SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ કેતુમતી લંભક [ ૪૪૭ ] ક્ષય કરીને, કેવલી થઈને નિર્વાણમાં જાય છે. જેમનાં ડાંક કર્મો અવશિષ્ટ રહ્યાં છે તથા જેઓ દેશવિરતિવાળા છે એવા જીવો દેવ અને મનુષ્યભવની પરંપરા અનુભવીને પરિમિત કાળમાં સિદ્ધિવસતિમાં વસનારા થાય છે. જિનશાસનથી પરામુખ, જેમણે આસવદ્વાર રોક્યાં નથી એવા તથા વિષયસુખપરાયણ, કષાયરૂપી વિષ વડે વ્યાપ્ત એવા જે જીવો હોય છે તેઓ પાપકર્મની બહુલતાથી નારક, તિર્યંચ અને મનુષ્યમાં જેમને પ્રતિકાર કરી શકાય નહીં એવાં, જેમાંથી બહાર નીકળી શકાય નહીં એવાં તથા લાંબે કાળે જેમનું વર્ણન કરી શકાય એવાં વિવિધ પ્રકારનાં દુઃખ અનુભવતાં ઘણા સમય સુધી કલેશ પામે છે. એમાં પણ જેઓ અભવ્ય છે તેઓ ઘુવડ પક્ષી જેમ સૂર્યોદય જેવાને માટે અગ્ય છે, કેરડુ મગ જેમ રઈને માટે અગ્ય છે અને ઘણું કાંકરાવાળા ભૂમિભાગની માટી જેમ ઘડો બનાવવાને માટે અયોગ્ય છે તેમ મોક્ષમાર્ગને માટે અગ્ય હોઈ તેમને માટે આ સંસારનો છેડો નથી.” એ પ્રમાણે ભગવાને ઘણું પર્યાયવાળે ઉપદેશ કર્યો. “ભગવાનને નમસ્કાર ! ઉત્તમ ઉપદેશ કર્યો!' એમ કહીને પર્ષદાએ ભગવાનને પ્રણામ કર્યા. એ સમયે તીર્થકરના વચનથી સંબધ પામેલા અને જેને તીવ્ર વૈરાગ્ય થયો છે એવા અને નિરપેક્ષ ચકાયુધ રાજાએ, ભેગવવાથી પ્લાન થયેલી પુષ્પમાળાની જેમ, • રાજભવનો ત્યાગ કરીને ઘણા પરિવાર સહિત દીક્ષા લીધી, અને એ સમોસરણમાં જ તેમને ભગવાને પ્રથમ ગણધર તરીકે સ્થાપ્યા. અત્યંત આનંદિત થયેલા અને વિકાસ પામેલાં નયનકમળોવાળા ઈન્દ્રોએ તેમનો દીક્ષા મહોત્સવ કર્યો. લેકગુરુ તીર્થંકરની પ્રદક્ષિણા કરીને દેવો અને મનુષ્ય પોતાના સ્થાનેએ ગયા. ભવ્ય જનરૂપી કમલવનનું બોધન-વિકાસ કરતા જિનચંદ્ર જ્યાં જ્યાં વિહરતા હતા ત્યાં ત્યાં પચીસ જન સુધીના ભૂમિપ્રદેશો એકસરખા સપાટ, પગે ચલાય એવા, દિવ્ય સુગંધવાળા ગોદક વડે છંટાયેલા તથા વૃન્તસ્થાયી (દાંડી નીચે અને પુષ્પ ઉપર એવી રીતે સીધાં પડેલાં) પાંચ પ્રકારનાં પુષ્પોની વૃષ્ટિની શોભાને ધારણ કરનારા થતા હતા. સર્વ ઋતુનાં કુસુમ, ફળ અને શાભાસમુદયથી યુકત એવાં વૃક્ષો ઉપસર્ગરહિત બનતાં હતાં–પુષ્પાદિને કઈ તડતું નહોતું. ધર્મકાર્યના સાધનમાં ઉદ્યત એવી પ્રજાઓ આનંદ પામતી હતી. જેમણે વેર અને અસહિષ્ણુતાનો ત્યાગ કર્યો છે એવા તથા સુખાભિમ-જેમની પાસે સુખપૂર્વક જઈ શકાય એવા, દાન અને દયામાં રત એવા રાજાઓએ રાજ્યકાર્ય કેઈકને સેંપીને દીક્ષા લીધી. નરેન્દ્રપુત્રો, રાજપુત્રો અને અભ્યાએ રિદ્ધિવિશેષને ત્યાગ કરીને તીર્થકરના ચરણને આશ્રય લીધો અને સંયમ સ્વીકાર્યો. બ્રાહ્મણે, વેશ્યો અને સ્ત્રીઓએ તે તે પ્રકારના વૈભવ છોડીને, વિષયસુખ પ્રત્યે નિરપેક્ષ થઈને, દીક્ષા લીધી અને તેઓ શ્રમણ્ય પાળતાં વિહરવા લાગ્યાં. શ્રમણ્ય પાળવાને અસમર્થ એવા કેટલાકેએ ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો, અને તેઓ તપમાં ઉદ્યત થઈને રહેવા લાગ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy