SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ગન્ધદત્તા લંબક [ ૧૯૩ ] 6 ભૂમિ ઉપર અમે વિશ્રામ લીધા અને Àાજન કર્યું, એટલે @ામિયાએ કહ્યુ, “ બકરાઓને મારી નાખેા, રુધિરવાળા ચામડાની ભાથડીએ ખાળ ) કરા, બકરાનું માંસ રાંધીને ખાએ અને કેડે છરી બાંધીને ભાથડીએમાં પેસી જાએ. રત્નદ્વીપમાંથી ભારુંડ નામનાં મહાકાય પક્ષીઓ અહીં ચરવાને માટે આવે છે. તેઓ અહીં આવીને વાઘ, રીંછ વગેરેએ મારેલાં પ્રાણીઓનું માંસ ખાય છે, અને માંસનેા મેાટા પિંડ હોય તે પેાતાના માળામાં લઇ જાય છે. તમને રુધિરવાળી ભાથડીએમાં બેઠેલા જોઈને, આ મેાટા માંસિપડ છે ’ એમ ધારી તમને ઉપાડીને તે પક્ષીઓ રત્નદ્વીપમાં લઇ જશે. તે તમને નીચે મૂકે, એટલે તમારે છરી વડે ભાથડીએ ચીરી નાખવી. પછી તમારે ત્યાંથી રત્ના લેવાં. રત્નદ્વીપમાં જવાના આ ઉપાય છે. રત્ના લીધા પછી વૈતાઢયની તળેટી પાસે આવેલી સુવર્ણ ભૂમિમાં અવાય છે. ત્યાંથી વહાણુ માર્ગે પૂર્વ દેશમાં આવી શકાય છે. ’’ તેનું વચન સાંભળીને સાથેના માણસો બકરાને મારવા લાગ્યા. મે રુદ્રદત્તને કહ્યું, “ વેપાર આવા હશે એમ હું જાણુતા નહાતા; અને જો જાણતા હાત તે અહીં આવત નહીં, માટે મારા ખકરાને તમે મારશેા નહીં. તેણે મને જંગલમાંથી બહાર કાઢ્યો છે, માટે તેના તેા ઉપકાર માનવેા ચેાગ્ય છે. ’ રુદ્રદત્ત ખેલ્યા, “ તમે એકલા શુ કરશે ? ” મેં કહ્યું, “ વિધિપૂર્વક દેહત્યાગ કરીશ. ” એટલે મારું મરણુ થવાની સંભાવનાથી ડરતા તે રુદ્રદત્ત સાના માણસા સાથે મળીને બકરાને મારવા લાગ્યા. હું એકલા તેમને અટકાવી શયેા નહીં. તેમને અટકાવવાના પ્રયત્ન કરતા મારા તરફ તે બકરા પણ એકાગ્રચિત્ત થઇને લાંબી નજરે તાકી રહ્યો. એટલે મેં તેને કહ્યુ, “ હે મકરા ! તારી રક્ષા કરવાને હું અશક્ત છું. પણુ સાંભળજો તને વેદના થતી હાય તા તેના કારણરૂપે તે પૂર્વે કરેલેા મરણભીરુ પ્રાણીઓને વધ છે. એટલે તે પાતે કરેલાં કર્માંના જ આ અનુભવ છે. આથી એનુ કેવળ નિમિત્ત બનનાર માણસા ઉપર તારે દ્વેષ કરવા જોઇએ નહીં. જેએ રાગ, દ્વેષ અને માહથી પર છે એવા ભગવાન્ અરહતેા અહિંસા, સત્ય, અદત્તાદાનવિરતિ, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ વ્રતા સંસારભ્રમણુને નાશ કરનારાં હાવાનું ઉપદેશે છે, માટે તુ સર્વે સાવદ્ય-પાપયુક્ત વ્યાપારના, શરીરના અને આહારના ત્યાગ કર; ‘નમે અરિહંતાણું ? એ વચન તારા ચિત્તમાં રાખ; એથી તારી સદ્ગતિ થશે. ” મેં એમ કહ્યું એટલે તે બકરો મારી આગળ પ્રણામ કરીને ઊભા રહ્યો. મેં પણ તેને વ્રતે આપ્યાં, આહારનું પચ્ચકખાણુ આપ્યુ અને સિદ્ધ તથા સાધુના નમસ્કાર સહિત અરિહંતનેા નમસ્કાર–નવકાર મંત્ર-ઉચ્ચાર્યાં. આ પ્રમાણે વિરક્ત થયેલા અને ચિત્રમાં ચીતરેલા હાય તેવા સ્થિર એ બકરાને તેએએ-રુદ્રદત્ત વગેરેએ મારી નાખ્યા. પછી તેની ભાથડી કરવામાં આવી. રુદ્રદત્તે પગે પડીને મને ભાથડીમાં એસાડયો, અને સાથેના માણસા પણ પોતપાતાની ભાથડીમાં પ્રવેશ્યા. ઘેાડીક વારે ભારુડ . ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy