SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયંગુસુન્દરી લ’ભક [ ૩૭૩ ] મરણુ મામીશ. માટે તમે પુષ્પકેતુ રાજા પાસે મારે માટે ( કન્યાની ) માગણી કરી. ” પછી અરહદાસ સાર્થવાહ મહામૂલ્યવાન ભેટછું લઇને પુષ્પકેતુ રાજા પાસે ગયા અને કહ્યું, “ સ્વામી ! મારા પુત્ર જિનદાસને પુષ્પદંતા કન્યા આપે; આ આપનું શુલ્ક છે. ” પણ પુષ્પકેતુ રાજાએ અરહદાસના સખ્ત તિરસ્કાર કરીને તેના નિષેધ કર્યા, એટલે તે ગયા. પછી સ્વયંવરને (ઇચ્છિત લગ્નને ) નહીં પ્રાપ્ત થયેલાં જિનદાસ અને પુષ્પદંતા હું સવિલંબિત અશ્વ ઉપર બેસીને નાસી ગયાં. ઘણાં હિંસક પશુઓથી ભરેલી ખિલવ ંતિકા નામે અટવીમાં તેએ પ્રવેશ્યાં. પછી જેમણે હાથમાં ધનુષ-માણુ ધારણ કરેલાં છે એવા ભીલે તે અટવીમાંથી યુદ્ધ કરવાને માટે આવ્યા. હુંસવિલખિત અશ્વ ઉપર બેઠેલા અને જેણે હાથમાં ખડ્ગ ધારણ કર્યું હતું એવા જિનદાસે તેમને! પરાજય કર્યો. પછી એ ભીલેાને ભગાડ્યા બાદ, તૃષાથી પીડાયેલા તે કાઇ વૃક્ષની નીચે આશ્રય લેવાને બેઠે. તેની નીચે પુષ્પદંતાને રાખીને અશ્વને સાથે લઈ તે પાણી શેાધવા માટે ગયા. ત્યાંથી થાડા અંતર ઉપર પર્વતની પાસે પાણીથી ભરેલું સરાવર તેણે જોયું. તેના કિનારે અશ્વને ઊભા રાખી પાણી પીવા માટે તે સરેશવરમાં ઊતર્યાં. પાણી પીતા હતા તે જ વખતે વાઘે તેને પકડ્યો. ભય પામેàા અશ્વ પેલા વૃક્ષ પાસે નાસી ગયા. તેને જોઇને કરુણ આક્રંદ કરતી પુષ્પદંતા સરાવર પાસે ગઇ. ત્યાં વાઘે ખાધેલું જિનદાસનુ શરીર જોઈને તે રડવા લાગી. અશ્વ પશુ, અગાઉ ભીલેાના હાથે ઘાયલ થયેલા હૈાવાથી, ત્યાં ઘેાડીવારમાં જ મરણ પામ્યા. પછી દીન અને કરુણ રુદન કરતી તે એકાકિની પુષ્પદંતાને ભૃગ્નપુટ અને વિગ્નપુટના તાબાના ચારીએ સાંજના સમયે પકડી પકડીને તેએ તેને સિ ંહશુદ્ધા ચારપલ્લીમાં લઇ ગયા. ત્યાં વિમિંઢ નામે ચાર-સેનાપતિ હતા. તેના એ બળવાન પુત્રા ભુગ્નપુટ અને વિભુગ્નપુટ હતા. તેમની સમક્ષ પુષ્પદંતાને હાજર કરવામાં આવી. તે પુષ્પદંતાને જોઇને એકબીજા સાથે લડવા લાગ્યા. એક એલ્યું, “મારા ચાર આને લાવ્યા છે. ’' બીજો પણ એ જ પ્રમાણે કહેવા લાગ્યા. પછી તેઓના પિતાએ તેમને અટકાવ્યા, અને પુષ્પદંતાને તેણે લીધી. લઇને મથુરામાં શૂરદેવ રાજાને તે આપી. તેણે વિમિઢને! સત્કાર કરીને વિદાય આપી. પુષ્પદંતાને તેણે પોતાની પટ્ટરાણી બનાવી. વાઘ વડે મરાયેલે પેલે જિનદાસ તે જ અટવીમાં વાનર થયેા. ત્યાં એને પેાતાના પૂર્વજન્મનું સ્મરણ હતું. એક વાર ત્યાં અગાઉથી સાથે આવીને રહ્યો હતે. સા માં સુરજ આદિ વાજીંત્રા જોઈને તેણે તે વગાડ્યાં અને નાચે પણ ખરા. આથી સંતુષ્ટ થયેલા વિષ્ણુકાએ ‘ આ આપણી આજીવિકા બનશે ’ એમ માનીને તેને પકડી લીધા. પકડીને મથુરામાં લઇ જઈને તે એની પાસે વાદ્યવિશેષા વગડાવવા લાગ્યા. તેઓએ રાજાને ૧૦૦૮ ના મૂલ્યથી તે વાનર વેચ્યા. પછી એક વાર તે વાનર પુષ્પદ તાને જોઇને સૂચ્છિત થઇને પડ્યો. ઘેાડી વારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy