SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠિકા [ ૧૧૩ ] થયા નથી, છતાં તમે મને જીવિતદાન આપ્યું હતું, એટલે માતા કેમ ન કહેવાઓ? વળી મને વિદ્યા આપવાવડે તમે ગુરુ બન્યાં છો, માટે આ વિકારને ત્યાગ કરે.” એટલે તે કનકમાલા ક્રોધ પામી, અને “મોહને કારણે હું છેતરાઈ” એમ વિચારતી તેણે કંચુકીને કહ્યું, “ રાજાને કહે, આ દુષ્ટ પ્રદ્યુમ્ન મારું અપમાન કરવા ઈચ્છે છે, માટે તેને સજા કરો.” પ્રદ્યુમ્નના વિનયમાં શ્રદ્ધા હોવાને લીધે આ વચન સાંભળવા છતાં રાજા ક્રોધ પામે નહીં. પછી કનકમાલાએ કાલસંવર રાજાના પુત્રને કહ્યું, “આ (રાજા) ખરેખર વિપરીત બુદ્ધિવાળા છે કે દત્તક પુત્ર)ને સજા કરતા નથી. નહીં ઈચ્છવા લાયક વસ્તુને તે પ્રદ્યુમ્ન ઈચ્છે છે, માટે તેને તમે જલદી નાશ કરે.” કપટમાં ઉદ્યત એવા તે પુત્રોએ “ભલે” એમ કહીને એ વસ્તુ સ્વીકારી. કલંબુકો વાવમાં વચ્ચે શૂળી બેસીને પછી તેમણે પ્રદ્યુમ્નને બોલાવ્યું કે, “આવ, આપણે આમાં સ્નાન કરીએ.” પ્રદ્યને કહ્યું, “તમે સુખી છે, માટે તમે જાઓ. માતાએ જેને કલંક ઓરાયું છે એવા મારે સ્નાન કરીને શું કામ છે?” એટલે પેલા બોલ્યા, “રેષમાં આવીને દેવી જે કહે તેના ઉપર કેણ વિશ્વાસ કરે ? માટે આવ, જઈએ.” આ પ્રમાણે તેઓ પ્રદ્યુમ્નને લઈ ગયા. તે વાવ અંદરથી પહોળી અને મુખ આગળથી સાંકડી હતી. તેમણે પ્રઘનને વચમાં રાખે. આપણે એક સાથે ભુસ્કે મારો” એમ કરીને તેમણે ભુસ્કો માર્યો, એટલે પ્રદ્યુમ્ન શૂળી ઉપર પડ્યો. તેણે વિચાર કર્યો કે, “નકકી, મને મારી નાખવા માટે આ શુળી મૂકેલી હશે.” પછી તેણે પ્રજ્ઞપ્તિ વિદ્યાનું ધ્યાન ધરીને કહ્યું, “ભગવતિ! આ શૂળી ઉપરથી મને છૂટો કર, એટલે પેલા લોકોની ચેષ્ટા હું જોઉં.” પ્રજ્ઞપ્તિએ તેમ કર્યું. પછી પેલા કુમારો વાવમાંથી બહાર નીકળ્યા, અને “નકકી તે મરણ પામ્યા હશે” એમ વિચારીને પથરાનો વરસાદ વરસાવી “વહાલા! હવે તું મરણ પામ્યા છે !” એમ બોલતા ચાલ્યા. પાછળ રહેલા પ્રદ્યને કહ્યું, “શૂરા થાઓ, હવે તમારો નાશ નજીક આવ્યા છે. તમારામાં શક્તિ હોય તો પ્રહાર કરો.” પેલાઓ પાછા વળ્યા, અને “આ પ્રદ્યુમ્ન તે વિદ્યા વગરનો છે ” એમ માનીને વિશ્વાસપૂર્વક યુદ્ધ કરવા લાગ્યા, પણ તે સર્વેને પ્રદુને મારી નાખ્યા. પુત્રોના વધથી ક્રોધ પામેલે કાલસંવર નીકળે. તેને દેવીએ કહ્યું, ” બરાબર પ્રયત્ન કરજે.” તેણે કહ્યું, “એ ધરણિગોચર માનવ મને શું કરવાનો હતો? ” એટલે કનકમાલાએ પિતે પ્રદ્યુમ્નને પ્રજ્ઞપ્તિ વિદ્યા આપ્યાની વાત કરી. મંત્રીઓએ કાલસંવરને વાર્યો કે, “ પુત્રનો વધ કરે છે, કુલતંતુના રક્ષણની દષ્ટિએ, રાજાઓને માટે એગ્ય નથી.” પેલી તરફ પ્રદ્યુમ્ન ચિના કરવા લાગ્યા કે, “આવો અપરાધ કરીને મારે પિતા પાસે જવું એ ગ્ય છે કે એગ્ય નથી ?” માતા-પિતા સાથે પ્રધશ્નને સમાગમ આ બાજુ દ્વારવતીમાં સત્યભામા દેવી દુર્યોધન રાજાની પુત્રી સાથે પોતાના પુત્રના વિવાહની ૧૫ Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy