SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ३८ અથવા હાથી ઉપર બેઠેલા ધાને માટે અસ્ત્ર છે, ઘેડેસવારને માટે અપાત્ર છે, તથા ખેડૂગ, કનક, તમર, લિંડિમાલ, ફૂલ, ચક્ર આદિ વ્યસ્ત્ર છે. આયુધે છોડવાની ત્રણ રીત-દઢ, વિદઢ અને ઉત્તર પણ જાણું છું.” (૨૬૨). આમાં પણ યુદ્ધવિદ્યાના જુદા જુદા પ્રકારો વર્ણવેલા છે. હાથીને ચતુરાઈપૂર્વક ખેલાવવાનાં વિવિધ વર્ણનો ગ્રન્થમાં છે (૬૬, ૮૪, ૧૫૬, ૨૬૧). રોષે ભરાયેલા હાથીને દમવાની અને ભમાવવાની રીતમાં સિંહાવલિ, દંતાવલિ, ગાત્રીન, શાર્દૂલબંધન, પુચ્છગ્રહણુ વગેરે છે (૨૮૮), જેમના ચોક્કસ અર્થે આજે આપણે સમજી શકીએ તેમ નથી. શત્રુ ઉપર ઘા કરવાને માટે યોદ્ધો પહેળા પગ કરીને ઊભા રહે તે સ્થિતિને “વિશાખાસ્થાન' નામ આપેલું છે (૮૧). ૩૮ વસુદેવ-હિંડી'માં છે તેવાં કથાનકો અને પ્રસંગે એક યા બીજા સ્વરૂપે ભારતીય સાહિત્યના બીજા કેટલાક સુપ્રસિદ્ધ ગ્રન્થમાં પણ મળે છે. પોતાની પત્નીને ભૂલી ગયેલા અને પુત્રને નહીં સ્વીકારનારા શિલાયુધ રાજાનો તાપસી સાથે સંવાદ મહાભારતમાંના દુષ્યન્ત અને શકુન્તલાના સંવાદની યાદ આપે છે (૩૯૦-૯૧). વસન્તતિલકા ગણિકા અને બસ્મિલ્લના પ્રણયપ્રસંગના સ્થાનકને, ભાસકૃત “ચાસદા” અને શુદ્રકકૃત “મૃચ્છકટિકમાં વર્ણવાયેલી વસન્તસેના અને ચારુદત્તની પ્રણયકથા સાથે સરખાવી શકાય. વલ્કલગીરી કુમારને મુગ્ધ અરણ્યવાસ અને ત્યાં ગણિકાપુત્રીઓ દ્વારા થયેલા તેના પ્રલોભનની કથા પુરાણોમાંના ઋષ્યશૃંગ અને બૌદ્ધ સાહિત્યમાંના ઇસિસિંગની કથાને મળતી જ છે. વહાણુમાં બેસીને દૂર દેશાવર ગયેલા ઇભ્યપુત્રના મરણના સમાચાર આવતાં તેના ભાઈઓએ તેની વિધવા પત્ની પાસે કરેલી ધનની માગણી, પત્નીએ પિતે સગર્ભા હોવાનું કરેલું સૂચન, ગર્ભમાં રહેલો પુત્ર પણ પિતાના પિતાના ધનનું આમ સંરક્ષણ કરે છે એ જોઈને રાજાને પોતાની અપુત્રતા માટે થયેલે પરિતાપ-એ પ્રસંગો કાલિદાસના “અભિજ્ઞાન શાકુન્તલ' અને યશપાલના “મેહરાજપરાજ્યમાંના એવા જ પ્રસંગે સાથે સરખાવી શકાય. પદ્મશ્રી લંભકમાં પદ્માવતીથી વિયોગ પામેલા વસુદેવનો પ્રલા૫ “વિક્રમવશય ”માં ઉર્વશીથી વિયોગ પામેલા પુરુરવાના પ્રલાપની બરાબર યાદ આપે છે. સુપ્રસિદ્ધ સાહિત્યગ્રન્થની પરસ્પર આવી અસર થાય એમાં જરાયે આશ્ચર્ય પામવા જેવું નથી. આચાર્ય વૃદ્ધવાદીએ એક સ્થળે કહ્યું છે કે–ચારિત્ર્યની આકાંક્ષા કરતાં એવાં બાળકે, સ્ત્રીઓ, મન્દ બુદ્ધિવાળાઓ અને મૂર્ખના અનુગ્રહ માટે તત્વજ્ઞોએ જૈન સિદ્ધાન્તની રચના લોકભાષા પ્રાકૃતમાં કરી છે. લોકસમાજને ખાતર જ તૈયાર કરવામાં આવેલા ધર્મગ્રન્થમાં લૌકિક સામગ્રીને ઉપયોગ પણ પુષ્કળ પ્રમાણમાં થાય એ સ્વાભાવિક છે. બૌદ્ધ સાહિત્યની બાબતમાં પણ આ વરતુ એટલી જ સાચી છે. આજ કારણથી જૈન અને બૌદ્ધ ધર્મ ગ્રન્થમાં દષ્ટાન્ત તરીકે અને બીજી રીતે પ્રચલિત લોકસાહિત્યને બહાળો વિનિયોગ થયો છે અને એજ કારણથી તુલનાત્મક લેકવાર્તાના અભ્યાસમાં અનિવાર્ય મહત્વની સામગ્રી એ બન્ને સંપ્રદાયના ગ્રન્થમાંથી મળે છે. વસુદેવ-હિંડી ” એ થાનુગનો ગ્રન્થ હોઈ તેમજ એની કથા બુતપરંપરાએ ચાલતી આવેલી ૩૮. “ઉત્તરાધ્યયન સૂત્ર” ઉપરની શાત્યાચાર્યની વૃત્તિમાં વૈદ્ધાનાં પાંચ સ્થાનવિશેષ વર્ણવ્યાં છે તેમાં વૈશાખ અથવા વિશાખા સ્થાન પણ છે. તેનો ઉલ્લેખ બે મલ્લના યુદ્ધ પ્રસંગમાં આવે છે. જુઓ વીદિવસે સમા , તરંચરિવણે સંપદા નોકરો ઘરૂણારું હિતો મતિ (પૃ ૧૯૭). તેની સમજુતી-રાહં પુનઃ પા અગ્રન્તરતઃ ત્યાં કમખ્યા વસ્થાતિ, અગ્રિમતૌ વર્મિત જાય (એજ, પૃ. ૨૦૫). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy