SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ રોહિણી સંભક [ ૪૭૭ ] W પુત્ર સહિત રુધિર રાજા પણ મને અને રોહિણને લઈને રિઝપુરમાં પ્રવેશે, અને શાસજજ થઈને સૈન્ય સહિત તે તૈયાર થયે. અરિજયપુરના અધિપતિ વિદ્યાધરરાજા દધિમુખે મને તે સમયે દર્શન આપ્યું. જેણે પ્રણામ કર્યા છે એવા તેણે વિદ્યા વડે બનાવેલા રથ ઉપર હું બેઠો. તે મારો સારથિ થયે, અને અમે નગરમાંથી બહાર નીકળ્યા. પછી વિવિધ આયુધથી ભરેલા ઉત્તમ રથની ધજાઓને સમૂહ જેમાં છે એવું, મુખના પવનથી પૂરાતા શંખશબ્દથી કોલાહલમય, જેમનાં કુંભસ્થળ ઉપરથી મદજળ ઝરતું હતું એવા મત્ત હાથીઓના દંતશળના સામસામા સંઘર્ષણને લીધે શબ્દાયમાન, ત્વરા કરતા અશ્વોની આકરી ખરીઓના ઘાને લીધે ઊડતી પૃથ્વીની રજને લીધે જેમાં આંખને વિષયદર્શન રોકાઈ ગયેલ છે એવું તથા ક્રોધાવિષ્ટ થયેલા દ્ધાઓએ છોડેલા શરસમૂહને લીધે સૂર્યનાં કિરણ જેમાં ઢંકાઈ ગયાં છે એવું ક્ષત્રિયોના સૈન્ય અને નગરના સૈન્ય વચ્ચેનું યુદ્ધ થયું. હિરણ્યનાભ સહિત રુધિર રાજાનો ક્ષત્રિયોએ પરાજય કર્યો અને તે નાસી ગયે. દધિમુખની સાથે હું ઊભું રહ્યો, મને એવી રીતે ઊભો રહેલે જઈ રાજાઓ વિસ્મય પામ્યા કે, “અહો ! આ પુરુષ મહાસત્ત્વશાળી છે, કે જે એકલે અનેકની સામે ઊભે રહ્યો છે.” પછી પાંડુરાજાએ કહ્યું, “ક્ષત્રિયોનો એ ધર્મ નથી કે એકની સાથે ઘણું લેકે યુદ્ધ કરે.” પણ જરાસંધે સૂચના કરી, “ ઊભા રહે, એક એક જણ તેને યુદ્ધ આપે જે તેને જીતે તેની રોહિણી.” એ વચનને પ્રમાણુ કરતો શત્રુંજય નામને રાજા બાણની વૃષ્ટિ કરતો મારી પાસે આવી પહોંચે. તેના ધનુષમાંથી છૂટેલાં બાણે મેં શીવ્રતાપૂર્વક અર્ધચંદ્ર બાણથી છેદી નાખ્યાં. તે નાસી ગયે, એટલે પ્રતિકૂલ વચન બેલતે દંતવકત્ર આવ્યું. તેનું શિર ખુલ્લું કરીને (મુગટ ફેંકી દઈને), ધ્વજ અને તિસઢ ફેંકી દઈને મેં તેને રથ ભાંગી નાખે. પછી કાલમેઘની જેમ ગર્જના કરતે કાલમુખ આવ્યો, પણ તેને મેં પ્રભાવહીન બનાવી દીધો. તે સર્વને પરાજિત થયેલા જોઈને અધિરાજે (જરાસંધે) મારા મોટા ભાઈ સમુદ્રવિજયને આજ્ઞા કરી, “તમે એના ઉપર વિજય મેળવીને, ક્ષત્રિયાની અનુમતિથી, રહિણી કન્યાને મેળવે.” તેમણે પણ તે સ્વીકાર્યું. મારી સામે તેઓ બાણ છોડવા માંડ્યા. હું તેમને પ્રહાર કરતા નહોતે માત્ર તેમનાં શસ્ત્રો છેદી નાખતો હતો. તેમને ક્રોધે ભરાયેલા જોઈને, પહેલાંથી લખી રાખેલું, મારા નામથી અંક્તિ થયેલું બાણ તેમના ચરણમાં મેં નાખ્યું. તે વાંચીને, તેને અર્થ સમજીને, ભાથો છોડી દઈને શરદકાળના પલદ્રહની જેમ તેઓ શાન્ત થયા. પછી હું આયુધ લીધા વગર તેમની પાસે ગયો. મને આવતો જોઈને અશ્રુજળથી પૂર્ણ નયનવાળા તેઓ રથ ઉપરથી નીચે ઊતર્યા. તેમના ચરણમાં પડતા એવા મને તેઓએ આલિંગન આપ્યું. અમે બન્ને જણ રડ્યા. અમારા તે સમાગમ વિષે સાંભળતા ૧મૂળમાં તિસઢય શબ્દ છે; તે કોઈ શસ્ત્રવિશેષ હશે એવી કલ્પના થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy