SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૮ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : પૂછયું, “તું કોણ છે? ક્યાં જાય છે? અને કોનો પુત્ર છે?” એટલે મેં બની હતી તે બધી હકીકત કહી. તે અનુકંપાથી મને પિતાને ઘેર લઈ ગયો અને ત્યાં મને રાખે. પિતા, માતા, સ્વજન અને પરિજનના વિયેગથી પરિતાપ પામતો હું ત્યાં રહેવા લાગ્યા. એક વાર ઈર્યાસમિતિ અને ભાષાસમિતિવાળા, આ લેક તથા પરલોકના વિષયમાં નિરપેક્ષ તથા પ્રાસક ભિક્ષાને ઈછતા શ્રમણ તે ઘરમાં પ્રવેશ્યા. ઘરસ્વામીએ તેમને પ્રણામ કર્યા. મેં પણ તેમને વંદન કર્યા, અને ધર્મ પૂછ. અહિંસાપ્રધાન ધર્મ તેમણે કહો. જિનેશ્વરેનું વચન મેં જાણ્યું. મેં તેમની પાસેથી શિક્ષાવ્રતો અને અણુવ્રત ગ્રહણ કર્યા. આણુવ્રત તથા શિક્ષાત્રતો ગ્રહણ કરીને કાળધર્મ પામેલે હું આ જ નગરમાં જિતશત્રુ રાજા થયે. આ જન્મમાં સાધુઓને જોઈને મને જાતિસ્મરણ થયું. પૂર્વ જન્મમાં આટલી શિક્ષા-વિદ્યાથી મને આ જન્મમાં રાજ્યશ્રી મળી. (પછી તારી અલપ ફળવાળી શિક્ષાથી મને આશ્ચર્ય શી રીતે થાય?)” એ સમયે નગર અને જનપદના માણસોએ રાજાને વિનંતી કરી કે, “દેવાનુપ્રિયના નગરમાં અપૂર્વ ખાતર પડે છે, કોઈ દ્રવ્યની ચોરી કરે છે, માટે હે દેવાનુપ્રિય! આ૫ નગરનું સંરક્ષણ કરો.” એટલે રાજાએ નગરરક્ષકને આજ્ઞા આપી, “સાત રાત્રિની અંદર ચોર પકડાય તેમ કરો.“આ મારા ગમનનો અવસર છે” એમ વિચારીને ફરી વાર રાજાને પગે પડીને મેં વિનંતી કરી કે, “જે દેવાનુપ્રિય આજ્ઞા આપે અને કૃપા કરે તે હું આપની કૃપાથી સાત રાત્રિની અંદર ચોરને આપના ચરણમાં હાજર કરું. ” મારું આ વચન રાજાએ સ્વીકાર્યું, અને કહ્યું “ભલે એમ કર.” અગડદત્તે શેરને માર્યો આ પછી હર્ષ પામેલે હું રાજાના ચરણમાં પ્રણામ કરીને રાજકુલમાંથી નીકળે. શાસ્ત્રોમાં મળતા નિર્દેશ ઉપરથી મેં જાણ્યું હતું કે-દુર્ણ પુરુષો અને ચેર ઘણું કરીને પાનાગાર (મદ્યની દુકાન), ઘતશાલા, કંદોઈની દુકાન, પાંડુ વસ્ત્ર પહેરનાર પરિવ્રાજકોના મઠ (અથવા નપુંસકોનાં નિવાસસ્થાને તથા પરિવ્રાજકોના મઠો), રક્તાંબર ભિક્ષુઓના કોઠાઓ, દાસગૃહ, આરામ, ઉદ્યાન, સભા અને પ્રપાઓમાં તથા શૂન્ય દેવકુલે અને વિહારમાં આશ્રય કરીને રહે છે. વિવિધ કલાઓમાં કુશળ એવા તે ચોરો ત્યાં ઉન્મત્તા પરિવ્રાજકનાં વિવિધ પ્રકારનાં લિંગ (ચિહ્ન) અને વેશ ધારણ કરીને અથવા બ્રાહ્મણનું રૂપ લઈને વિકૃત અને બેડોળ આકૃતિ ધરી ભમે છે. એટલે એવાં સ્થાનેની હું મારા ચાર પુરુષ-જાસૂસો દ્વારા તપાસ રખાવવા માંડ્યો. એક વાર ઉપાય કરવામાં કુશળ એવો હું તપાસ કરાવીને નીકળ્યો. જેણે જીર્ણ અને મેલાં વસ્ત્રો પહેર્યા છે એવો હું એક જ દોડીને નવાં હરિયાળાં પલ્લવવાળા તથા ઘણું શાખાઓ વડે શીતલ એક આંબાના ઝાડ નીચે બેઠો અને ચોરને પકડવાનો ઉપાય વિચારવા માંડ્યો. તે જ વખતે વડે રાતાં રંગેલાં વસ્ત્ર ધારણ કરેલો, એક કપડાનું જેણે ઉત્તરાસંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy