Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૫૮
પંચસંગ્રહ-૧ લાયોપથમિક, ઔદયિક અને પારિણામિક એ ત્રણ અને ક્ષાયિક કે ઔપથમિક સમ્યક્તી જીવને સાયિક કે પશમિક સમ્યક્ત સહિત ચાર ભાવો અને ત્રણ પ્રકારના સમ્યક્તી જીવોને આશ્રયી પાંચેય ભાવો હોય છે.
ઉપશમશ્રેણિગત અપૂર્વકરણાદિ ચાર ગુણસ્થાનકોમાં એક અથવા અનેક જીવ આશ્રયી ઉપશમ સમ્યક્તીને ક્ષાયિક વિના ચાર અને ક્ષાયિક સમ્યગ્દષ્ટિને પાંચે ભાવો હોય છે.
ક્ષપકશ્રેણિગત અપૂર્વકરણાદિ ત્રણ તથા ક્ષીણમોહ આ ચાર ગુણસ્થાનકે ઉપશમ વિના ચાર ભાવો હોય છે.
| (૯) અલ્પબદુત્વ કયા જીવોથી કયા જીવો કેટલા અલ્પ અથવા અધિક છે તેનો વિચાર જેમાં હોય તે અલ્પબદુત્વ.
પુરુષ રૂપ ગર્ભજ મનુષ્યો સર્વથી અલ્પ છે અને સંખ્યાતા જ છે તે થકી ગર્ભજે માનવસ્ત્રીઓ સત્તાવીસ ગુણી અને અધિક છે. તેથી પર્યાપ્ત બાદર તેઉકાય જીવો અસંખ્યાતગુણા છે, તેથી અનુત્તર દેવો અસંખ્યાતગુણા છે, તે થકી ઉપરના ત્રણ, મધ્યમ ત્રણ અને નીચેના ત્રણ રૈવેયક દેવો, તે થકી અશ્રુત, આરણ, પ્રાણત અને આનત કલ્પના દેવો અનુક્રમે એકેકથી સંખ્યાત ગુણ છે.
શાસ્ત્રમાં આ સર્વ દેવોને ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશરાશિ પ્રમાણ કહ્યા છે, તોપણ અસંખ્યાતમો ભાગ ઉત્તરોત્તર સંખ્યાત ગુણો મોટો લેવાનો હોવાથી ઉપરોક્ત અલ્પબદુત્વમાં દોષ નથી.
ઉપર-ઉપર કરતાં નીચે-નીચેના રૈવેયકોમાં અને દેવલોકોમાં વિમાનો અધિક-અધિક હોવાથી તેમજ વધુ વધુ પુણ્ય અને ગુણના પ્રકર્ષવાળા જીવો ઉપર-ઉપર ઉત્પન્ન થાય છે અને ઉત્તરોત્તર હીન હીન પુણ્ય અને ગુણવાળા જીવો નીચે-નીચે ઉત્પન્ન થાય છે : જગતમાં ઉત્તરોત્તર હીન પુણ્ય અને હીન ગુણવાળા જીવો અધિક-અધિક હોય છે તેથી ઉપર-ઉપરના દેવોથી નીચેનીચેના દેવો અધિક-અધિક હોય છે. આ યુક્તિ સૌધર્મદેવ સુધી સમજવી.
બારમા-અગિયારમા તેમજ દસમા-નવમા દેવલોકમાં વિમાનોની સંખ્યા સમાન છે છતાં બારમો અને દસમો દેવલોક ઉત્તર દિશામાં તથા અગિયારમો તેમજ નવમો દેવલોક દક્ષિણ દિશામાં આવેલ છે. અને તથાસ્વભાવે જ કૃષ્ણપાક્ષિક જીવો મોટા ભાગે દક્ષિણમાં અને શુક્લપાક્ષિક જીવો મોટા ભાગે ઉત્તર દિશામાં ઉત્પન્ન થાય છે. વળી શુક્લપાક્ષિક જીવો કરતાં કૃષ્ણપાક્ષિક જીવોની સંખ્યા ઘણી જ વધારે છે. માટે વિમાનોની સંખ્યા સમાન હોવા છતાં બારમાથી અગિયારમામાં અને દસમાથી નવમામાં દેવ સંખ્યાતગુણ કહ્યા છે.
આ જ યુક્તિ માટેન્દ્ર અને સનકુમાર કલ્પના દેવા માટે તથા ઈશાન અને સૌધર્મ કલ્પના દેવા માટે પણ સમજવી.
આનત કલ્પના દેવોથી સાતમી તથા છઠ્ઠી નરકના નારકો, સહસ્રાર કલ્પના દેવો,