SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ સામશ્રી લલક [ ૨૪૭ ] કાઇ ન જુએ ત્યાં બકરાનેા વધ કરવાના છે; પણ આને તા હું પોતે જ જોઉં છું, માટે ખરેખર આ અવધ્ય છે. ” એમ નિશ્ચય કરીને તે પાછા વળ્યે અને પેાતાનુ બધું ચિંતન ઉપાધ્યાયને કહ્યું. તેણે કહ્યું, “શાબાશ ! પુત્ર નારદ ! તેં સાચા વિચાર કર્યો. તું જા, આ રહસ્ય કાઈને કહીશ નહીં. ” પછી બીજી રાત્રે ઉપાધ્યાયે પતકને એ જ પ્રમાણે આજ્ઞા આપી. તેણે શેરીનુ નાકું નિર્જન હાવાનું જાણીને બકરાને ત્યાં જ શસ્ત્રથી વધ કર્યાં, તથા અંદરનેા લાખનેા રસ છંટાવાને લીધે તેને રુધિર માનીને તેણે સર્ચલ સ્નાન કર્યું અને ઘેર આવીને પિતાને કહેવા લાગ્યા. પિતાએ કહ્યું, “ પાપી ! જ્યાતિષ્ઠ દેવા, વનસ્પતિઓ અને પ્રચ્છન્નચારી ગુહ્યકે। મનુષ્યનું આચરણ જુએ છે; તુ પોતે જ જોતા હતા, છતાં ‘હું જોતા નથી ’એમ માનીને બકરાનેા તેં વધ કર્યાં, માટે તું નરકમાં જવાના છું. ચાલ્યા જા. , વિદ્યાગ્રહણ કરીને તથા ક્ષીરક બનેા સત્કાર કરીને નારદ સ્વસ્થાને ગયા. દક્ષિણા આપવાની ઇચ્છાવાળા વસુને ઉપાધ્યાયે કહ્યું, “ વસુ! તું જ્યારે રાજા થાય ત્યારે માતા સહિત પ તક પ્રત્યે સ્નેહભાવવાળા થજે. એ જ મારી દક્ષિણા છે. હું તેા હવે ઘરડા થયા છું. ” પછી વસુ ચેઢીદેશની ( મુક્તિમતી ) નગરીમાં રાજા થયેા. એક વ્યાધે એક વાર અટવીમાં મૃગને વધ કરવાની ઇચ્છાથી ખાણ છેાથું પરન્તુ તેની અને મૃગની વચ્ચે આકાશટિક પત્થર આવેલા હાવાને કારણે મૃગ વીંધાયા નહીં અને ખાણુ પાછુ વળ્યું. આથી શંકા પડતાં વ્યાધ પોતે ખાણ છેાડયુ હતુ તે માગે ગયે, તે પત્થર હાવાનુ જાણ્યુ. ‘આ વસ્તુ રાજાને યાગ્ય છે ’ એમ વિચારીને ત્યાં તેણે ઝાડ કાપીને નિશાની કરી અને વસુરાજાના મંત્રીને ખબર આપી. તેણે વ્યાધના સત્કાર કર્યા અને સ્ફટિકન પત્થર મંગાળ્યા. તેના ઉપર રાજાનું સિંહાસન સ્થાપિત કર્યું. આ ગુપ્ત વાત ફૂટી ન જાય તે ભયથી, જેઓ પત્થરેશ લાવ્યા હતા તેમને સ્ત્રી સહિત મન્ત્રીએ મરાવી નાખ્યા. સિંહાસન ઉપર બેઠેલે। રાજા ( નીચેનેા આકાશસ્ફટિક નજરે નહીં પડવાને કારણે ) જાણે આકાશમાં રહેલા હાય તેવા લેાકેાને જણાવા લાગ્યા. આથી · વસુ રાજા જમીનથી અદ્ધર રહે છે ’ એવી તેની ખ્યાતિ થઈ. ક્ષીરકખ ઉપાધ્યાય કાલધર્મ પામ્યા. પર્વતક ઉપાધ્યાયપણું કરવા લાગ્યા. કેાઈ એક વાર પતકના શિષ્યા નારદની પાસે ગયા. તેમને નારદે વેદના પદોના અર્થ પૂછતાં તેઓ ખાટા અર્થ વ વવા લાગ્યા, જેમકે-- અજ વડે યજ્ઞ કરવા. ’ હુવે, ‘ અજ શબ્દ ‘બકરા’ તથા ત્રણ વ જૂનાં ડાંગર અને જવનાં બીજ ' એમ એ અર્થમાં પ્રયેાજાય છે, પરન્તુ પતકના શિષ્યા તેના ‘ બકરા ’ એવા જ અર્થ કરતા હતા. ત્યારે નારદે વિચાર કર્યો. 6 : k હું પતકની પાસે જાઉં એ મિથ્યાભાષીને આ માટે પૂછવું જોઇએ તેમજ ઉપાધ્યાયના ૧ નજરે દેખાચ નહીં, પણ માત્ર સ્પર્શથી જ જાણી શકાય એવા ચમત્કારિક પત્થર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy