Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પ્રથમવાર-સારસંગ્રહ
૮૯
(૧) અપવર્ણના કરણ દ્વારા અંતર્મુહૂર્ત કાળમાં સ્થિતિના અગ્રભાગથી જઘન્યથી પલ્યોપમના સંખ્યામાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટથી સેંકડો સાગરોપમ પ્રમાણ સ્થિતિનો નાશ કરવો તે સ્થિતિઘાત.
(૨) અપવર્ણના કરણ દ્વારા રસનું જે અલ્પ કરવું તે રસઘાત. આ અપૂર્વકરણમાં હજારો સ્થિતિઘાત અને એકેક સ્થિતિઘાતમાં હજારો રસઘાત થાય છે.
(૩) ઉપરથી ઉતારેલ સ્થિતિમાંથી જલદી ક્ષય કરવા માટે ઉદય સમયથી અસંખ્યાત ગુણાકારે અંતર્મુહૂર્ત કાળ પ્રમાણ સમયોમાં જે દલિકોની રચના કરવી તે ગુણશ્રેણિ.
(૪) અબધ્યમાન અશુભ પ્રકૃતિનાં દલિકોને સમયે સમયે બધ્યમાન શુભ પ્રવૃતિઓમાં અસંખ્યાત ગુણાકારે સંક્રમાવવાં તે ગુણસંક્રમ.
(૫) પૂર્વ-પૂર્વની સ્થિતિબંધ પૂર્ણ થયે છતે ઉત્તરોત્તર સ્થિતિબંધ પલ્યોપમના (અ) સંખ્યાતમાભાગે ન્યૂન-ન્યૂન કરવો તે અપૂર્વસ્થિતિબંધ. - અહીં ત્રિકાળવાર્તા જીવોની અપેક્ષાએ પ્રથમ સમયથી છેલ્લા સમય સુધી દરેક સમયે અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયો હોય છે, અને પૂર્વ-પૂર્વના સમયની અપેક્ષાએ પછી-પછીના સમયે તે વિશેષ વિશેષ-અધિક હોય છે. માટે અહીં તિર્યમુખી અને ઊર્ધ્વમુખી એમ બે પ્રકારની વિશુદ્ધિ હોય છે.
વિવલિત એક જ સમયવર્તી જીવોની વિશુદ્ધિનો વિચાર તે તિર્યમુખી વિશુદ્ધિ અને તેથી મૂળમાં બતાવ્યા મુજબ અનંતભાગાદિક છ પ્રકારની વૃદ્ધિનહાનિ ઘટે છે.
પૂર્વ-પૂર્વના સમયની અપેક્ષાએ ઉત્તર-ઉત્તર સમયની વિશુદ્ધિનો વિચાર તે ઊર્ધ્વમુખી વિશુદ્ધિ. • આ ગુણસ્થાનકે મોહનીયકર્મની એક પણ પ્રકૃતિનો સંપૂર્ણ ક્ષય કે ઉપશમ કરતો નથી પરંતુ તઘોગ્ય લાયકાત હોવાથી આ ગુણસ્થાનકના ક્ષેપક અને ઉપશમક એમ ભેદ પડે છે. - (૯) અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક–એક સાથે પ્રવેશ કરેલા જીવોને કોઈપણ વિવક્ષિત સમયે પરસ્પર જયાં અધ્યવસાયોમાં તરતમતા ન હોય, પરંતુ એક જ પ્રકારનો અધ્યવસાય હોય અને દશમા ગુણસ્થાનકની અપેક્ષાએ બાદર=ધૂલ, સંપાય=કષાયનો ઉદય જ્યાં હોય તે અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક.
આ ગુણસ્થાનકે લોભ સિવાય શેષ ચારિત્ર મોહનીયની ૨૦ પ્રકૃતિઓનો સંપૂર્ણપણે ક્ષય અથવા ઉપશમ કરે છે. માટે આ ગુણસ્થાનકના ક્ષેપક અને ઉપશામક એમ બે પ્રકાર છે.
(૧૦) સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકસૂક્ષ્મ=કિષ્ટિ રૂપે કરાયેલ લોભ કષાયનો જ્યાં ઉદય હોય તે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક. આ ગુણસ્થાનકના પણ ક્ષેપક અને ઉપશમક એમ બે ભેદ છે. અહીં માત્ર એક લોભનો જ સંપૂર્ણપણે ક્ષય કે ઉપશમ કરે છે. પંચ૦૧-૧૨