SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬૮ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : (હે સાધુઓમાં શ્રેષ્ઠ ! શાન્ત થાઓ. જિનેશ્વરોએ પણ કેપને ઉત્તમ કો નથી, જેઓ કે પશીલ થાય છે તેઓ ઘણું સંસારભ્રમણ પામે છે.)” વિદ્યાધરોએ પ્રણામ કરીને તથા “અમારા ઉપર પરમ અનુગ્રહ થયે” એમ કહીને તે ગીતિકા ગ્રહણ કરી. આ બાજુ ભગવાન વિષ્ણુની આ પ્રકારની અપૂર્વ ચેષ્ટા તથા નમુચિ પુરોહિતના અવિનયને પ્રસંગ સાંભળીને તથા વિષ્ણુનું દિવ્ય અને વૈક્રિય તથા ગગનતલને પશે કરતું મહાન શરીર જોઈને ડરેલે તથા જેને કંઠે પ્રાણ આવ્યા છે એ મહાપર્વ રાજા નગર અને જનપદ સહિત સંઘને શરણે ગયા અને ભયથી ગદ્ગદ્ વાણીથી કહેવા લાગ્યો કે, “સંઘ એ મારું શરણ છે. હું અણુવ્રત પાળનાર શ્રમણોપાસક-શ્રાવક છું અને ભગવાન્ સુવ્રત અણગારને શિષ્ય છું, માટે મારું રક્ષણ કરો.” “કુપાત્રને રાજ્ય ઉપર સ્થાપન કર્યો, અને એની ખબર પણ અમને આપી નહીં, એ તારી ભૂલ થઈ” એમ કહીને પછી નિર્મળ સ્વભાવવાળા શ્રમણસંઘે રાજાને કહ્યું, “રાજન ! તને ક્ષમા કરી છે. અમારી વાત તો અહીં પૂરી થઈ છે; પરન્ત વિષયપ્રમત્ત એવા તારી નિષ્કાળજીને કારણે એવી વિષમ સ્થિતિ પેદા થઈ છે, જેથી આખા 2લાક્યનું અસ્તિત્વ પણ શંકાગ્રસ્ત બન્યું છે. માટે વિષ્ણુકુમાર શ્રમણને શાન્ત કર.” પછી સર્વે સંઘશમણે હાથ જોડીને વિષ્ણુની પાસે ઊભા રહ્યા અને વિનંતી કરવા લાગ્યા, “હે વિષ્ણુ! શાન્ત થાઓ; સંઘે મહાપદ્મ રાજાને ક્ષમા કરી છે. તમારું રૂપ સંકેલી લે. ચરણ હલાવશે નહીં, કારણ કે તમારા તેજના પ્રભાવથી કંપતું મહીતલ રસાતલમાં પ્રવેશે છે. આ શ્રમણ સંઘ તમારા ચરણની ખૂબ નજદીક ઊભેલે છે. ” પિતે લાખો યોજન ઊંચા હોવાને કારણે શ્રવણની મર્યાદાની બહાર રહેલા હોવાથી ભગવાન કુમારશ્રમણ સાધુજનનું આ વચન સાંભળતા નહોતા. પછી મોટા શ્રતધરોએ કહ્યું, “બાર યોજનથી આગળ ખરેખર શબ્દ સંભળાતો નથી. ભગવાન વિષ્ણુની શ્રોત્રેન્દ્રિય ગગનના કોઈ ભાગમાં અત્યારે હશે, તેથી તેઓ સાંભળી શકતા નથી. એમનું આ વિકલું રૂ૫ લાખો યાજન ઊંચું છે, પણ એટલે દૂર જવા છતાં પણ રૂપને વિષય તો રહે છે–જોઈ શકાય છે, માટે ભગવાનનો પગ અફાળે, એટલે તેઓ અવશ્ય તે તરફ જશે અને તેમની ઉપાસના કરતા શ્રમણ સંઘને જોઈને તેઓ શાન્ત થશે.” પછી સાધુઓએ એકી સાથે તેમનો પગ અફાળે. સ્પર્શેન્દ્રિયની સંજ્ઞા જેમને પ્રાપ્ત થઈ છે એવા વિષ્ણુ મહર્ષિએ ધરતી તરફ જોયું. પોતાના અંત:પુર અને પરિજન સહિત સંઘને શરણે આવેલા મહાપદ્મ રાજાને તેમણે જે તથા હાથ જોડીને “શાન્ત થાઓ” એમ બોલતા સાધુઓને પણ જોયા. પછી વિષ્ણુએ વિચાર કર્યો, “સાધુએ નવનીતની જેમ મૃદુ સ્વભાવવાળા અને ચંદનની જેમ શીતલ હૃદયવાળા હોય છે. પરિવાર સહિત મહાપદ્મ રાજાની પીડાનું નિવારણ કરતા તેઓએ નક્કી ક્ષમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy