SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ - -- --- -- ------- [ ૪૫૦ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડઃ પછી તેમના આયુધગ્રહમાં જાણે બીજું સૂર્યમંડલ હાય એવું પ્રકાશમાન ચક્રરત્ન ઉત્પન્ન થયું. તેમ કરવાને આચાર હોવાથી, રત્નની પૂજા કરવામાં આવી. ચક્રરત્નનું અનુસરણ કરીને લવણસમુદ્ર અને ચુદ્ઘહિમવત વડે પરિગત એ વિદ્યાધરે સહિત ભારતવર્ષ જીતીને, દેવને પણ વિસ્મય ઉત્પન્ન કરનારી સમૃદ્ધિ સાથે તેઓ પાછા ગજપુર-હસ્તિનાપુરમાં પ્રવેશ્યા. અસંખ્ય પૂર્વ પુરુષની પરંપરાથી આવેલી અને ચૌદ રત્ન રૂપી અલંકારોને ધારણ કરનારી રાજ્યલક્ષ્મીનું પરિપાલન કરતા અને ચારિત્ર્યહનીય કર્મના ક્ષયની રાહ જેતા તથા પ્રણામ કરતા હજારે રાજાઓના મુકુટમણિનાં કિરણેથી જેમનું પાદપીઠ રંગાયેલું છે એવા તેઓ ત્રેવીસ હજાર સાતસો અને પચાસ વર્ષ સુધી ચક્રવત્તના ભેગે ભેગવતા વિહાર કરવા લાગ્યા. એક વાર આદર્શગ્રહ-અલંકારગૃહમાં પ્રવેશેલા, રિદ્ધિની અનિત્યતાનું ચિન્તન કરતા અને પ્રશસ્ત પરિણામના માર્ગ ઉપર રહેલા ભગવાનને સારસ્વત આદિ કાતિક દેએ બોધ કર્યો કે, “સ્વામી ! સંસારની ગતિ અને મોક્ષમાર્ગ આપને વિદિત છે, માટે ભવ્યજનેને બેધ પમાડવા માટે દીક્ષા લેવાનો વિચાર કરે, આપના ઉપદેશને આશ્રય કરીને શ્રમરૂપી વણિકના સાથે સંસારરૂપી મહાસમુદ્રને તરી જાઓ.” આ પ્રકારનાં વચન વડે અભિનંદન કરીને દેવે અદશ્ય થયા. ઉત્તમ પુરુ વડે લેવાયેલ આ માર્ગ છે, આ નિમિત્તે ધનને ત્યાગ કરે જોઈએ” એમ વિચારીને એક વર્ષ સુધી કિમિછિત દાન વડે લોકોને આનંદિત કરીને, ચંદ્ર જ્યારે કૃત્તિકા નક્ષત્રના વેગમાં આવે ત્યારે, ત્યાં આવેલા અને સંતુષ્ટ થયેલા ઈન્દ્રોએ આણેલી તથા ત્રિભુવનની વિભૂતિરૂપ વિજયા શિબિકામાં બેસીને દે અને રાજાઓ વડે વહન કરાતા, જેમને માટે મંગલ કમ કરવામાં આવ્યું છે એવા, જેમની શોભાનો ઉત્કર્ષ સેંકડો લોકોનાં નયનેને સ્પર્શ કરતો હતો એવા, આનંદિત થયેલા જભક દેવતાઓના ગણોએ સુગંધી વૃક્ષનાં પાંચ વર્ણનાં પુષ્પોની જેમના ઉપર વૃષ્ટિ કરી હતી એવા, સુરકિંકરેના સમૂહના તુર્ય, ગીત અને વાદિત્ર વડે મિશ્રિત શબ્દ વડે અનુસરતા તથા હાથ જોડીને ઊભેલા ચારણે વડે અહે! દેવેને પણ વિરમય પમાડનારી આવી રાજ્યલક્ષમી પર કેટલી નિઃસંગતા છે!” એ પ્રમાણે રતુતિ કરાતા ભગવાન સહસ્સામ્રવનમાં પહોંચ્યા. સિદ્ધોને પ્રણામ કરીને તેમણે દીક્ષા લીધી તેમના આ ત્યાગથી વિસ્મિત થયેલા એક હજાર ક્ષત્રિાએ તેમની સાથે દીક્ષા લીધી. પછી મતિ, શ્રત, અવધિ અને મન પર્યવ એ પ્રમાણે ચાર પ્રકારનાં જ્ઞાનને ધારણ કરનાર ભગવાન કુંથુનાથ સેળ માસ સુધી વિહાર કરીને, ઉપવાસના પારણામાં દાતાજનનાં હૃદયાને વસુધારાની વૃષ્ટિવડે, શરદકાળને ચંદ્ર જેમ કુમુદને પ્રસન્ન કરે તેમ, પ્રસન્ન કરતા ફરી સહસ્ત્રાભ્રવનમાં આવીને વૃક્ષોના સમૂહમાં તિલક સમાન તિલકવૃક્ષની નીચે બેઠા. ઉત્તમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy