશ્વગ્રીવને વૃત્તાન્ત આજ ભારતવર્ષમાં વૈતાઢ્યની ઉત્તરશ્રેણિમાં ચમરચંચા નગરીમાં વિદ્યાધરરાજા મયૂરગ્રીવનો પુત્ર અશ્વશ્રીવ નામે હતો. તે વિદ્યાબળથી અને રાજનામ-ગોત્રકર્મના ઉદયથી સર્વ વિદ્યાધરોને અને ભારતના રાજાઓને જીતીને રત્નપુરમાં રહીને રાજ્યલક્ષમીને ભગવત હતો. તેનો હરિશ્મ નામે નાસ્તિકવાદી અમાત્ય હતો. તેનો મત એવો હતો કે શરીરથી ભિન્ન એ કંઈ આત્મા નથી, પુણ્ય-પાપ નથી, અને તેનું ફળ પ્રાપ્ત કરનાર પણ કોઈ નથી, નરક નથી, દેવલોક નથી; એ બધું શ્રુતિમાત્ર-સાંભળવામાં આવે છે એટલું જ છે (વાસ્તવિક નથી). તેને એક વાર અશ્વગ્રીવે કહ્યું, “અમારી ઘણી વિપુલ રિદ્ધિ, અવશ્ય કઈ પુણ્યફળને લીધે ઉપાજિત થયેલી હશે, તે હજી પણ શ્રમણ-બ્રાહ્મણે અને દીન જનેને દાન આપીએ અથવા શીલ અને કાળને ઉદ્દેશીને તપ કરીએ. તેથી અમારું પરકનું હિત થશે.” હરિશમશ્રએ કહ્યું, “સ્વામી ! જેને માટે પરલોકનું હિત માગીએ એ જીવ નથી. જે દેહથી ભિન્ન એવો જીવ હોય તે, પિંજરમાંથી નીકળતા પક્ષીની જેમ, શરીરમાંથી નીકળતે તે માલૂમ પડત. એમ જાણે કે–પાંચ મહાભૂતને “મનુષ્ય ” નામને કોઈ સંગ ઉત્પન્ન થાય છે, જેને અજ્ઞાન લેકે “જીવ” માને છે. જેવી રીતે દર્શનીય એવું ઈન્દ્રધનુષ્ય યહચ્છાએ ઉત્પન્ન થાય છે, અને પાછું યદચ્છાએ નાશ પામે છે, એવી રીતે આ સંસારમાં કઈ સારભૂત વસ્તુ નથી, જે શરીરને નાશ થતાં પરભવમાં સંક્રમણ પામતી હોય. પાપ નથી તેમજ પુણ્યનું ફળ નથી. નરકને ભય અને દેવલોકનું સૌખ્ય પંડિતોએ વર્ણ વેલું છે (કલપનામાત્ર છે), માટે પરલોકના (કાલપનિક ) હેતુને ત્યાગ કરો. “પરીક્ષકના મતથી જોતાં દેહથી ભિન્ન એ આત્મા નથી ” એ પ્રમાણે વિશ્વાસ રાખો.” ધર્માભિમુખ અશ્વગ્રીવને તે હરિમશ્ર આમ અનેક રીતે સમજાવતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy