SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪૨ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : "" પડેલા એ વાનરાને જોઇને તેઓ ખેલ્યા, “ અરે વાનરેશ! ક્રોધમાં ભાન ભૂલીને તમે આ શું કર્યું ? સ્વચ્છંદભ્રમણને તથા તિય ચના વિષયાને તમે નહીં ભાગવનાર થયા છે, માટે તમારું બૈર મૂકી દે, જેથી નારક, તિર્યંચ અને હલકાં મનુષ્યેાના ભવમાં દુઃખની શૃંખલામાં બંધાઈને લાંબા કાળ સુધી કલેશ ન પામેા. શાન્ત થાએ, જિનવચનના સ્વીકાર કરા. શાન્ત થઈને હિંસા, અસત્ય ભાષણ અને અદત્તાદાનથી નિવૃત્ત થાઓ. એથી કરીને તમે સદ્ગતિમાં જશે. આ સાંભળીને એક વાનર શાન્ત થયા અને તેણે જિનાપદેશ સ્વીકાર્યા. ‘ આ મુનિ સાચુ' કહે છે ’ એમ વિચારીને વેદનાથી પીડાતા હેાવા છતાં તે હાથ જોડી રહ્યો. પછી સાધુએ તેને ત્રતા આપ્યાં અને કહ્યું, “ આહારના, શરીરને અને યૂથના ભાવથી ત્યાગ કરી દે. ” વાનરે પણ એ પ્રમાણે કર્યું. પછી ચારણશ્રમણુ ગયા. પ્રસન્ન ચિત્તવાળા તે વાનર કાળ કરીને સૌધર્મ કલ્પમાં દેવ થયેા. વૈરભાવ રાખતા બીજો વાનર ઘણા તિય ચ-ભવમાં ભમ્યા. સૌધર્મીમાં દેવ થયા હતા તે ત્યાંથી ચ્યવીને મનુષ્યજન્મ લઈને ગુરુની પાસે જિનવચન સાંભળીને સાધુ થયેા હતેા; તે હું છું. તિય ચગતિમાં ભ્રમણ કરતા હતા તે બીજો વાનર અકામ નિરાથી કર્મ પાતળાં પડી જતાં જ્યાતિષ્ઠ દેવ થયા. વૈરવૃત્તિવાળા તે ભયજનક અને શરીરને પીડા કરનારાં પાવડે મને ઉપસર્ગ કરતા હતા. જેના ઉત્તમ સંકલ્પ અવિચલ રહ્યો હતા એવા હુ એ બધુ સહન કરું છું. એમ કરતાં આજે મને અવધિજ્ઞાન થયુ, પેલે। દેવ પણ પરાજિત થયા. એ નિમિત્તે દેવાનું આવાગમન થયુ હતું. અમારી વચ્ચેના વૈરભાવને આ વૃત્તાન્ત છે. ” ફ્રી પાળેા રાજા પૂછવા લાગ્યા, “ શું આ પહેલાં મને સમ્યકત્વ પ્રાપ્ત થયું હતું? હું કાણુ હતા? ” એટલે અધિજ્ઞાનથી જોઇને સાધુ કહેવા લાગ્યા, “ સાંભળેા~~ ભગવાન્ ઋષભદેવના તીમાં સાકેત નગરમાં ધનદત્ત નામે સાવાહ શ્રાવક હતા. તેની નંદા નામે પત્ની હતી. તેમનેા પુત્ર સુરેન્દ્રદત્ત હતા. એ જ નગરમાં બૃહસ્પતિ નામે બ્રાહ્મણ રહેતા હતા. તેની સેમિલા પત્ની હતી. તેમના પુત્ર રુદ્રદત્ત હતા. સુરેન્દ્રદત્ત અને રુદ્રદત્ત એ બન્ને જણા માલમિત્રા હતા. વહાણમાં બેસીને સમુદ્રની મુસાફરી ખેડવાની ઇચ્છાવાળા સુરેન્દ્રદત્ત ‘પ્રવાસ તા અનેક વિઘ્નાથી ભરેલે! હાય છે' એમ વિચારીને રુદ્રદત્તના હાથમાં ત્રણ કરોડ ધન જિનમન્દિરમાં પૂજાના ઉપયાગ માટે આપીને વ્યાપાર ખેડતા અનેક દ્વીપામાં ગયા. આ બાજી, રુદ્રદત્તે એ ધનના જુગાર અને વેશ્યાની સામતમાં નાશ કરી નાખ્યા. તે પછી ચારી કરવા લાગેલા અને તેથી લેાકેાવડે ધિક્કારાયેલા તે ઉલ્કામુખ નામે ચાર-પલ્લીમાં પ્રવેશ્યા, અને કાળે કરીને નિર્દય અને દુષ્ટ એવા તે . ચાર-પલ્લીના અધિપતિ થયા. પેાતાના સાગરીતા સહિત તેણે એકવાર મધ્યરાત્રે સાકેત નગર ઉપર ધાડ પાડી અને ઘરે સળગાવ્યાં. ત્યાં નાગરિકાએ એને ફરતા જોયા, અને આ રુદ્રુદત્ત આપણા વિનાશ માટે જ અહીં આવ્યે છે, માટે તેના નાશ કરવા જોઈએ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy