SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૪૨ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ ૩ કનકશ્રી કન્યાને કારણે અમે તેના વધ કર્યાં હતા. તે દમિતાર ઘણા કાળ સુધી સ’સારમાં ભમીને આ જ ભરતમાં અષ્ટાપદ પર્વતની તળેટીમાં નિકટી નદીને કિનારે સેામપ્રભ તાપસના પુત્ર થા, અને અજ્ઞાનતપ કરીને કાળધર્મ પામેલે તે આ સુરૂપ યક્ષ થયા. પ્રાણીઓ પ્રત્યેનું વેર જેણે દૂર કર્યું છે એવા હું એકાગ્ર મનવાળા થઈને અહીં પોષધશાળામાં બેઠા હતા. પેાતાની સભામાં બેઠેલે ઈશાનેન્દ્ર મારું ગુણુકીર્તન કરતા હતા કે, “ મેઘરથને ધર્મ માંથી ક્ષેાભ પમાડવાને ઇન્દ્ર સહિત દેવા પૈકી પણ કાણુ સમર્થ છે ?” ઇશાનેન્દ્રનું વચન સાંભળીને અસહિષ્ણુતાને પામેલા આ સુરૂપ યક્ષ મને ક્ષેાભ પમાડવાની ઇચ્છાથી અહીં આવ્યેા. પૂર્વકાળના વેરથી જેમને રાષ ઉત્પન્ન થયા છે તથા પાતપાતાના પુરુષાર્થથી જેઓ યુક્ત છે એવાં તથા આકાશમાં રહેલાં તે પક્ષીઓને તેણે ઢાડતાં જોયાં. તે બન્ને પક્ષીઓમાં પ્રવેશ કરીને, મનુષ્યભાષી એવા તે યક્ષે મને ક્ષેાભ પમાડવા આ પ્રકારનું કાર્ય કર્યું. પણ મને ક્ષેાભ પમાડવાને અસમર્થ તથા જેની પ્રતિજ્ઞા ભાંગી ગઈ છે એવા તે ઉપશાન્ત થઈને હમણાં મને ખમાવીને ગયા. ” પૂર્વભવનું સ્મરણ કરીને જેમણે વેર છેાડી દીધુ છે એવાં તે પક્ષીઓ પણ ભક્તપરિજ્ઞા—અનશન કરીને ભવનવાસી દેવા થયાં. મેઘરથ રાજા પણ તે પૌષધ પારીને ઇચ્છિત ભાગે! ભાગવવા લાગ્યા. ,, જેના સંવેગ વૃદ્ધિ પામ્યા છે એવા તે રાજા કેાઈ એક વાર અષ્ટમ ભક્ત સ્વીકારીને, પરિષહાને છાતી સેાંપીને ( અર્થાત્ પરિષહાની સામે થઇને) કાયાત્સ કરીને રહ્યો. ઇશાનેન્દ્રે તેને જોઈને હાથ જોડી પ્રણામ કર્યા કે, “ ભગવાનને નમસ્કાર. ” દેવીએ તેને પૂછવા લાગી, “તમે કાને પ્રણામ કર્યા ? ” ( એટલે ઇશાનેન્દ્રે કહ્યું, ) “હું ત્રિલેાકસુન્દરી ! મેઘરથ નામે આ મહાત્મા રાજા જે ભવિષ્યત જિન-થનાર તીર્થ કર−છે, તે પ્રતિમામાં રહેલ છે; તેને મેં... પ્રણામ કર્યાં. ઇન્દ્ર સહિત દેવા પણ એને શીલવ્રતાના વિષયમાં ક્ષેાભ પમાડવાને સમર્થ નથી. ” આ વસ્તુને નહીં સહન કરી શકતી અને મેઘરથને ક્ષેાભ પમાડવા ઇચ્છતી સુરૂપા અને અતિરૂપા દેવીએ દિવ્ય ઉત્તરવૈક્રિય રૂપા વિષુવીને આવી. મદનનાં શાને ઉદ્દીપિત કરનાર અનુલેામ ઉપસર્ગો મેઘરથને આખી રાત કર્યા પછી પણ તેને ક્ષેાભ પમાડવાને અશક્ત એવી તે દેવીએ પ્રભાતકાળે તેની સ્તુતિ કરીને તથા નમસ્કાર કરીને ગઇ. મેઘરથ પણ સૂર્ય ઊગતાં કાર્યાત્સગ અને પૌષધ પારીને ઇચ્છિત ભાગે ભેગવવા લાગ્યા. મેઘરથના તે શ્રદ્ધા-સ ંવેગ જોઈને પ્રિયમિત્રા દેવી પણ સંવેગવાળી થઇ. એક વાર ધનરથ તીર્થંકરનું આગમન સાંભળીને મેઘરથ અને પ્રિયમિત્રા અને જણ તેમને વંદન કરવાને નીકળ્યાં. ભગવાનનું વચન સાંભળીને જેને વૈરાગ્ય થયા છે એવા મેઘરથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy