Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૭૯૬
પંચસંગ્રહ-૧
વીત્યા પછી ઉદયાવલિકા ઉપરનું એટલે કે બે આવલિકા ન્યૂન મૂળકર્મ જેટલી સ્થિતિનું દલિક વેદાતી એવી આ પ્રવૃતિઓમાં ઉદયાવલિકા ઉપર સંક્રમાવે છે. એથી બે આવલિકા ન્યૂન મૂળકર્મ જેટલી સ્થિતિમાં પોતાની એક ઉદયાવલિકા વધતી હોવાથી કુલ આવલિકા ન્યૂન પોતાના મૂળકર્મ જેટલી સ્થિતિસત્તા થાય છે.
મિથ્યાત્વ ગુણસ્થાને અતિસંક્લિષ્ટ પરિણામે મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી અંતર્મુહૂર્ત બાદ સમ્યક્ત પ્રાપ્ત કરી ઉદયાવલિકા ઉપરની આવલિકા અધિક અંતર્મુહૂર્ત ન્યૂન મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિને સમ્યક્ત મોહનીયની ઉદયાવલિકા ઉપર સંક્રમાવે છે. તેથી સમ્યક્ત મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ થાય છે.
સાતાવેદનીયની આવલિકા ન્યૂન ત્રીસ કોડાકોડી, નવ નોકષાયની આવલિકા ન્યૂન ચાળીસ કોડાકોડી, મનુષ્યગતિ, સ્થિરષદ્ધ, પ્રશસ્ત વિહાયોગતિ, પ્રથમનાં પાંચ સંઘયણ, પ્રથમનાં પાંચ સંસ્થાન અને ઉચ્ચગોત્ર–આ ઓગણત્રીસ પ્રવૃતિઓની આવલિકા ન્યૂન વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય છે.
ત્યાં પ્રથમનાં પાંચ સંઘયણ અને મધ્યમનાં ચાર સંસ્થાનનાં પર્યાપ્ત સંશી મનુષ્ય-તિર્યંચો, સાતાવેદનીય, સ્થિર, શુભ, હાસ્યષક આ નવના ચારે ગતિના પર્યાપ્ત સંજ્ઞી જીવો, સમ્યક્ત મોહનીયના ચારે ગતિના સમ્યગ્દષ્ટિ, મનુષ્યગતિના પર્યાપ્ત સંજ્ઞી-મનુષ્ય, પ્રથમ સંસ્થાન, સૌભાગ્યચતુષ્ક, સ્ત્રીવેદ, પુરુષવેદ, ઉચ્ચગોત્ર અને પ્રશસ્ત વિહાયોગતિ, આ નવના નરક વિનાના ત્રણ ગતિના પર્યાપ્ત સંજ્ઞી તેમજ નપુંસકવેદના દેવ વિના ત્રણ ગતિના પર્યાપ્ત સંજ્ઞી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામી છે.
ઉદય ન હોય ત્યારે સ્વજાતીય અન્ય પ્રકૃતિઓના સંક્રમથી જેઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે તે અઢાર પ્રકૃતિઓ અનુદયસંક્રમોત્કૃષ્ટા કહેવાય છે.
આ પ્રવૃતિઓમાં પણ ઉદયસંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિમાં જણાવ્યા મુજબ બે આવલિકા ન્યૂન પોતપોતાના મૂળકર્મ જેટલી પોતપોતાની સ્વજાતીય અન્ય પ્રકૃતિઓની સ્થિતિ આ પ્રકૃતિઓની ઉદયાવલિકા ઉપર સંક્રમે છે. તેથી ઉદયાવલિકા સહિત કરતાં પોતપોતાના મૂળકર્મથી એક આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે. માત્ર સમ્યક્ત મોહનીયની જેમ મિશ્રમાં અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ મિથ્યાત્વની સ્થિતિનો સંક્રમ થવાથી તેની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે. આ પ્રવૃતિઓમાં જે વખતે અન્ય પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ થાય છે તે વખતે આ પ્રકૃતિઓનો ઉદય ન હોવાથી પ્રથમ સમયનું દલિક સ્ટિબુક સંક્રમથી અન્યત્ર સંક્રમી જાય છે. એથી ઉદયસંક્રમોત્કૃષ્ટા કરતાં આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા એક સમય પૂન હોય છે.
મનુષ્યાનુપૂર્વી, દેવદ્ધિક, વિકલત્રિક અને સૂક્ષ્મત્રિક આ નવની સમયાધિક આવલિકાન્યૂન વીસ કોડાકોડી, મિશ્ર મોહનીયની સમયાધિક અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકોડી, તીર્થંકર નામકર્મ અને આહારકસપ્તક આ આઠ પ્રકૃતિઓના બંધકાળે કોઈપણ કર્મનો અંત:કોડાકોડી સાગરોપમથી વધારે બંધ જ ન હોવાથી અને સત્તામાં પણ તેથી વધારે સ્થિતિ ન હોવાથી આ