SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયંગસુંદરી સંભક [ ૩૭૫ ] તેમણે સ્થવિર પાસે દીક્ષા લીધી, અને ઉચ્ચ પ્રકારના તપ વડે યુક્ત એવા તેઓ જલૈષધિલબ્ધિથી સંપન્ન થયા. અરહદાસ, વાતામય અને શરદેવ એ દેવ પણ આયુષ્યને ક્ષય થતાં આવીને (અનુક્રમે) વારાણસી, ભધિલપુર અને ગજપુરમાં કરાલબ્રહ્મ, જિતશત્રુ અને અરિંદમ નામે રાજાઓ થયા. પુષ્પદંતા–દેવ પણ આયુષ્યને ક્ષય થતાં સૌધર્મમાંથી અવીને મથુરા નગરીમાં નિહિતશત્રુ રાજાની રત્નમાલા દેવીની કનકમાલા નામની પુત્રી થઈ. અનુક્રમે ઊછરેલી તે વનમાં આવીને રૂ૫-લાવણ્યમાં નિરૂપમ થઈ. તે કનકમાલાને અતિશય રૂપાળી સાંભળીને કરાલબ્રહ્મા, જિતશત્રુ અને અરિદમ રાજાએાએ તેનું માથું કરવા માટે તો મેકલ્યા, પણ તે દૂતન નિહતશત્રુ રાજાએ નિષેધ કર્યો. આથી તે રાજાઓએ પિતાનાં સર્વ સન્ય સાથે આવીને મથુરા નગરીને ઘેરો ઘાલ્યો. સુધર્મ અણગાર વિહાર કરતા મથુરા નગરીમાં આવ્યા, અને બહાર ઉદ્યાનમાં રહ્યા. કનકમાલાને પણ પિતાનાં કર્મોના અનુભાવથી જેમાંથી ઘણું રસી નીકળતી હતી એવો કોઢ થયે. પછી નિહતશત્રુ રાજા કનકમાલાને લઈને મથુરામાંથી નીકળે અને કરાલબ્રહ્મ, જિતશત્રુ અને અરિંદમ રાજાઓ આગળ તેને રજૂ કરી કે “આ તમારી કનકમાલા છે. ” પછી રોગગ્રસ્ત કનકમાલાને જોઈને વૈરાગ્ય પામેલા અને જેમના રાગદ્વેષ શાન્ત થયા છે એવા તે રાજાઓ એક બાજુથી મથુરામાં પ્રવેશ્યા. પછી કેટલાક દિવસ વીત્યા બાદ કનકમાલા સહિત તેઓએ સુધર્મ અણગારની પાસે દીક્ષા લીધી, અને ઘણા કાળ સુધી સંયમ પાળીને તેઓ સમાધિથી કાળધર્મ પામ્યા. સુધમ અણગાર પણ (કાળ કરીને) બ્રહ્મલેક કપમાં બ્રહ્માવતંસક વિમાનમાં દશ સાગરોપમના આયુષ્યવાળા દેવેન્દ્ર થયા. કરાલબ્રહ્મ, જિતશત્રુ, અરિદમ અને કનકમાલા પણ બ્રહ્મલેક કપમાં અનુક્રમે ચંદ્રાભ, સૂર્યાભ, આદિત્યા અને શિષ્ટાભ વિમાનમાં બ્રહ્મના સામાનિક એવા સારસ્વત, આદિત્ય, વહિ અને વરુણ દેવ થયા. પછી દશ સાગરોપમનું આયુષ્ય પાળીને વેલા બ્રક્ષેન્દ્ર અહીં જ દક્ષિણાર્ધભારતમાં સાકેત નગરમાં ગરુડવાહન રાજાની પુંડરીકિણ દેવીને હરિવાહના નામે કુમાર થયા, અને ગરુડવાહનના મરણ પછી તે રાજા થયા. તે હરિવહન હું જ (કેવલી) છું. હે દેવદત્ત! બીજા જે સારસ્વત, આદિત્ય, વહ્નિ અને વરુણ દેવ હતા તેઓ પણ આયુષ્યને ક્ષય થતાં બ્ર કમાંથી આવીને આ જ દક્ષિણાર્ધભારતમાં અનુક્રમે ઋષભપુર, સિંહપુર, ચકપુર અને ગજપુર નગરમાં આદિત્ય, સોમવીર્ય, શત્રુત્તમ અને શત્રુદમન રાજાઓ થયા. તે આદિત્ય વગેરેને મેં મારી સુનંદા દેવીથી થયેલી શ્યામા, નંદા, નંદિની અને નંદમતી નામે પુત્રીઓ (અનુક્રમે) આપી, એટલે તે રાજાએ મારા જમાઈઓ થયા. પછી ઘણા કાળ સુધી રાજ્યલક્ષમી ભગવાને આદિત્ય વગેરે રાજાઓની સાથે મેં ૧. જલ-શરીરનો મેલ. તે કોઈને આપે અને તે ઔષધિનું કામ કરે એ પ્રકારની લબ્ધિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy