SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ કેતુમતી લ’ભક [ ૪૫૫ ] અથવા એવું કયું તપ છે, જેથી એ પ્રાણુસંશયમાં રહેલી છે ( અર્થાત્ એનુ જીવન જોખમમાં આવી પડયું છે) ? ” એટલે તાપસેા કહેવા લાગ્યા, “તેનું કારણ સાંભળેા— ઇન્દ્રસેનાના સબધ અહીં વસતપુર નામે નગર છે. વચ્છિલના પુત્ર જિતશત્રુ ત્યાં હાલમાં રાજા છે. મગધના રાજા જરાસંધે પેાતાની કાલિંદસેના અગ્રમહિષીથી ઉત્પન્ન થયેલી ઇન્દ્રસેના નામે પુત્રી તેને આપી હતી. એ જિતશત્રુ પરિવ્રાજકાના ભક્ત હતા. આથી અંત:પુરમાં પ્રવેશ વાની જેમને રજા આપવામાં આવી છે એવા તેના (ગુરુ) શંખ અને બીજા યાગીએ અનિયંત્રિતપણે અંતઃપુરમાં પ્રવેશતા અને ત્યાંથી બહાર જતા હતા. સ્વસમય અને પરસમય( સ્વમત અને પરમત )માં કુશળ તથા જિતશત્રુના બહુમાન્ય એવા શૂરસેન નામે પિરત્રાજક તેના ઘરમાં રહેતા હતા. તેણે ઇન્દ્રસેનાને વિદ્યાથી વશ કરી. પછી ‘ આ ઇન્દ્રસેના તારામાં આસક્ત છે' એમ રાજાએ જાણીને તે શૂરસેનનેા નાશ કરીને, તેને ગહન વનના એક પ્રદેશમાં ફેંકી દીધા. પશુ તે પરિત્રાજકમાં આસક્ત માનસવાળો અને તેના વિયાગમાં શાક કરતી ઇન્દ્રસેના પિશાચાવિષ્ટ-ગાંડી થઇ ગઇ. ‘ હું એ ભદતને જોઈશ!' એ પ્રમાણે વિલાપ કરતી તેને બંધન, રુંધન, યજ્ઞ, ધૂણી આપવી, ઔષધ પાવાં આદિ ક્રિયાએવ ચિકિત્સકે! સ્વસ્થ કરી શકયા નહીં. જેણે સાચી હકીકત જાણી છે એવા જરાસ ંધે કહેવરાખ્યું કે, “ મારી પુત્રી બંધનમાં કલેશ પામતી ન મરે, તેને છેડા, કેાઇ આશ્રમપદમાં તે ભલે રહે, અનુક્રમે તે સ્વસ્થ થશે. ” તે વચનને પ્રમાણુ કરતા જિતશત્રુ રાજાએ તેને બંધનમાંથી છેાડી. ૮ આ તારા પ્રિયતમ છે ’ એમ કહીને શૂરસેનનાં અસ્થિ તેને બતાવવામાં આવ્યાં. એ અસ્થિઓને એકત્ર કરીને, વસ્ર વડે બાંધીને તેણે માળા કરી. પછી તે માળાને તેણે કંઠમાં બાંધી. રાજાના કંચુકીએ તેને પરિચારિકાએની સાથે અહીં લાવીને રાખી. પછી તેએ આ વૃત્તાન્ત અમને કહીને ગયા. વિનંતી કરવા છતાં આ ઇન્દ્રસેના ભેાજન કરવાને ઇચ્છતી નથી. એ કારણથી તે આવી અવસ્થાને પામી છે. તમે મહાપ્રભાવશાળી દેખાએ છે. જો તમારા કોઇ શક્તિવિશેષ હૈાય તે તેને મુક્ત કરા-સ્વસ્થ કરેા, જેથી એ બિચારી જીવે. એથી તમે ઋષિએ અને રાજાનુ પણ પ્રિય કર્યું ગણાશે. ’ મેં કહ્યું, “ એમ થાઓ; તમને જો આ વસ્તુ અભિપ્રેત છે તે પ્રયત્ન કરીશ. ” પછી સંતુષ્ટ થયેલા તે તાપસેાએ રાજાને ખબર આપી. ત્યાંથી કંચુકીને મેાકલવામાં આવ્યેા. તે ઇન્દ્રસેનાને અને મને તેડી ગયા. વિનયપ્રતિપત્તિપૂર્વક બહુમાનથી જિતશત્રુએ મારા સત્કાર કર્યાં. મેં' ચિકિત્સા કરી, એટલે દેવી સ્વસ્થ થઈ ગઈ. કેતુમતીનું પાણિગ્રહણ હવે, એક વાર પ્રતિહારીએ આવીને મને વિનંતી કરી, “ સાંભળેા સ્વામી ! રાજાની ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy