SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૦ ] વસુદેવ–’િડી : : પ્રથમ ખંડ : गंगा वालुयं, सारे जलं, हिमवतो य परिमाणं । जाणंति बुद्धिमंता, महिलाहिययं न जाणंति ॥ અર્થાત્ ગંગામાં રેતી કેટલી છે, સાગરમાં જળ કેટલુ' છે અને હિમાલયનું પરિમાણુ કેટલું છે એ બુદ્ધિમાને જાણે છે, પણ સ્ત્રીનું હૃદય જાણતા નથી. તે પછી આવા ગુણવાળી વેશ્યા સ્ત્રીઓમાં તારા આટલા અનુરાગ શાથી છે, કે જેથી કરીને તું આત્મઘાત કરવા તૈયાર થયા છે? આ લેાકમાં અને પરલેાકમાં આ વસ્તુ દુ:ખજનક છે’ એમ વિચારીને સ્રીએથી વિરક્ત થા. આ પ્રમાણે અગરદત્ત મુનિએ પેાતાની આત્મકથા કહી, એટલે ધમ્મિલ્લે અગડદત્તને વિનતિ કરી, “ ભગવન્! બધી સ્ત્રીએ કઇ એવી હાતી નથી, સારી પણ હાય છે; જેમ કે પરપુરુષને નહીં ઇચ્છતી ધનશ્રી પેાતાની જાતને સાચવતી ખાર વર્ષ સુધી રહી હતી અને યુવાવસ્થામાં હાવા છતાં શીલવ્રત ખંડિત કર્યું. નહાતુ. ” એટલે ભગવાન્ અગડદત્તે પૂછ્યું, “ એ ધનશ્રી કેાણ હતી ? અને ખાર વરસ સુધી પેાતાની જાતને સાચવતી કેવી રીતે રહી હતી ? ” એટલે ધમ્મિલે કહ્યું, “ સાંભળેા, ભગવન્ ! 66 દઢ શીલ વિષે ધનશ્રીનું દૃષ્ટાન્ત અવન્તિ નામે જનપદ છે. ત્યાં નિશ્ચલ રિદ્ધિવડે સમૃદ્ધ ઉજ્જિયની નામે નગરી છે. ત્યાં જિતશત્રુ નામે રાજા હતેા. એની ધારિણી રાણી હતી. એ ઉજ્જિયનીમાં દશે દિશામાં વિખ્યાત કીર્તિવાળે! સાગરચંદ્ર નામે ઇભ્ય હતા. તેની ભાર્યા ચંદ્રશ્રી હતી. એ ચંદ્રશ્રીથી થયેલા તેનેા સમુદ્રદત્ત નામે રૂપશાળી પુત્ર હતા. એ સાગરચંદ્ર પરમ ભાગવતની દીક્ષા લઈને સૂત્રથી તેમજ અર્થથી ભગવદ્ગીતાના પરમાર્થ જાણનારા થયા. ફ્રે શ્રીજી શાળામા શિખતાં આ ખીજા પાખંડી સંપ્રદાયમાં માન્યતાવાળા રખેને થાય એ ભયથી સાગરચંદ્ર પોતાના સમુદ્રદત્ત પુત્રને કલાગ્રહણ અર્થે પરિવ્રાજકના ઘેર જ રાખતા હતા. . કે એક વાર તે સમુદ્રદત્ત એ પરિવ્રાજકને ત્યાં અભ્યાસ કરતાં કરતાં ‘ પાટી મૂકી આવું ’ એમ કરી ઘેર આવ્યેા, તે પેાતાની માતાને તે પરિવ્રાજકની સાથે જ અસભ્ય આચરણ કરતી તેણે જોઇ. સ્ત્રીએથી વિરાગ પામેલા તે ત્યાંથી નીકળ્યે, અને ‘ સ્રોએ કુળ શીલ રાખતી નથી ’ એમ વિચાર કરીને તેણે પેાતાના હૃદયથી વિવાહ નહીં કરવાને નિશ્ચય કર્યો. પછી જેણે બધી કલાએ સંપાદન કરી છે એવા તે નવયુવાન સમુદ્રદત્તને તેના પિતા ચેાગ્ય કુળ, રૂપ અને વૈભવવાળી કન્યાએ વરાવવા માંડ્યો; પણ સમુદ્રદત્ત તેમ કરવાની ના પાડતા હતા. આમ તેમના સમય વીતતા હતા. ૧. ભગવદ્ગીતા વિષેના છઠ્ઠી સદી જેટલા આ જૂના ઉલ્લેખ ઘણા મહત્વના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy