SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયગુસુન્દરી લભક [ ૩૭૧ ] “ સ્વામી! તમે રજા આપી, એટલે અહીંથી નીકળીને રાજભવનમાં જઇ, રાજાને અને દેવીને વિનયપૂર્ણાંક પ્રણામાંજલિ કરીને પછી હું છĆન્ત:પુર ( જૂના અંત:પુર ) માં ગઇ. ત્યાં મેં મેગરાનાં પુષ્પ અને ચંદ્ર જેવી ઉજજવળ કાન્તિવાળાં વસ્ત્રો ધારણ કરેલી અને સદ્ગતિગમન માટે સજ્જ એવી એ આર્યોને જોઇ. તેમને અને દેવીઓને (રાણીઓને) વિનયથી વંદન કરીને હું એક સ્થાને બેઠી. પછી તે ભગવતી મધુર વાણીથી સાધુધર્મ અને ખાર પ્રકારના ગૃહસ્થધર્મ કહેવા લાગી, તેમના રૂપાતિશય અને તેજથી વિસ્મિત થયેલી દેવીએએ કથાંતરમાં તેમને પૂછ્યું, “ આર્યો ! કયા નિવેદથી તમે આ દુઘ્ધર મનજ્યા સ્વીકારી છે ?” પછી તે આર્યાએ કહ્યું, “ દેવીએ ! અમે જાતિસ્મરણવાળી છીએ. ” એટલે તેમને દેવીએએ કહ્યુ, “ આર્યોએ ! જાતિમરજીવાળાં મનુષ્યેા હોય છે એમ વાર્તાલાપમાં અમે સાંભળીએ છીએ, પણ (જાતિસ્મરણવાળાં તરીકે) પ્રત્યક્ષ તા ભગવતીએને અત્યારે જ જોયાં છે; તેા જો તમારા તપ-નિયમના અવરોધ થતા ન હોય તે! તમારાં જાતિસ્મરણું અને દીક્ષા તમારા મુખેથી કહેવાતાં અમે સાંભળવા ઇચ્છીએ છીએ.” જાતિસ્મરણ(વાળાં મનુષ્યના મેળાપ)થી હર્ષ પામેલી અને એકત્ર થયેલી સર્વ દેવીએએ આર્યાએને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, “દેવીએ ! અમને પૂર્વભવમાં જે રીતે સમ્યક્ત્વ પ્રાપ્ત થયું અને આ ભવમાં અમારી દીક્ષા થઈ તે સાંભળે.— વિમલાલા અને સુપ્રભા આર્યઆની આત્મકથા હે દેવી ! આ શ્રાવસ્તી જનપદની ઉત્તર દિશામાં તેની લગેાલગ જ આવેલે, સ જનપદોમાં પ્રધાન એવે! કાસલા નામે જનપદ છે, ત્યાં સાકેત નામે પ્રધાન નગર છે. તે જનપદમાં પરમરમણીય એવું રમણીય નામે ગામ છે. ત્યાં માઠર અને નાગિલ નામે એ ગૃહપતિઓ રહેતા હતા. તેમની ભાર્યાઓ (અનુક્રમે) શુદ્ધોદની અને નાગદત્તા હતી. હું દેવીએ ! આજથી ત્રીજા ભવમાં અમે નાગશ્રી અને વિષ્ણુશ્રી નામની અન્યાન્યમાં અનુરક્ત અને સમાનવયસ્ક એવી તેમની દીકરીએ હતી. અમારા બન્નેના પિતાએનાં ખેતરા પણુ લગાલગ જ આવેલાં હતાં. પિતાની સૂચનાથી પશુસમુદાય, પક્ષીસંઘ અને મનુષ્યાથી એ ખેતરાનુ સરક્ષણ કરતી એવી અમે સતત આનંદ કરતી હતી. અમારાં તે ખેતરાથી થોડેક દૂર અસિતગિરિ નામે પર્વત છે. ત્યાં એક વાર અમે દેવાદ્યોત જોયેા. દેવાદ્યોતથી અધિક આશ્ચય પામેલા મહાજને ચારે બાજુનાં ગામામાંથી તે પર્વત ઉપર આવવા લાગ્યા. વિસ્મિત થયેલાં અમે કુતૂહલથી પર્વત ઉપર ચઢતાં હતાં ત્યાં ઘણા માણસા પાસેથી અમે સાંભળ્યું કે, “ કાઇ મહામુનિને અહીં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે.” પછી અમે જલદીથી તે પર્વત ઉપર ચઢી ગયાં, અને ત્યાં વિચિત્ર આભરણાથી ભૂષિત થયેલા દેવા અને અપ્સરાઓના સમુદાયને સંગીત, ગંધ, અને માલ્યથી મુનિવરને મહાત્સવ કરતા 66 ૧. જ્યાં વૃદ્ધ રાણી અને રાજાની સંબંધી વૃદ્ધ સ્ત્રીઓ રહેતી; હેાય તે સ્થાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy