Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પર
પંચસંગ્રહ-૧
ણામવાળો થઈને ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતો ઘણા પ્રદેશની ઉર્જાના કરે. ઉર્જાના કરે એટલે નીચેનાં સ્થાનકોમાં રહેલાં દલિકોને ઉ૫૨નાં સ્થાનકોમાં ગોઠવે. ત્યારપછી બંધને અંતે કાળ કરીને એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યાં પહેલે સમયે પૂર્વોક્ત છ કર્મનો જઘન્ય પ્રદેશોદય થાય તે જઘન્ય પ્રદેશોદય પહેલા સમયે એક સમય જ થતો હોવાથી સાદિ અને સાંત છે.
તે સિવાય અન્ય સઘળો પ્રદેશોદય અજઘન્ય છે. તે અજઘન્ય પ્રદેશોદય બીજા સમયે થતો હોવાથી સાદિ, તે સ્થાન નહિ પ્રાપ્ત કરનારને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ છે. તથા તે જ છ કર્મનો અનુત્કૃષ્ટ પ્રદેશોદય અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ત્રણ પ્રકારે છે. તે આ પ્રકારે—આ છ કર્મનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય જેનું સ્વરૂપ આગળ ઉપર કહેવાશે તે ગુણિતકર્માંશ આત્માને પોતપોતાના ઉદયને અંતે ગુણશ્રેણિના શિરભાગમાં વર્તતા હોય છે. તે ઉત્કૃષ્ટ પ્રદેશોદય માત્ર એક સમય જ હોય છે માટે સાદિ સાંત છે.
તે સિવાય અન્ય સઘળો અનુત્કૃષ્ટ પ્રદેશોદય છે અને તે સર્વદા પ્રવર્તતો હોવાથી અનાદિ છે. કારણ કે જ્યાં સુધી આત્માએ જે ગુણસ્થાનકના જે સમયે ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે તે ગુણસ્થાનકને પ્રાપ્ત કર્યું નથી ત્યાં સુધી અનુત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે, તથા અભવ્યને અનંત અને
ભવ્યને સાંત છે.
મોહનીયકર્મનો અજઘન્ય અને અનુષ્કૃષ્ટ એ બંને પ્રકારનો પ્રદેશોદય સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રકારે—
ક્ષપિત કર્યાંશ આત્માને અંતરકરણ જ્યારે કરે ત્યારે અંતરકરણને અંતે આવલિકા માત્ર કાળમાં જે ગોપુચ્છાકારે દલરચના થાય છે તે આવલિકાના ચરમસમયે જઘન્ય પ્રદેશોદય થાય
૧. ગુણિતકર્માંશ એટલે વધારેમાં વધારે કર્માંશની સત્તાવાળો આત્મા.
૨. ગુણશ્રેણિનો શિરભાગ તેને કહે છે કે જે સ્થાનની અંદર વધારેમાં વધારે દલિકો ગોઠવાયાં હોય. સમ્યક્ત્વાદિ પ્રાપ્ત કરતાં અંતર્મુહૂર્તના સમય પ્રમાણ સ્થાનકોમાં પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયમાં અસંખ્ય અસંખ્ય ગુણાકારે દળરચના થાય છે. આ ક્રમે અંતર્મુહૂર્તના છેલ્લા સમયમાં સર્વથી વધારે દલિક ગોઠવાય છે તેને ગુણશ્રેણિનું શિર કહેવામાં આવે છે. બારમા ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ જાય અને એક ભાગ શેષ રહે ત્યારે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયની સ્થિતિને સર્વોપવર્ઝના વડે અપવર્તી બારમા ગુણસ્થાનકની જેટલી સ્થિતિ શેષ રહી છે તેના જેટલી કરે છે અને ઉપરનાં દલિકો ઉતારી તે અંતર્મુહૂર્તમાં ગુણશ્રેણિના ક્રમે ગોઠવે છે. તે અંતર્મુહૂર્તનો છેલ્લો સમય એ ગુણશ્રેણિનું શિર છે, તે જ બારમા ગુણસ્થાનકનો ચરમસમય છે. ત્યાં જ ઉત્કૃષ્ટ પ્રદેશોદય ઘટે છે. એ રીતે નામ, ગોત્ર અને વેદનીયકર્મની તેરમાના ચરમસમયે ચૌદમા ગુણસ્થાનકના કાળ પ્રમાણ ગુણશ્રેણિ કરે છે એટલે ચૌદમા ગુણસ્થાનકનો છેલ્લો સમય એ ત્રણ કર્મની ગુણશ્રેણિનું શિર છે એટલે તે સમયે ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે.
૩. ઉદય સમયથી આરંભી ઉત્તરોત્તર સમયે અસંખ્યાત અસંખ્યાતગુણ જે દળરચના થાય છે તે ગુણશ્રેણિ કહેવાય છે. વળી ઉદયસમયમાં વધારે અને પછી પછીના સમયે અલ્પ અલ્પ જે નિષેકરચના થાય તે ગોપુચ્છાકાર દલરચના કહેવાય છે.
૪. અંતકરણનો સમધિક આવલિકાકાળ શેષ રહે ત્યારે બીજી સ્થિતિમાંથી દલિકો ખેંચી -અંતરકરણની છેલ્લી આવલિકામાં તે દલિકોને ગોપુચ્છાકારે ગોઠવે છે. તે સમધિકકાળ પૂર્ણથાય અને છેલ્લી આવલિકામાં પ્રવેશ કરે ત્યારે મોહનીયનો ઉદય થાય એટલે તે આવલિકાના છેલ્લા સમયે અલ્પ પ્રદેશો ગોઠવાયેલા હોવાથી જઘન્ય પ્રદેશોદય થાય છે.