SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૦૦ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : પશ્રીને વૃત્તાન્ત આ જ વૈતાઢ્ય પર્વતની દક્ષિણ એણિમાં અરિંજયપુર નામનું અમરાપુરી જેવું નગર છે. ત્યાં પિતા અને પિતામહની પરંપરાથી ઊતરી આવેલી રાજ્યલક્ષમીનું પાલન કરતા અને જળભરેલા મેઘના જેવા નાદવાળો મેઘનાદ નામે રાજા હતો. તેની શ્રીકાન્તા નામે મહાદેવી શ્રી જેવા કાન્ત રૂપવાળી હતી. તેમની પુત્રી પદ્મશ્રી નામે હતી. તે યૌવનમાં આવતાં રૂપવતી તરીકે વિદ્યાધરોમાં પ્રસિદ્ધ થઈ. તે સમયે દિવિતિલક નગરમાં વિદ્યાબળ વડે સમર્થ એ જ પાણિ નામે રાજા હતે. મેઘનાદે દેવિલ નામે નૈમિત્તિકને પૂછયું કે, “પદ્મશ્રી કન્યા કયા રાજાને આપવી?” આ પ્રમાણે પ્રશ્ન થતાં તે નૈમિત્તિકે જેઈને ફલાદેશ આપે કે, “આ રાજકન્યા ચક્રવતીની માનીતી રાણું થશે.” કોઈ એકવાર વજી પાણિએ મેઘનાદ પાસે માગણી કરી, “મને કન્યા આપ, તેથી તારું શુભ થશે.” પણ આદેશના બળને લીધે મેઘનાદે કન્યા આપી નહીં. “આ ચક્રવતી નથી, માટે તેને કન્યા નહીં આપું” એ પ્રમાણે માનતા મેઘનાદને બળવાન વાપાણિએ હેરાન કર્યો. તેના વડે યુદ્ધમાં પરાજિત થયેલે મેઘનાદ પિતાના સૈન્ય અને વાહન સહિત તથા સગાંસંબંધીઓ સાથે ત્યાંથી નીકળીને આ પર્વતમાં આવ્યું, અને આ દુર્ગના બળથી કેટલાક કાળ થયાં સપરિવાર રહે છે. વૈતાલ્યની દક્ષિણ શ્રેણિમાં બહુકેતુમંડિત નામે નગર છે. ત્યાં વીરબાહુ નામે રાજા હતો. તેની સુમના નામે મહાદેવી હતી. તે રાણીના ચાર પુત્રો હતા-અનંતવીર્ય, ચિત્રવીર્ય, વીરધ્વજ અને વીરદત્ત. પછી તે રાજાએ હરિચંદ્ર (અણગાર) પાસે ધર્મ સાંભળે; જેમકે –“અનાદિ પ્રવાહવાળા કર્મની શંખલામાં જકડાએલા અને રાગદ્વેષને વશ પડેલા જીવો જન્મમરણથી ભરપૂર એવા ચતુર્વિધ સંસારને પામે છે. કર્મની લઘુતાથી કર્ણાચર થયેલ, સર્વને આનંદ આપનાર એવા અરિહંતના વચન ઉપર રુચિ કરીને વૈરાગ્યના માર્ગ ઉપર ચઢીને, દિગ્ગજ જેમ કમલતંતુનું બંધન તેડી નાખે તેમ વિષ વડે બનેલું નેહબંધન તોડીને, આસવને રોકીને, સંયમ, તપ અને દેહદમનને વિષે પ્રયત્ન કરીને, તથા પ્રશસ્ત ધ્યાનરૂપ સૂર્ય વડે આવરણ (જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ), વિન (અંતરાય કર્મ ) અને તિમિર (મોહનીય કર્મ) રૂપી અંધકારને નાશ કરીને જેમને સર્વ ભાવો પ્રત્યક્ષ થયા છે (કેવલજ્ઞાન થયું છે) એવા તે જીવે શાશ્વત સુખના ભાગી થાય છે અને સંસારરૂપી વનમાંથી બહાર નીકળે છે.” આ પ્રમાણે સાંભળીને જેને પ્રવજ્યા લેવાની ઈચ્છા થઈ છે એવા વિરબાહ રાજાએ અનંતવીર્ય આદિ પુત્રને રાજ્ય સ્વીકારવાનું કહ્યું. પણ (રાજ્યને નહીં સ્વીકારવા માટે) નિશ્ચિત એવા તેઓએ તેને કહ્યું, “અમારે રાજ્યનું કામ નથી; અમે તમારી સાથે દીક્ષા લઈશું.” પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy