SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૭૬ ] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : કંસ અને ધનપતિ, મારા વડીલો (મોટા ભાઈઓ), પાંડુ, દમશેષ, સગ, દ્રુપદ, શલ્ય, સોમક, સંજય, ચંદ્રાભ, શત્રુંજય, પું, કાલમુખ, કપિલ, પદ્યરથ, શ્રીદેવ આદિ ઉત્તમ કુલ, શીલ, જ્ઞાન અને રૂપ વડે સંપન્ન રાજાઓ લેખિકાએ રોહિણને બતાવ્યા. કમળ જેવાં નયનવાળી, પધરના ભાર વડે ખેદ પામતા અને કમળપત્રો જેવા કેમળ ચરણવાળી, રૂપતિશયમાં આસક્ત થયેલા રાજાઓની દષ્ટિમાળા વડે પરિગ્રહીત થયેલી, પણ તેમાં જેનાં ચક્ષુ આસકત થતાં નથી એવી, તથા જળભર્યા મેઘની ગર્જના વડે પરિતોષ પામેલી મયૂરીની જેમ, મારા વડે પણવના શબ્દથી બોધ પમાડાયેલી તથા આનંદથી વિકસિત થયેલી આંખવાળી તે રોહિણીએ, કુવલયશ્રી જેમ કમલવનને આશ્રય કરે તેમ, મારે આશ્રય કર્યો. મારો કંઠ તેણે પુષ્પમાળાથી બાંધે અને હૃદય રૂપના ઉત્કર્ષથી બાંધ્યું. મારા મસ્તક ઉપર અક્ષત નાખીને તે ઊભી રહી. આથી ક્ષોભ પામેલા રાજાઓ “કન્યા કોને વરી?” એ પ્રમાણે પૂછવા લાગ્યા. કેટલાક બોલવા લાગ્યા, “વાદ્ય વગાડનારાને વરી છે.” એ સમયે દંતવકત્રે રુધિર રાજાને કહ્યું, “રુધિર ! તારા કુલ ઉપર જે તારો અધિકાર નથી તે ઉત્તમ વંશમાં પેદા થયેલા આ વસુધાધિને શા માટે એકત્ર કર્યા છે?” રુધિરે ઉત્તર આપે, “જેને સ્વયંવર આપવામાં આવ્યું છે એવી કન્યા ઈચ્છિત ભરતારને વરે છે; એમાં અમારે શે દેષ? અને હવે, કુલીન પુરુષે પરસ્ત્રી સંબંધી શો વિચાર કરવાને હેય?” દંતવકત્રે કહ્યું, “તેં તારી પુત્રીને સ્વયંવર આપ્યો હતો, તે પણ મર્યાદાનું ઉલંઘન કરવું યોગ્ય નથી. આ વરને ત્યાગ કરીને ક્ષત્રિમાંથી એકને તે ભલે વરે.” આ પ્રમાણે બોલતા દંતવકત્રને મેં કહ્યું, “અરે દંતવકત્ર! સભામાં ભમીને તારા નામ જેવું જ વક્ર વચન તું શું છે ? ક્ષત્રિયોનાં કુલેમાં લેખન આદિ શિક્ષા–કલાઓને શું નિષેધ કરેલો છે, કે જેથી પણ હાથમાં લઈને ઊભેલા મને “અક્ષત્રિય” કહીને તું દૂષણ આપે છે?” એ સાંભળીને દમણે કહ્યું, “જેને વંશ જાણવામાં આવ્યો નથી તેને કન્યા આપવી એગ્ય નથી; આની પાસેથી લઈને, ક્ષત્રિયો જેને વિષે અનુમત હેય તેને એ કન્યા આપે.” વસુદેવ અને સમુદ્રવિજયનું મિલન એ સમયે વિદુરે કહ્યું, “એમ ન બોલ; એને વંશ પૂછવો જોઈએ.” મેં પણ કહ્યું, “વિવાદ કરતા આ લોકની વચ્ચે કુળની વાત કરવાને શું સમય છે? મારું બાહુબળ જ મારું કુળ કહેશે.” આ પ્રમાણે ગર્વયુક્ત વચન સાંભળીને જરાસંધ કહેવા લાગ્યા, રુધિર અને હિરણ્યનાભને પકડે, આનું શું કામ છે?” પછી રાજાઓ સંભ પામ્યા. ૧. સરખા પ્રાકૃત સાહિત્યમાં સ્થળે સ્થળે નજરે પડતા બોતેર કલાઓને રૂઢ નિર્દેશઃ દિશાવિચાળે સરળતનવાળું વાવરિજા. અર્થાત તેર ક્લાઓના પ્રારંભમાં લેખનક્તા છે. એમાં ગાયન અને વાદન પણ આવી જાય છે. એ કલાઓ શીખવાનું ક્ષત્રિય માટે અનુચિત નથી, એમ વસુદેવ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy