SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૨૮ ] વસુદેવ હિંડી : : પ્રથમ ખંડ : ઉપર સુમન્દિર નગરમાં કનકપૂજ્ય નામે રાજા વસતા હતા, તેની ભાર્યાં વાયુવેગા નામે હતી, તેનેા પુત્ર હું કીર્ત્તિધર નામે છું. મારી ભાર્યા અનલવેગા છે, તેના પુત્ર આ દમિતારિ રાજા હતા, તેની ભાર્યાં મદિરા છે, તેની પુત્રી તું કનકશ્રી થઇ. રાજય ઉપર દમિતારને સ્થાપન કરીને, શ્રીશાન્તિનાથ જિનેશ્વરની પાસે દીક્ષા લઈને હું અહીં સાંવત્સરિકી મહાપ્રતિમામાં રહ્યો. માહનીય, જ્ઞાનાવરણીય, દનાવરણીય અને અંતરાય કર્મો ક્ષીણુ થતાં આજે મને કેવળજ્ઞાન થયું. પેાતાના કર્મ થી ઉત્પન્ન થયેલી પેલી વિચિકિત્સાના દોષથી તું પિયરના વિયેાગથી ઉત્પન્ન થયેલા પિતૃમરણને અહીં પ્રાપ્ત થઇ છે. ” ,, આ દુ:ખની વાત સાંભળીને જેને કામભાગેા પ્રત્યે નિવેદ થયા છે. એવી કનકશ્રી ખલદેવ અને વાસુદેવને વિનંતી કરવા લાગી, “ મને રજા આપા, હું તપશ્ચર્યા કરીશ; અત્યંત વિષમ અને ઘણાં વેરની પરંપરાને ઉત્પન્ન કરનાર ભાગાથી મને ખસ થાશે. ” તેણે આમ કહ્યુ, એટલે ખલદેવ અને વાસુદેવ કહેવા લાગ્યા, “તને ધર્માંમાં અવિઘ્ન થાઓ; પણ સુભગા નગરીમાં જઈને સ્વય’પ્રભ જિનેશ્વરની પાસે તું તપ કરજે. આ પ્રમાણે કહ્યા પછી તે મુનિવરને નમસ્કાર કરી, વિમાનમાં બેસી તેએ સુભગા નગરીમાં ગયાં. ત્યાં અન ંતવીયના પુત્ર અનતસેન સાથે યુદ્ધ કરતા વિદ્યાધરરાજાઓને તેમણે જોયા. ત્યાં (વિદ્યાધર રાજાએ) સુધાષ અને વિદ્યુ ષ્ટ્રને તે યુદ્ધમાં મારીને, જેમણે સર્વ શત્રુસામતાને નમાવ્યા છે, જેઓ વિજયાના અધિપતિપણાને તથા ખલદેવ-વાસુદેવપણાને પામ્યા છે, જેમને સર્વ રત્ના ઉત્પન્ન થયાં છે તથા જે સેાળ હજાર રાજાઓના સ્વામી છે એવા તેઓ ઇષ્ટ વિષયસુખ અનુભવતા વિહરવા લાગ્યા. પછી સ્વયં પ્રભ જિનવર વિહાર કરતા સુભગા નગરીમાં સમાસર્યાં. જિનેશ્વરનુ આગમન સાંભળીને ખલદેવ અને વાસુદેવ પેાતાના પરિવાર સહિત જિનવરની પાસે વંદન કરવાને ગયા. કનકશ્રી પણ ત્યાં ગઇ, અને જિનવરની પાસે ધર્મ સાંભળીને તેણે દીક્ષા લઇ, ઉગ્ર તપ કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું અને જેણે કર્મને ધાઇ નાખ્યાં છે એવી તે સિદ્ધિમાં ગઇ. તે બલદેવ અને વાસુદેવ જિનેશ્વરને વંદન કરીને પરિવાર સહિત ફરી પાછા નગરીમાં આવ્યા અને ઇચ્છિત ભાગેા ભાગવવા લાગ્યા. રાજકન્યા સુમતિના સંબધ ખલદેવની—અપરાજિતની વિરતા નામે ભાર્યા હતી, તેની પુત્રી સુમતિ નામે કન્યા રૂપ અને ગુણવાળી હતી. જેણે જીવ અને અજીવને જાણ્યા છે એવી તથા અણુવ્રતા અને ગુણુત્રતા જેણે ધારણ કર્યા છે એવી તે જિનશાસન વડે ભાવિત બુદ્ધિવાળી હતી. ૧. શ્રી શાન્તિનાથને જન્મ તે! હજી હવે થવાના છે; તેમના ચરિત્રની આ ભૂમિકા છે; એટલે આ શાન્તિનાથ તે સેાળમા તીર્થંકર અને ચક્રવર્તીથી ભિન્ન એવા જંબૂદ્વીપના વિદેહમાં રમણીય વિજયમાં થયેલા તીર્થંકર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy