SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ બંધુમતી સંભક [ ૩૬૧ ] તે સમયે પિતનપુરમાં દક્ષ નામે રાજા હતો. ભદ્રા તેની અમહિષી હતી; તેની મૃગાવતી નામે પુત્રી હતી અને અચલ નામે પુત્ર હતો. તે મૃગાવતી કુમારી ઉત્તમ લક્ષવાળી અને રૂપાળી હતી, પછી યૌવનમાં આવેલી અને અતીવ લાવણ્યયુક્ત વર્ણવાળી મૃગાવતીને જે તે દક્ષ મદનવશ થયો. તેના વદનાસવને મદ, નયનને વિશ્રામ આપનારું રૂપ, મનહર હાસ્ય તથા ગાત્રસ્પર્શ (એ સર્વને) અન્ય યુવતિઓથી અસાધારણ માનતે તે વિચાર કરવા લાગ્યું, “આવું ચીર જે હું ન ભેગવું તો મારો મનુષ્ય જન્મ અને જીવન વૃથા છે. ” પછી તેણે નાગરિકવર્ગમાંથી પ્રધાન પુરુષોને બોલાવીને, તેમને પૂજા-સત્કાર કરી પૂછ્યું, “મારા પુરમાં અથવા અંતઃપુરમાં જે રત્ન ઉત્પન્ન થાય તેને ભાગી કોણ થાય ?” તેઓ બેલ્યા, “સ્વામી! તમે.” પછી રાજાએ તેમને રજા આપી. વળી તેણે મૃગાવતીને કહ્યું, “પ્રિયે! બાલમૃગના જેવાં ચંચળ નયનેવાળી! મને જે, મારી ભાર્યા થા, મારા સકલ કેશને તું આજે જ સ્વીકાર કર.” તે બોલી, “તાત! મને અગ્ય વચન બોલવાને તમે યોગ્ય નથી. શું તમે પાપથી ડરતા નથી ? સજજને વડે નિન્દનીય આવાં વચનથી બસ કરો. તમે પણ જાણે આવું બોલ્યા નથી અને મેં સાંભળ્યું નથી (એમ માનો).” દક્ષ બોલ્યા, “મુગ્ધ! તું સાચી વસ્તુ જાણતી નથી. શું તે મહાપંડિત હરિશમશ્રને મત સાંભળ્યું નથી? વિદ્વાનોએ વર્ણવેલું પાપનું અથવા પુણ્યનું ફળ જે ભવાન્તરમાં અનુભવે એ શરીરથી ભિન્ન આત્મા જ નથી; માટે પાપ નથી. તે લક્ષમીની અવજ્ઞા ન કર.” પછી તેણે મધુર અને શૃંગારયુક્ત વચનો વડે તે બાલાને સમજાવી લીધી. પછી તેની સાથે વિષયસુખ અનુભવતો તે વિહરવા લાગ્યો. “પ્રજાને તેણે (પત્ની તરીકે) સ્વીકાર કર્યો,” તેથી પ્રજાપતિ કહેવાય. કઈ એક વાર સુખશયનમાં સૂતેલી મૃગાવતી દેવી સાત મહાસ્વને જોઈને જાગી, અને તેણે એ સ્વમો પ્રજાપતિને જણાવ્યાં. તેણે કહ્યું, “પ્રિયે ! જે પ્રકારનાં સવને તે જોયાં છે તે ઉપરથી તારો પુત્ર ભરતાર્ધનો સ્વામી થશે.” પછી મહાશુક કહપના અધિપતિને સામાનિક દેવ સત્તર સાગરોપમ સુધી સુરસુખ અનુભવીને, ચુત થઈને મૃગાવતીની કુક્ષિમાં આવ્યા. પછી જેના દેહદ પૂરા કરવામાં આવ્યા છે એવી મૃગાવતી દેવીએ પૂરે દહાડે અતસી પુષ્પના પુંજ જેવા (શ્યામ) વર્ણવાળા, વિકસિત કમળ જેવાં નયનવાળા, શ્રીવત્સથી અલંકૃત વક્ષસ્થળવાળા, ચંદ્ર, સૂર્ય, અંકુશ, સમુદ્ર, મંદર ચક્ર વડે અંક્તિ હસ્તકમળ અને ચરણકમળવાળા પુત્રને જન્મ આપે. ત્રિપૃષ્ઠ એવું તેનું યથાર્થ નામ પાડવામાં આવ્યું. શ્રીવત્સથી યુક્ત વક્ષ:સ્થળવાળે અને મોગરાના પુષ્પ જેવા ધવલ દેહવાળ અચલકુમાર શરદ ઋતુના ચંદ્ર જેવા પ્રિય દર્શનવાળો હતો. તે બને કુમારે ઊછરતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy