SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ કેતુમતી લંબક [ ૪૦૯ ] (ત્રિપૃષ્ઠ અને તેના ભાઈઓએ) મહાસત્વશાળી સિંહને જોયો. “આ પગે ચાલે છે, રથમાં બેઠેલા એવા મને એની સાથે લડવાનું શોભતું નથી,” એમ વિચારી ત્રિપૃષ્ઠ ધરતી ઉપર ઊતર્યો. ફરી તેણે વિચાર્યું, “આ આયુધ વગરને છે, આયુધવાળા એવા મારે માટે તેની સાથે લડવાનું યોગ્ય નથી.” એમ કરીને તેણે ખડ્ઝ પણ મૂકી દીધું. બાહુના પ્રહારથી જ તેણે સિંહને મારી નાખે. અશ્વગ્રીવને સમાચાર મોકલવામાં આવ્યા. તે સાંભળીને તે અત્યંત વિસ્મય પામ્યું કે, અહો ! ધરણિગેચર માનવનું કેવું અદ્દભુત કમ છે !” પછી શંકા પામેલે અશ્વગ્રીવ સ્વયંપ્રભાનું મારું કરવા માટે જવલનજી પાસે વારંવાર દૂત મોકલવા લાગ્યો. આથી વિલંબના ભયથી પરિવાર સહિત જવલન જટીએ રાત્રે લઈ જઈને તે કન્યા ત્રિપૃષ્ઠને આપી. લગ્ન થઈ ગયા પછી જેણે સાચી હકીકત જાણું છે એવા હરિશ્મથુ અમાત્યે રાજા અશ્વગ્રીવને ખબર આપી. એટલે ક્રોધ પામેલા અશ્વગ્રી બળવાન વિદ્યાધરને આજ્ઞા આપી કે, “પ્રજાપતિના એ ધરણિગોચર પુત્રોને મારીને, જવલન જટીને બાંધીને સ્વયંપ્રભાને જલદી મારી પાસે લાવે.” હરિશ્મથુએ મુખ્ય મુખ્ય સામંતને આજ્ઞા આપી. તેઓએ વિદ્યાધર દૂતને મોકલ્યો. તેણે જઈને જ્વલન જટી અને પ્રજાપતિને કહ્યું, “ જલદી કન્યા આપો, રાજગામી ભેટ તરીકેનાં રત્ન આપો અને શરણાગત વત્સલ એવા અશ્વગ્રીવને શરણે આવ.” જવલનજીએ કહ્યું, “કન્યાદાન થઈ ગયા પછી કન્યા ઉપર સ્વજને અથવા રાજાનો અધિકાર નથી.” ત્યારપછી પોતાના દાંતની કાન્તિવડે આકાશને પ્રકાશિત કરતાં ત્રિપૃષ્ઠ કહ્યું, “જો તમારે સ્વામી સમર્થ હોય તો મારો પરાજય કરીને કન્યાને ભલે હરી જાય. સૈન્ય સહિત આ હું બહાર આવું છું. જેની પાસેથી માંસનો ટુકડો પડાવી લીધું હોય એવા પક્ષીની જેમ તે શા માટે બહ કોલાહલ કરે છે?” આ પ્રમાણે કહીને તને રજા આપી. તેણે અશ્વગ્રીવને આ જણાવ્યું. અશ્વગ્રી વિદ્યાધરોને આજ્ઞા આપી કે, “ તમે જલદી જઈને તેને નાશ કરો.” એટલે વિવિધ પ્રકારનાં યાન-વાહનો વિકુવીને વિદ્યાધરો તે પ્રદેશમાં પહોંચ્યા. ત્રિપૃષ્ઠના હિતેષી જ્વલન જટીએ, સમ્ર પવન જેમ વાદળોને દૂર કરે તેમ, તેઓને પાછા કાઢ્યા અને કહ્યું, “તમે (મારી સાથે યુદ્ધ કરીને) નાશ ન પામશો, જાઓ જેથી તમારા સ્વામી પરગ્રીવને આટલું (અમારું પરાક્રમ) બતાવો-વર્ણ. જે તે મરવાને શક્તિ માન હોય તો અહીં જલદી આવે.” પછી જેમને (યુદ્ધ કરવાનો અવકાશ મળે નથી એવા તેઓ પાછા જઈને પિતાના સ્વામી અશ્વગ્રીવની આગળ ત્રિપૃષનો પ્રભાવ નિવેદન કરવા લાગ્યા કે, “ સ્વામી! ખરેખર તે અમારી પાછળ રથાવર્ત પર્વત ઉપર આવી રહ્યો છે.” તે સાંભળીને અશ્વગ્રીવે સે એકત્ર કર્યા. પછી વિદ્યાધરોના સમૂહ વડે વીંટળાયેલે તે ૧. અપમાન બતાવવા માટે અશ્વગ્રીવને બદલે ખગ્રીવ કહ્યો છે. પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy